SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ જે માટે સાધુપણામાં સારી રીતે રહેલા આચાર્યાદિક છે તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યો; તે માટે તે સાધુઓ મને શરણ હૈ।. ૪૦ ૨૨૪ સાધુનું શરણ સ્વીકારીને વળી અતિ હર્ષોંથી થયેલા રામાંચના વિસ્તાર વડે કરી શાભાયમાન શરીરવાળા (તે જી) આ જિનકથિત ધમના શરણને અંગીકાર કરવા માટે આ રીતે આલે છે. ૪૧ અતિ ઉત્કૃષ્ટ પુન્યવડે પામેલા, વળી કેટલાક પાત્ર (ભાગ્યવાળા) પુરૂષોએ પણ નહિ પામેલા કેવળી ભગવાને પ્રરૂપેલા તે ધમ હું શરણરૂપે અંગીકાર કરૂ છું. ૪૨ જે ધર્મ પામીને અને પામ્યા વિના પણ જેણે માણસ અને દેવતાના સુખાને મેળવ્યાં, પરંતુ મેાક્ષસુખ તેા ધમ પામેલાએ જ મેળવ્યુ તે ધમ મારે શરણ હા. ૪૩ મલીન કર્મોના નાશ કરનાર, જન્મને પવિત્ર કરનાર, અધર્મીને દૂર કરનાર ઇત્યાદિક પરિણામે સુંદર જિન ધર્મ મને શરણ હૈ!. ૪૪ ત્રણ કાળમાં પણ નાશ નહિ પામેલુ; જન્મ, જરા, મરણ અને સેકડા વ્યાધિઓને શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઇષ્ટ જિન મતને હું શરણુરૂપે અંગીકાર કરૂ છું, ૪૫ કામના ઉન્માદને સારી રીતે શમાવનાર, દેખેલા અને નહિ ?ખેલા પદાર્થોના જેમાં વરાધ કર્યાં નથી તેવા, :અને મેાક્ષના સુખરૂપ ફળને આપ વામાં અમેાધ એટલે સફળ ધર્મને હું... શરણરૂપે અંગીકાર કરૂ' છું. ૪૬ નરકગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા અન્ય વાદી વડે અલ્સે।ભ્ય અને કામ સુભટને હણનાર ધર્માંને શરણરૂપે અગીકાર કરૂ' છુ'. ૪૭ દેદીપ્યમાન, ઉત્તમ વાની સુંદર રચના (રત્ન) રૂપી અલંકાર વડે માટાઈના કારણ ભૂત મહા મૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દરિદ્રને હણનાર, જિનેશ્વરાએ ઉપદેશેલા ધર્મને હું વંદુ છુ. ૪૮ ચાર શરણુ અંગીકાર કરવાથી એકઠાં થએલ સુકૃતથી વિકસ્વર થએલી રામરાજી યુક્ત શરીરવાળા, કરેલાં પાપની નિ...દાથી અશુભ કર્મોના ક્ષયને ઈચ્છતા તે જીવ ( આ પ્રમાણે ) કહે છે. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy