SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૨૯ માગને જાણનારા ગુરૂ તેનું જે પ્રાયશ્ચિત કહે છે તે અનવસ્થાના પ્રસંગની બીકવાળા માણસે તેમજ અનુસરવું. ૩૧ તે માટે જે કંઈ અકાર્ય કર્યું હોય તે સર્વ છુપાવ્યા સિવાય દસ દેષ રહિત જેમ થયું હોય તેમજ કહેવું જોઈએ. ૩૨ સર્વ પ્રાણીઓના આરંભ, સર્વ અસત્ય વચન, સર્વ અદત્તાદાન, સર્વ મિથુન અને સર્વ પરિગ્રહનો હું ત્યાગ કરૂ છું. ૩૩ સર્વ અશન અને પાનાદિક ચતુવિધ આહાર અને જે બાહ્ય પાત્રાદ) ઉપધિ અને કષાયાદિ અભ્યતર ઉપધિ તે સર્વને ત્રિવિધ સિરાવું છું. ૩૪ વનમાં, દુકાળમાં અથવા મેટે રોગ ઉત્પન થયે છતે જે વ્રત પાળ્યું અને ન ભાગ્યું તે શુદ્ધ પાળ્યું સમજવું. ૩૫ રાગે કરીને, દ્વેષે કરીને અથવા પરિણામે કરીને જે પચ્ચખાણ દુષિત ન કર્યું તે ખરેખર ભાવ વિશુદધ પચ્ચખાણ જાણવું. ૩૬ આ અનંત સંસારને વિષે નવી નવી માતાઓનાં દૂધ જીવે પીધાં તે સમુદ્રના પાણીથી પણ વધારે થાય છે. ૩૭ તે તે જાતિઓમાં વારંવાર મેં ઘણું રૂદન કર્યું તે નેત્રના આંસુનું પાણી પણ સમુદ્રના પાણીથી વધારે જાણવું. ૩૮ એ કે પણ વાળના અગ્ર ભાગ જેટલો પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતો જીવ જમ્યા નથી અને મર્યો નથી. ૩૯ લેકને વિષે ખરેખર ચોરાશી લાખ જીવાનિય છે. તેમાંની એકેક નિમાં જીવ અનંત વાર ઉત્પન્ન થયેલ છે. ૪૦ ઉદર્વાકને વિષે, અલકને વિષે અને તિર્યલોકને વિષે હું ઘણું આલ મરણ પામ્ય છું, તે મરણને સંભારતે પડિતમારણે મરીશ. ૪૧ મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બેન, મારો પુત્ર, મારી પુત્રી, એ બધાંને સંભાતે હું પંડિત મરણ મરીશ. ૪૨ સંસારમાં રહેલાં ને ઘણી એનિમાં નિવાસ કરતા માતા, પિતા અને બધુઓ વડે આખો લોક ભરેલ છે, તે તારૂં ત્રાણ તથા શરણ નથી. ૪૩ જીવ એકલો કર્મ કરે છે, અને તે એકલે જ માઠાં કરેલાં પાપના ફળને ભગવે છે, અને એકલો જ જરા મરણવાળા ચતુર્ગતિરૂ૫ ગહન વનમાં ભમે છે. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy