SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક અંતિમ સાધનાઓ. ૧૦૯ સમાધિ મરણ માટે અનેક રચના પૂર્વાચાર્યોની બનાવેલ છે. તે વાંચી વિચારી અત્રે દશ દ્વારનું વિસ્તૃત વિવેચન તૈયાર કર્યું છે. અનેક “અન્તિમ સાધના’ને સાર એક સાથે સમાવવાનો નમ્ર પ્રયાસ મારી બુદ્ધિ મુજબ આ વિવેચનમાં છે. આરાધક એવા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંત તથા શ્રાવક-શ્રાવિકાઓ વારંવાર છેિવટે મહિને એક વખત આ પ્રમાણે પિતાની આરાધના કરી શકે, તેમજ લાંબી માંદગી ભોગવી રહેલાને પણ જે કંઈ નિત્ય આરાધના કરવાની હોય, તેને એક એક દ્વારનું વિસ્તૃત વર્ણન વોચવા સાંભળવા અને વિચારવા ઉપયોગી બને તે રીતે આરાધનાનું ભાથું તૈયાર કરેલું છે. અન્તિમ આરાધનાના વણને જુદી જુદી રીતે જોવા મળે છે. તેમાં પુન્યપ્રકાશ સ્તવન તથા પર્યત આરાધનાને આધારભૂત ગણી આ વર્ણન કરેલ છે. અતિમ આરાધના માત્ર આ જ કમમાં થઈ શકે તેમ ન વિચારવું કારણ કે ચાર પ્રકારે, છ પ્રકારે અને સોળ પ્રકારે પણ અંતિમ આરાધના ના વર્ણન જોવા મળે છે. આ ભવ-પરભવમાં જે પૃથ્વિકાયાદિની વિરાધના થઈ હોય તે “આલેચના અધિકાર”માં લીધી છે અને પૃવિકાયાદિના ભવમાં આપણા આમાએ કરેલી વિરાધના “ખામણા–અધિકાર ”માં લીધી છે. બાકી દુકૃત ગઈ અધિકારમાં આ બંને પ્રકારની વિરાધનાનો સમાવેશ થઈ શકે છે. [જેમ નંદન ઋષિની આરાધનામાં અતિચારોની આલોચના દુકૃત ગહ રૂપે રજૂ થઈ જ છે.] કેવળ આરાધનાની બુદ્ધિથી અને આત્મ શુદ્ધિ કરવાના એકમાત્ર લક્ષને નજર સમક્ષ રાખી સમાધિ મરણના આ અધિકારે વાંચવા અને ચિંતવવા. જુદી જુદી “અન્તિમ આરાધના”માં પણ –“પૂર્વ મહર્ષિઓ મરણ સમયે સમાધિ કેમ ટકી રહે”—એ એક વાતને જ મહત્ત્વ આપે છે. મને-તમને-સૌને મરણ સમયે સમાધિ ટકી રહે તે રીતે કરેલ આ સુવિસ્તૃત અન્તિમ આરાધના આપણા સૌના જીવનમાં ચરિતાર્થ બને, એ જ કરબદ્ધ પ્રાર્થના. – મુનિ દીપરત્નસાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy