SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર (૩) કયારે આવશે એ આરાધક ભાવ? બંધક અણગારે તપ કરીને કાચા શાષવી દીધી. માત્ર આત્મ બળથી ચાલે છે, સુકા લાકડા, કે સુકાં પાંદડા ભરેલ ગાડી ચાલે ત્યારે જેવા ખડખડ અવાજ થાય તેવો અવાજ બંધક અણગારને ચાલતા થાય છે. પણ તપ વડે શોભી રહ્યાં છે. રાત્રે ધર્મ જાગરિકા કરતાં વિચારે છે. મારી આ દુર્બળ અવસ્થામાં ઉત્થાન-કર્મબળ–વિર્ય અને પરાક્રમ પણ છે. વળી મારા ધર્માચાર્ય શ્રમણ શ્રેષ્ઠ મહાવીર પ્રભુ પણ વિચારી રહ્યા છે. ત્યાં સુધીમાં મારું અંતીમ કલ્યાણ સાધી લઉં. આવતી કાલે સવારે પ્રભુને વાંદી, પર્યું વાસના કરી, અનુમતી લઈ, ફરીથી પાંચ મહાવ્રત ઉચ્ચરી, સાધુ–સાવીને ખમાવી ચગ્ય વીરો સાથે વિપુલગિરિ પર ધીમે ધીમે ચડી, પૃથ્વી શિલાનું પ્રતિ લેખન કરી, ડાભને સંથારો પાથરી, અનશન કરી મરણની પ્રતિક્ષા કરતા વિચરીશ. કયારે ધારણ કરીશ હું આવે આરાધક ભાવ? કયારે માત્માનું આવું મિલન થશે? કયારે હું પણ આવા તપથી કાયા શાષવી અંતિમ આરાધનાને સાધીશ ! (૪) કયારે હું સમતાને ધારણ કરીશ? હે જીવ સુખદુખનું કારણ કેવળ પોતાના કર્મ છે માટે સમભાવમાં લીન થવું જોઈએ. આપ કરણીનું જ ફળ છે. તે વાત સમજી બીજા પર દ્વેષ ન કરતા સમતા ધારણ કરવી. બીજા તે નિમિત માત્ર છે. નરકમાં ઉત્પનન થયે ત્યારે આ જીવે અશાતાજન્ય તીણ કટુ દુખ રહ્યા છે. તેની તુલનાએ આ ભવન જવરાદિ વ્યાધિ તો લેશ માત્ર પણ નથી. હે જીવ! વેદના તો શરીરને છે તેમાં તું શાને સમતા ગુમાવે છે. શરીર અને આત્મા જુદી વસ્તુ છે શરીર તે કૃતજ્ઞ છે. નારકીમાં જે વેદના ભેગવી તેના અનંતમાં ભાગે પણ આ કઈ દુઃખ નથી છતાં સમતા શા માટે ગુમાવે છે? હે જીવ! કુંથુઆ જે નાને જીવ પણ આ મલિન શરીર પર હાલે–ચાલે ત્યારે તેને વિનાશ ન કરતાં વિચારે કે આ અતિ સુક્ષમ જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy