SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ સમાધિ મરણ મિથ્યાત્વને સારી રીતે જાણું છું. તેથી સર્વ અસત્ય વચનને અને સર્વ થકી મમતાને છાંડું છું અને સર્વને ખમાવું છું. ૧૯ જે જે ઠેકાણે મારા અપરાધે થએલા જિનેશ્વર ભગવાન જાણે છે સર્વ પ્રકારે ઉપસ્થિત થએલા હું તે અપરાધને તેમજ આલેચું છું. ૨૦ ઉત્પન્ન થતી એટલે વર્તમાન કાલની. અનુત્પન્ન થએલી એટલે ભવિષ્યકાલની માયા બીજીવાર ન કરું એ રીતે આલોચન નિંદન અને ગહ વડે ત્યાગ કરું છું. ૨૧ જેમ બોલતું બાલક કાર્ય અને અકાર્ય બધું એ સરલપણે કહી દે તેમ માયા અને મદવડે રહિત પુરૂષ સર્વ પાપ આલેચે. રર જેમ ઘીવડે સિંચેલ અગ્નિ દીપે ધમ સરળ થએલા માણસને આલેઅણ શુદ્ધ થાય અને શુદ્ધ થએલાન વિશે ધર્મ સ્થિર રહે તેમજ પરમ નિર્વાણ એટલે મોક્ષને તે પામે. ૨૩ શલ્ય સહિત માણસ સિદ્ધિ પામે નહિ, એમ પાપ મેલ ખરી ગએલા (વીતરાગ) ના શાસનમાં કહેલું છે; માટે સર્વ શિલ્યને ઉદ્વરીને કલેશ રહિત એ જીવ સિદ્ધિ પામે છે. ૨૪ ઘણું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે આવીને નિઃશલ્ય થઈ સંથારે (અણશણ) આદરે તો તેઓ આરાધક થાય છે. ૨૫ જેઓ ડું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે ન આવે તે અત્યંત જ્ઞાનવત છતાં પણ આરાધક ન થાય. ૨૬ ખરાબ રીતે વાપરેલું શસ્ત્ર, વિષ, દુપ્રયત તાલ દુપ્રયુક્ત યંત્ર, અને પ્રમાદથી કેપેલે સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.) ૨૭ જે કારણથી અંત કાલે અણઉદ્ધરેલું ભાવ શલ્ય દુર્લભ બધિપણું અને અનંત સંસારીપણું કરે છે. ૨૮ તે કારણથી ગારવ રહિત છ પુનર્ભવ રૂપી લતાઓના મૂળ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્વરે છે. ર૯ જેમ ભારને વહન કરનારો માણસ ભાર ઉતારીને હળવે થાય તેમ પાપન કરનારો માણસ (પાપને) આલાવીને અને ગુરૂની પાસે નિંદીને ઘણાજ હળવે થાય છે. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy