SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૪૧ દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતાં અથવા જાગતાં કઈ પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યો હોય તેનું મારે મિચ્છામિ દુક્કડે હો. ૧૦ જિનને વિષે વૃષભ સમાન વદ્ધમાન સ્વામીને વળી ગણધર સહિત બાકીના સર્વ તીર્થકરોને હું નમસ્કાર કરું છું. ૧૧ આ પ્રકારે હું સર્વ પ્રાણીઓના આરંભ, અલિક (અસત્ય) વચન, સર્વ અદત્તાદાન (ચોરી), મૈથુન અને પરિગ્રહને પચ્ચખું છું. ૧૨ મારે સર્વ પ્રાણીઓને વિષે મિત્રપણું છે. કેઈની સાથે મારે વેર નથી, વાંચ્છાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. ૧૩ સર્વ પ્રકારની આહાર વિધિનો, સંજ્ઞાઓને, ગારોને, કષાયોને અને સર્વ મમતાનો ત્યાગ કરૂં છું; સર્વને ખમાવું છું. ૧૪ જે મારા જીવિતને ઉપકમ (આયુષ્યને નાશ) આ અવસરમાં હોય, તે આ પચ્ચખાણ અને વિસ્તારવાળી આરાધના મને થાઓ. ૧૫. સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધોને તથા અરિહને નમસ્કાર થાઓ, જિનેશ્વરએ કહેલું તત્ત્વ હું સહું છું, પાપકર્મને પચ્ચખું છું. ૧૬ જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સિદ્ધિને તથા મહા ઋષિઓને નમસ્કાર થાઓ, જેવી રીતે કેવળીએ બતાવ્યા છે તેવા સંથારો હું અંગીકાર કરું છું. ૧૭ - જે કાંઈ પણ ખોટું આચર્યું હોય તે સર્વને મન, વચન, કાયાએ કરી હું સિરાવું છું. વળી સર્વ આગાર રહિત (જ્ઞાન, શ્રદ્ધા અને કિયારુપ) ત્રણ પ્રકારનું સામાચિક હું કરું છું. ૧૮ બાહ્ય અભ્યતર ઉપધિ, અને ભજન સહિત શરીરાદિ એ સર્વને ભાવથી મન, વચન, કાયાએ કરીને હું વોસિરાવું છું. ૧૯ આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (અસત્ય) વચનને, સર્વ અદત્તાદાન ચેરી)ને, મૈથુન અને પરિગ્રહને હું પચ્ચખું છું. ૨૦ મારે સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા છે. કેઈની રડાથે મારે વેર નથી, વાંચ્છનાઓને ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy