SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ २०७ આચાર્યના સમગ્ર ગુણે સહિત આચાર્યું પ્રાયશ્ચિત આપે કે, સમ્ય પ્રકારે તે પ્રાયશ્ચિતતપ આદરીને નિર્મલભાવવાલો તે શિષ્ય ફરીને કહે. ૨૩ દારૂણ દુઃખરૂપ જલચર જીવોના સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ગુરૂ મહારાજ નિવિદન વહાણ સમાન મહાવ્રતને વિષે અમને મૂકે. (સ્થાપ) ૨૪ જેણે કેપને ખંડો છે તે અખંડ મહાવ્રતવાલો તે અતિ છે, તે પણ પ્રવ્રજ્યા વ્રતની ઉપસ્થાપનાને યોગ્ય તે છે. ૨૫ સવામીની સારી પાલન કરેલી આજ્ઞાને જેમ ચાકરો વિધિ વડે બજાવીને પાછી આપે છે, તેમ જીવન પર્યંત ચારિત્ર પાલીને તે પણ ગુરૂને એ પ્રમાણે જણાવે છે. ર૬ જેણે અતિચાર સહિત ત્રત પાસું તથા આકુટ્ટી (કપટ) દંડે વ્રત ખંડયું એવા પણ સમ્યફ ઉપસ્થિત થએલા તેને (શિષ્યને) ઉપસ્થાપના કહી છે. ર૭ ત્યાર પછી મહાવીરૂપ પવના ભારથી નમેલા મસ્તકવાળા તે શિષ્યને સુગુરૂ વિધિ વડે મહાવ્રતની આરોપણ કરે. ૨૮ ' હવે દેશવિરતિ શ્રાવ સમક્તિને વિષે રક્ત અને જિનવચનને વિશે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવ્રતા મરણ વખતે આરોપણ કરાય છે. ર૯ | નિયાણું રહિત અને ઉદાર ચિત્તવાલ, હર્ષને લીધે વિસ્તાર પામ્યાં છે રામ રાય જેનાં એવો તે ગુરૂની, સંઘની અને સાઘર્મિકની નિષ્કપટ ભક્તિ વડે પૂજા કરે. ૩૦ પ્રધાન જિનેન્દ્ર પ્રસાદ, જિનબિંબ, અને ઉત્તમ પ્રતિષ્ઠાને વિષે તથા પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, સુતીર્થમાં અને તીર્થકરની પ્રજાને વિશે શ્રાવક પોતાના દ્રવ્યને વાપરે. ૩૧ જે તે શ્રાવક સર્વ વિરતિ સંયમને વિષે પ્રીતિવાળા, વિરુદ્ધ મન (વચન) અને કાયાવાલા, સ્વજન કુટુંબના અનુરાગરહિત, વિષય ઉપર ખેદવાળો અને વૈરાગ્યવાળો. ૩૨ તે શ્રાવક સંથારા રૂપ દીક્ષા અંગીકાર કરે અને નિયમ વડે દેષ રહિત સર્વવિરિતિરૂપ પાંચ મહાવ્રતે પ્રધાન સામાયિક ચારિત્રને અંગીકાર કરે. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy