SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સમાધિ મરણ ભગવાનને અહીં રહેલે હું વાંદુ છું. ત્યાં રહેલા ભગવાન મને જુઓ. એમ કહી વંદન નમસ્કાર કરે છે. પછી આગળ આ પ્રમાણે બેલે છે – શ્રમણ ભગવાન મહાવીર પાસે પહેલા, સ્થૂલ પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહ પરિમાણ પચ્ચકખાણ જિંદગી સુધીનાં ગ્રહણ કર્યા હતાં. અત્યારે અરિહંત ભગવાન મહાવીર સાક્ષીએ સર્વ પ્રાણાતિપાતાદિ, વિરમણ મહાવ્રત ચાવજજીવ માટે પચ્ચખું છું. આ શરીરને પણ છેલ્લા શ્વાસોશ્વાસ વખતે ત્યાગ કરીશ. એવી મનમાં ધારણ કરી બખ્તર છોડી શરીરમાં લાગેલા બાણનું શક્ય બહાર કાઢી આલેચને લઈ પ્રતિક્રમી સમાધિપૂર્વક કાળધર્મ પામે છે. - હવે તે વરુણને એક પ્રિય બાલમિત્ર રથમુશલ સંગ્રામ કરતો હતા. જ્યારે તે શત્રુ પુરુષથી સખત ઘાયલ થયે ત્યારે શકિતહીન, બલરહિત ચાવત્ “પતે નહીં ટકી શકે ” એમ સમજી વરુણ માફક ઘડાને યુદ્ધભૂમિ બહાર લઈ ગયે. વસ્ત્રના સંથારા પર બેસી, પૂર્વ દિશા સનમુખ મુખે કરી અંજલિ જેડી બેલ્યો, “હે ભગવંત ! મારા પ્રિય મિત્ર વરુણે જે શીલવતે, ગુણવ્રતે, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પવપવાસ લીધો હોય તે મને પણ હો.” એમ બેલી બખ્તર છેડી, શલ્ય બહાર કાઢયું. સમાધિથી કાળધર્મ પામ્યા. - વરુણ અંતિમ સાધનાના પ્રભાવે સીધમ નામે પ્રથમ દેવકને વિશે અસણાભિધાન નામે વિમાનમાં દેવ થયા. જ્યાં ચાર પાપમની સ્થિતિ જોગવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. નાગપુત્ર વરુણને મિત્ર પણ ભાવપૂર્વકની અંતિમ આરાધનાના પ્રભાવે મૃત્યુ બાદ મહાવિદેહમાં સુકુળમાં ઉત્પન્ન થઈ સર્વ દુઃખને અંત કરી સિદ્ધિ પદને પામશે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy