SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯િ૨ સમાધિ મરણ ૦ વેદનીય વગેરે ચાર કર્મો જ જ્યાં વર્તતા હશે. ૦ સઘળા પુદગલ સંબંધ છેડી અગી કેવળી થઈ શ. ૦ પરમાણુ માત્રની સ્પર્શના વિનાનું નિષ્કલંક શુદ્ધ ચેતન્યસ્વરૂપ પ્રગટશે. ૦ સિદ્ધ શિલા પર સાદિ અનંત સમાધિ પામીશ. –અપૂર્વ અવસર એ કયારે આવશે –મારા ગજા વગરના આ મનોરથો પૂર્ણ થશે [૮] અન્ય મનોરથ : ૦ મારો એ પદય કયારે થશે કે કલ્યાણકોની આરાધના કરતા કરતા એક દિવસ હું સાક્ષાત્ પરમાત્માના કલ્યાણક ને નજરે નિહાળનારો કે તે કલ્યાણકની ઉજવણી કરનારો થઈશ? ૦ તીર્થંકર પરમાતમાના કલ્યાણ કેથી પવિત્ર બનેલી તીર્થભૂમિ અનેક શ્રમણ-શ્રમણીના મોક્ષગમનથી પવિત્ર બનેલી તીર્થભૂમિ આદિ તીર્થોની યાત્રા કરનારા તથા ઉદ–અધ-તીર્થોલોકમાં રહેલા શાશ્વતા જિનાલ અને જિનબિંબોને કારે હારવા વાળ થઈશ? ૦ અનેક જિનમંદિરોના જિર્ણોદ્ધાર કરાવી, નુતન જિનાલય ના નિર્માણ કરાવી, નુતન જિનપ્રતિમાજીની પ્રતિષ્ઠાદિ કરાવી. પ્રાચીન જિનબિંબોની પૂર્ણ સાચવણી કરાવી, લોકેને એ રીતે દર્શનપૂજનાદિ અભિમુખ રાખી સંપ્રતિ રાજાની માફક શાસન પ્રભાતનાદિ કાર્યો કરનારો કયારે થઈશ ? ૦ આગમ, પ્રાચીન શાસ્ત્રો, પુસ્તકે આદિ કૃત સાહિત્યને લખાવવા-છપાવવા-સાચવવા વાળે અને એ રીતે મૃતભકિત કરનારે કે જ્ઞાનની આરાધના કરનાર કયારે થઇશ? ૦ સંભવનાથ ભગવંતના પૂર્વભવમાં તેના જીવે, જગડુશાહે, ખેમા દેદરાણીએ જે રીતે દુષ્કાળ પીડિત લેકના દુઃખો દૂર કર્યા, અનાજ નું છૂટે હાથે દાન કર્યું પણ લેકેને દુષ્કાળમાં રાહત આપી તે રીતે હું પણ કયારે લોકેના દુઃખ-દારી દૂર કરનારો બનીશ? સત્વહિન, ગમાર. નબળો એ હું ગજા વગરના આવા કેટલાય. મનોરથ કરું છું. આ તો કેવળ મારા મનના ભાવે વડે હું ભાવના ભાવી રહ્યો છું. પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી મારા આવા મને રથ પૂર્ણ થાય એ અપૂર્વ દિવસ ક્યારે આવશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy