SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ અંતિમ સાધના સૂત્રાદિ (૪) મ7–પચક્ષો મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંદીને પિતાને તથા પરને સમરણ કરવા અર્થે ભક્ત પરિણા હું કહું છું. ૧ સંસારરુપી ગહન વનમાં ભમતાં પીડાએલા છ જેના આશરે મેક્ષ સુખને પામે છે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખું સુખને આપનારું જૈન શાસન જયવંતુ વતે છે. ૨ દુર્લભ મનુષ્યપણું અને જિનેશ્વર ભગવાનનું વચન પામીને સપુરૂષેએ શાશ્વત સુખને એક રસીક એવા અને જ્ઞાનને વશવતી થવું જોઈએ. ૩ જે સુખ આજ થવાનું છે તે કાલ સંભારવા યોગ્ય થવાનું છે, તે માટે પંડિત પુરૂષ ઉપસર્ગ હિત મોક્ષનું સુખ વાંછે છે. ૪ પંડિત પુરુષો માણસનું અને દેવતાઓનું જે સુખ છે તેને પરમાર્થ થકી દુઃખ જ કહે છે, કેમકે તે પરિણામે દારૂણ અને અશાશ્વત છે. તેથી તે સુખ વડે સયું. (અર્થાત્ તે સુખનું કામ નથી) ૫ જિનવચનમાં નિર્મલ બુદ્ધિવાળા માણસોએ શાશ્વતાસુખનું સાધન જે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન છે તે આજ્ઞા પાળવા વિશે ઉદ્યમ કર. ૬ તે જિનેશ્વરએ કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, ને તપ તેઓનું જે આરાધન તે જ અહિ આજ્ઞાનું આરાધન કહેલું છે. ૭ દિક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આમા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતા કે સંપૂર્ણ આરાધકપણું પામે. ૮ મરણરૂપી ધર્મ નથી એવા ધૈર્યવંત (વીતરાગે)એ તે ઉદ્યમવંતન મરણ ૧ ભક્ત પરિણા મરણ, ૨ ઇંગિની મરણ, અને ૩ પાદપિપગમ મરણ એમ ત્રણ પ્રકારે કહેલું છે. ૯ ભક્ત પરિજ્ઞા મરણ બે પ્રકારનું છે –૧ સુવિચાર અને ૨ અવિચાર, સંલેખના વડે દુર્બલ શરીરવાળા ઉદ્યમવંત સાધુનું સવિચાર. (ભક્ત પરિજ્ઞા મરણ જાણવું) ૧૦ પરાક્રમ રહિત સાધુને સંલેખન કર્યા વિના જે મરણ થાય તે અવિચાર ભક્ત પરિક્ષા મરણ કહીએ. તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણને યથામતિ હું કહીશ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy