SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ સમાધિ મરણ અતિ અદ્દભૂત ગુણવાળા, પિતાના ચશરૂપ ચંદ્રવડે સર્વ દિગતને શોભાવનાર, શાશ્વત, અનાદિ અનંત અરિહંતને શરણપણે મેં અંગીકાર કર્યા છે. ૨૧ ઘડપણ અને મરણને સર્વથા ત્યાગ કરનાર, દુઃખથી પીડાએલાં સમસ્ત પ્રાણીઓને શરણભૂત અને ત્રણ જગતના લાકને સુખ આપનાર તે અરિહ તેને (મા) નમસ્કાર થાઓ. ૨૨ અરિહંતના શરણથી થએલ કમરૂપ મેલની શુદ્ધિ વડે પ્રગટયું છે, અતિ શુદ્ધ સ્વરૂપવંત સિદ્ધ પરમાત્માને વિષે બહુ માન છે જેને એ આમ નમેલા મસ્તકને વિષે વિકસ્વર કમળના દડા સમાન અંજલિ જોડીને હર્ષ સહિત (સિદ્ધનું શરણ) કહે છે. ૨૩ આઠ કર્મના ક્ષયથી સિદ્ધ થએલા, સ્વાભાવિક જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિઓ સિદ્ધ થઈ છે જેમને એવા તે સિદ્ધો અને શરણ હે. ૨૪ ત્રણ ભુવનને મસ્તકે (સિદ્ધશિલાને વિષે) રહેલા, અને પરમપદ એટલે મોક્ષને પામેલા, અચિંત્ય બળવાલા, મંગળકારી સિદ્ધ પદમાં રહેલા અને અનંત સુખે કરી પ્રશસ્ત સિદ્ધો મને શરણ હે. ૨૫ રાગ દ્વેષ રૂપ શત્રને સ્કૂલમાંથી ઉડી નાખનાર, અમૂઢ લફરવાળા (સદા ઉપગવંત) સગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વભાવિક સુખને અનુભવ કરનાર ઉત્કૃષ્ટ મોક્ષવાળા સિદ્ધો (મન) શરણ હા. ૨૬ રાગાદિક શત્રુઓનો તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપી અગ્નિ વડે ભવ બીજ (કર્મો)ને બાળી નાખનાર, યોગીશ્વરને આશ્રય કરવા ગ્ય અને સર્વ પ્રાણુઓને સ્મરણ કરવા ચોગ્ય સિદ્ધ મને શરણ હે. ૨૭ પરમ આનંદને પામેલા, ગુણેના સાર ભૂત, ભવરૂપ કંદને સર્વથા નાશ કરનાર, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરનાર, વળી રાગદ્વેષાદિ બંને નાશ કરનાર સિદ્ધો મને શરણ હો. ૨૮ પરમ બ્રહ્મ (ઉત્કૃષ્ટ જ્ઞાન)ને પામેલા, મેક્ષરૂપ દુર્લભ લાભ મેળવનાર, અનેક પ્રકારના સમારંભથી મૂકાએલા, ત્રણ ભુવન રૂપી ઘરને ધારણ કરવામાં સ્તંભ સમાન, આરંભરહિત સિદ્ધો મને શરણ હે. ૨૯ સિદ્ધના શરણવડે નય (જ્ઞાન) અને બ્રહ્મના કારણભૂત સાધુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy