SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૬૫ (૧૧) ચતુર્ગતિ જીવ ક્ષામણાકુલકના અર્થ : નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, ચાર ગતિ (જન્મ–મરણરૂપ) ભવચક તેમાં ભટકતાં મેહના વશથી જે કઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. (૧) સાતે નારકીની પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થઈને મેં નારકીના ભવમાં કઈ પણ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ હું 'ખમાવું છું. (૨) વળી નારકીના ભાવમાં મેં કર્મના વશથી નારકીના જીવને પરસ્પર મસળવું, ચૂરવું, ફેકવું, મારવું આદિથી દુઃખ દીધું હોય તેને 'પણ હું ખાવું છું. (૩) - નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનાર (પરમાધામીના ભવમાં) મૂઢ અગ્ર મારા જીવે નારકીના જીવને દુઃખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. (૪) _હા ! હા !! પરમાધામીના ભાવમાં મૂઢતાના કારણે જીવે કીડાનિમિત્તે કરવત, તરવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન, મારણ, યંત્રપલણ, વૈતરણીતારણ, કુંભીપાચનરૂપ ઘણાં દુઃખ નારકી ને દીધાં તે દુઃખને હું જાણતા નથી. (૫) પરમાધામના ભવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલા મેં જે કાંઈ નારકી જીવેને દુઃખ દીધું હોય તેને પણ હું મન વચન કાયાએ કરી ખમાવું છું. (૬) તિયચને વિશે ક્ષારાદિ પૃથ્વી, અપુ, તેલ, વાઉ, પ્રત્યેક સાધારણ વનસ્પતિકાયનાં ભાવમાં મેં સ્વ-અન્ય અને પરસ્પર શસ્ત્રથી પૃથ્વીકાદિક અને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. (૭) શંખ પ્રમુખ બેઈદ્રિય, જે પ્રમુખ તેઈદ્રિય, માખી પ્રમુખ ચૌરિદ્રિયના ભામાં મેં જે ને ભક્ષણ અને દુઃખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. (૮) ગર્ભજ, સમૂર્ણિમ જલચર પંચેદ્રિયના ભામાં મચ્છ, કાચબા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy