SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ સમાધિ મરણ હવે તે સામાયિક ચારિત્ર ધારણ કરનાર અને મહાવ્રતને અંગીકાર કરનારો જે સાધુ તથા છેલ્લું પચ્ચખાણ કરું એવા નિશ્ચયવાળે દેશ વિરતિ શ્રાવક. ૩૪ મોટા ગુણો વડે મહાન ગુરૂના ચરણ કમલમાં મસ્તક વડે નમસ્કાર કરીને કહે છે કે હે ભગવન! તમારી અનુમતિથી ભક્ત પરિજ્ઞા અણુશણ હું અંગીકાર કરું છું. ૩૫ આરાધના વડે તેને (અણસણ લેનારને) અને પોતાને કલ્યાણ થાય તેમ દિવ્ય નિમિત્ત વડે જાણીને, આચાર્ય અણસણ લેવરાવે, નહિ તે નિમિત્ત જોયા વિન લેવાય તે) દોષ લાગે. ૩૬ ત્યાર પછી તે ગુરૂ ઉશ્કેટાં સર્વ પ્રત્યે પોતાના શિષ્યને દેખાડીને ત્રણ પ્રકારના આહારનાં જાવજુ જીવ સુધી પચ્ચકખાણ કરાવે. ૩૭ તે (ઉત્કૃષ્ટ દ્રવ્યને) જોઈને ભવ સમુદ્રના કાંઠે પહોંચેલા મારે આના વડે શું કામ છે એમ કે જીવ ચિંતવે; કઈ જીવ દ્રવ્યની ઈચ્છા હોય તે ભોગવીને સંવેગ પામે છતાં એ પ્રમાણે ચિંતવે. ૩૦ શું મેં ભેળવીને છાંડયું નથી, જે પવિત્ર પદાર્થ હોય તે પરિણામે અશુચિ છે એમ જ્ઞાનમાં તત્પર થઈને શુભ ધ્યાન કરે; જે વિષાદ પામે તેને આવી ચેયણ (પ્રેરણા) આપવી. ૩૯ ઉદરમલની શુદ્ધિને અર્થે સમાધિ પાન (સાકર વિગેરેનું પાણી) એને સારું હોય, તે તે મધુર પાણી પણ તેને પાવું અને થોડું થોડું વિરેચન કરાવવું. ૪૦ એલચી, તજ, નાગકેસર અને તમાલપત્ર સાકરવાલું દૂધ કહીને ટાઢ કરી પાઈએ તે સમાધિ પાણી કહીએ. (એ પીવાથી તાપ ઉપશમે) ત્યાર પછી-૪૧ ફેફલાદિક દ્રવ્ય કરીને મધુર ઔષધનું વિરેચન કરાવવું જોઈએ. કેમ કે એ રીતે ઉદને અગ્નિ હેલવાવાથી આ (અણુશણ કરનારો) સુખે સમાધિ પામે છે. કર અણશણ કરનાર તપસ્વી જાવજજીવ સુધી ત્રણ પ્રકારના આહાર (અશન, ખાદિમ, અને સ્વાદિમ) ને અહીં સિરાવે છે, એમ નિજામણા કરાવનાર આચાર્ય સંઘને નિવેદન કરે. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy