SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ સમાધિ મરણ કરી છે, એવા શ્રીજિનકથિત અતિમ કાલીન સંથારારૂપ હાથીના સ્ક-ધપર સુખપૂર્વક આરૂઢ થયેલા, નરેદ્રોને વિશે ચન્દ્ર સમાન શ્રમણ પુરૂ, સદાકાલ અમોને શાશ્વત, સ્વાધીન અને અખંડ સુખોની પરંપરા આપો. ૧૨૩ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૯) પાપપ્રતિઘાત અને ગુણબીજ-આધાન સૂત્રને અર્થ વીતરાગ, સર્વજ્ઞ, સુરેન્દ્રપૂજિત, યથાસ્થિત વસ્તુતત્વવાદી, અને રોલેકય ગુરૂ એવા અરિહંત ભગવંતને નમસ્કાર હો! તેઓ એમ આખ્યાન કરે છે કે નિશ્ચ આ લાકમાં જ અનાદિકાળથી છે અનાદિ કર્મના સહયોગથી જન્મ, જરા, મરણ, રોગ, શેક, દુઃખરૂપ, દુઃખ ફળવાળો અને દુખની પરંપરાવાળો અનાદિ સંસાર છે. એ અનાદિ સંસારભ્રમણને અંત શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આગમત ધર્મનું વિધિપૂર્વક સેવન કરવાથી થાય છે. તે શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ મિથ્યાત્વમોહનીય પ્રમુખ પાપ કર્મને વિનાશ, તથા વિધ ભવ્યત્વ (સ્વભાવ) કાળ, નિયતિ (ભાવી ભાવ), પૂર્વકૃત કર્મ ને પુરૂષાતન (ઉદ્યમ) વડે થવા પામે છે. તથવિધ ભવ્યત્વ પરિપાકના સાધન અરિહંતાદિક ચાર શરણ, દુષ્કૃત નિંદા-ગોં, અને સુકૃત કરણેનું અનુમોદન કરવારૂપ કહ્યા છે. તેથી મેક્ષાથી જનોએ સદા સુપ્રણિધાન સંકલેશ સમયે વારંવાર અને અસંકુલેશ સમયે સામાન્ય રીતે ત્રિકાળ કર્યા કરવું. ચાર શરણ પરમ ત્રિલોકનાથ, પ્રધાન પુણ્યના ભંડાર, રાગ-દ્વેષ-મેહથી સર્વથા રહિત, અચિન્ય ચિંતામણિરૂપ, ભવસાગરમાં પોત સમાન અને એકાન્ત શરણ કરવા યોગ્ય એવા અરિહંત ભગવંતેનું મારે જીવન પર્યત શરણ હો. જન્મ, જશ, મરણથી મુક્ત, અજરામર, કર્મકલંકરહિત, સર્વ પ્રકારની પીડારહિત, કેવળજ્ઞાનદર્શનયુક્ત, શિવપુરનિવાસી, નિરૂપમસુખસંયુક્ત, અને સર્વથા કૃતકૃત્ય એવા સિદ્ધોનું મને શરણ હે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy