SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર માટે હે જીવ! તું પણ ચારે આહાર ને તજી દઈને અણાહારી પદની ભાવના કરતા સમાધિ મરણ માટે પ્રયત્ન કર. ૦ હે જીવ! ચારે પ્રકારને આહાર, જીવને છકાય જીવ સમુદાયના વિનાશ કર્યા વિના, કરાવ્યા વિના, અનુમોદ્યા વિના પ્રાપ્ત થતી નથી. આ વિરાધના ભવભ્રમણ સંબંધેિ દુઃખના કારણભૂત છે માટે તે આહારને તું તજીદે. ૦ જે ચાર પ્રકારનાં આહારનું ભાવપૂર્વક પ્રત્યાખ્યાન કયે છતેત્યાગ કર્યો અને જવાને દેવેન્દ્રપણું અને સિદ્ધિ સુખ પણ સુલભ છે. માટે હે જીવ! તું ચારે પ્રકારના આહારને તજી દે. ૦ તે ઘન્ના અને શાલીભદ્ર ને ધન્ય છે, મેઘકુમારને પણ ધન્ય છે જેણે શરીરનું મમત્વ છોડી, આહારની લાલસા છોડી અને દુર્લભ એવા અનશનના પરિણામ કર્યા તો મેક્ષ અને દેવતાની પદવી પ્રાપ્ત કરી. માટે જીવ! તું પણ આહાર લાલસા છોડી અનશન ના પરિણામ ને ધારણ કર. ૦ ઢઢણ કુમારે છ માસ પરિષહ સહ પણ અસન-પાન (આહાર) લીધાં નહીં શ્રી ઋષભદેવ પરમાત્માએ એક વર્ષ આહાર ન લીધે કેટલાંયે ત્રષિ મુનિઓએ પણ અંત સમય જાણ અનશન કર્યા તે ગાઢ કર્મોની નિર્જરા કરી. તે રીતે હે જીવ! તું પણ ચારે આહારનો ત્યાગ કર. છેવટે મુઠસી–ગઠસી પરચખાણ કરીને પણ સતત આહારત્યાગના પરિણમને ધારણ કર. --કારણ- તું આ આહાર નિમિત્ત સર્વનરકને વિશે કે સવ મલેછ જાતિમાં ઉપચો છે. સંસાર ચકને વિશે અનેક પુદ્ગલો આહારપણે પરિણમાવ્યા છતાં તૃપ્તિ પાપે નહીં. હવે તે હે ચેતન ! તું એટલું જ વિચાર કે “શું મેં ભોગવીને છાંડયું નથી. તે હવે જીવનને કાંઠે પહોંચેલા એવા મારે આહાર વડે શું કરવાનું ?” આવી ઉત્તમ ભાવના ભાવી–ચિંતવના કરી, આહાર મમત્વને હું ઘટાડી રહ્યો છું મુઠ્ઠી સહાય પચ્ચકખાણ કરવા વડે તેમજ વિવિધ અભિગ્રહ કરવા વડે હવે વારંવાર આહાર ત્યાગ કે તેની આસક્તિ ત્યાગ માટે પ્રવતુ છું છેવટે ચારે આહાર ત્રિવિધ વોસિરાવવાની ભાવના રાખું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy