SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ કંઈ રાગથી તે અહીં બેઠો નથી, એકાદ ક્ષણમાં ચાલ્યા જશે તેને શ્રેષ કે કેધ નથી. એમ જ આવ્યા છે. તો મારે શી સમતા ગુમાવવી? બંધક ઋષિના ૫૦૦ શિષ્ય વાણીમાં પીલાયા તે પણ સમતા તજી નહીં, તે અંતકૃત કેવલી થયાં. હે જીવ! હું પણ કયારે આવ્યો સમતા ભાવ ધારણ કરીશ? (૫) કયારે પ્રાપ્ત થશે એ પંડિત મરણ? મારા બધાં દેની આલોચના કરી નિઃશલ્ય થઈ સર્વ જીવરાશી ને ખમાવી બધા વ્રત સંભાળ અને અઢાર પાપસ્થાનકને ત્રિવિધે ત્રિવિધ વોસિરાવી નિર્મલ બનેલો એવો ક્યારે હું પંડિત મરણ પ્રાપ્ત કરીશ. ચારે આહારના પચ્ચખાણ કરી આહાર, ઉપાધિ અને છેલ્લાં શ્વાસે આ શરીરને પણ સિરાવી, ચાર શરણ ગ્રહણ કરી. આરાધના મય બને એ જ્યારે હું પંડિત મરણ પ્રાપ્ત કરીશ. પાચ્ચ સ્થાને બિરાજતાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરી, જિન કથિત ધર્મને આરાધ એ હું શરીરને મેહ ઉતારી પાદપપગમન સંથારાને સ્વીકારી નિઃશલ્ય બની સ્વદેષ આલોચન પ્રતિક્રમણ કરીને કયારે સમાધિમય એવા પંડિત મરણને પ્રાપ્ત કરીશ. ધન્ય હશે એ વેળા, ધન્ય હશે એ દિવસ જ્યારે મારી આ ભાવનાઓ હું પરિપૂર્ણ કરી શકીશ. (૬) જ્યારે હું પ્રતિલાભશ. છદ્મસ્થાવસ્થામાં વિચરતા એવા અહિને, કેવલી મુનિવરોને મનઃ પર્યવજ્ઞાની–અવધિજ્ઞાની–ચૌદપુવી—દશપૂવી–વિશિષ્ટ પ્રકારે તપ કરતા તપસ્વીઓને, લબ્ધિવંત મુનિ ભગવંતો, અરિહંતાદિકની વૈયાવચ્ચ કરતા મુનિ ભગવંતે, ગ્લાન-બળ-શૈક્ષ આદિ મુનિઓ–લેચ કરાવેલા મુનિ, વિહારથી શ્રાન્ત બનેલા મુનિ, અધ્યયનાદિમાં શરીર શેષવતા મુનિ, વાચનાદિ વડે શ્રી સંઘને અનુપમ ઉપકાર કરનારા મુનિઓને નિર્દોષ અન-પાન–વસ્ત્ર–પાત્ર–વસતિ આદિ નિરાસત ભાવે હું વહોરાવનારો કયારે થઈશ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy