SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૬૩ હિતમાર્ગમાં પ્રવૃત્ત થાઉં અને સર્વ સત્યપ્રાણીવર્ગ સંબંધી સેવા વડે આરાધક થાઉં. (સ્વહિતરૂ૫) સુકૃત(અનુમોદના)ને અંત:કરણથી હું ઈચ્છું છું ઈચ્છું છું ઈચ્છું છું. આ રીતે આ સૂત્રને ખૂબ વૈરાગ્યપૂર્વક, ભણનાર, સાંભળનાર અને ચિંતવનારના અશુભ કર્મના અનુબંધ ઢીલા પડે છે, ઓછા થાય છે ને ક્ષીણ થાય છે. અથવા ઉક્તસૂત્રના અભ્યાસજનિત શુભ પરિણામવડે બાકી રહેલા અશુભકર્મ અનુબંધ રહિત ફળપરંપરા આશ્રીને સામર્થ્ય (સત્વ) વગરના થઈ જાય છે. કરી છે ? મંત્ર સામર્થ્ય વડે વિષની પેરે અલ્પ વિપાકવાળા, સુખે ટાળી શકાય એવા અને ફરી પાછા ન બંધાય એવા થવા પામે છે. શુભકર્મના અનુબંધ હેજે એકઠા થવા પામે છે; ભાવની વૃદ્ધિ વડે ખૂબ ચાને સંપૂર્ણ થવા પામે છે, તથા પ્રધાન, શુભ ભાવાજિંત, નિશ્ચય ફળદાયી, સાનુબંધ શુભકર્મ, સારી રીતે પ્રોજેલા મહા વૈદ્યની પેઠે એકાંત કલ્યાણકારી, શુભપ્રવર્તક અને પરંપરાએ પરમસુખ, મોક્ષ સાધક થાય છે. આ કારણથી પ્રતિબંધરહિત, નિયાણારહિત, અશુભ ભાવ ના નિરોધવડે શુભ ભાવનાના બીજરૂપ જાણીને આ સૂત્રને પ્રશાન્ત આત્માએ રૂડી એકાગ્રતા–સ્થિરતાથી સારી રીતે ભણવું, વ્યાખ્યાન વિધિવડે સાંભળવું અને તેના અર્થ રહસ્યનું ચિંત્વન કવું. દેવર્ષિ વદિત પરમગુરૂ વીતરાગ પરમાત્માઓને નમસ્કાર હો! તેમજ શેષ નમસ્કાર કરવા યોગ્ય ગુણાધિક આચાર્યાદિક પ્રત્યે નમસ્કાર હે ! સર્વજ્ઞ શાસન જયવંતુ વર્તા! પમ સંબોધિ-વરધિના લાભવડે મિથ્યાત્વ દેષની નિવૃત્તિચગે પ્રાણીઓ સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ ! ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy