SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ સમાધિ મરણ (9) 3સર–પંચમાં પાપ વ્યાપારથી નિવર્તવા રૂપ સામાયિક નામે પહેલું આવશ્યક, ચોવીસ તીર્થંકરના ગુણોનું ઉત્કીર્તન કરવા રૂપ ચઊંવિસા નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂપ દેષની નિંદા રૂપ પ્રતિકમણ નામનું ચોથું આવશ્યક, ભાવ ઘા એટલે આત્માને લગેલા ભારે દૂષણ મટાડનાર કાઉસગ્ન નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચક્ખાણ નામનું છડું આવશ્યક નિર્ચો કરી કહેવાય છે. ૧ આ જિનશાસનમાં સામાયિક વડે નિચરિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવદ્યગને ત્યાગ કરવાથી અને નિરવદ્યોગને સેવવાથી થાય છે. ૨ દર્શનાચારની વિશુદ્ધિ ચઉવિસધ્ધ (લેગસ) વડે કરાય છે, તે વીસ જિનના અતિ અદ્દભૂત ગુણના કીતનરૂપ સ્તુતિવડે થાય છે. ૩ જ્ઞાનાદિક ગુણે, તે વડે યુક્ત ગુરૂ મહારાજને વિધિપૂર્વક વંદન કરવા રૂ૫ ત્રીજા વંદન નામક આવશ્યક જ્ઞાનાદિક ગુણેની શુદ્ધિ કરાય છે. ૪ વલી તે જ્ઞાનાદિકની (મૂલ અને ઉત્તરગુણની) આશાતનાની નિંદાદિક વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે, તે પ્રતિકમણ વડે તે જ્ઞાનાદિક ગુણેની શુદ્ધિ કરાય છે. ૫ ચારિત્રાદિકના જે અતિચારની પ્રતિકમણ વડે શુદ્ધિ ન થઈ હોય તેમની શુદ્ધિ ગુમડાના એસડ સરખા અનુક્રમે આવેલા પાંચમા કાઉસગ્ગ નામના આવશ્યક વડે થાય છે. ૬ ગુણના ધારણ કરવા રૂપ પચ્ચખાણ નામના છઠ્ઠી આવશ્યક વડે કરી તપના અતિચારની શુદ્ધિ થાય છે અને વળી વીર્યાચારના અતિચારની સવું આવશ્યક વડે શુદ્ધિ કરાય છે. ૭ ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક, પ માળા, ૬ ચંદ્રમા, ૭ સૂર્ય, ૮ ધજા, ૯ કળશ, ૧૦ પદ્મ સરોવર, ૧૧ સાગર, (દેવગતિમાંથી આવેલા તીર્થકરોની માતા) ૧૨ વિમાન, અને (નરકમાંથી આવેલા તીર્થકરેની માતા) ૧૨ ભવન દેખે, ૧૩ રત્નને ઢગલે અને ૧૪ અગ્નિ, એ ચૌદ સ્વ સર્વ તીર્થકરોની માતા તેઓ (તીર્થકરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy