SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સમાધિ મરણ હશે! જ્યારે હું આવા બાહ્ય પરિગ્રહને સર્વથા છેડીને સંપૂર્ણ પરિગ્રહથી વિરમી સંતોષ અને નિર્લોભતા ગુણને ધારણ કરીશ. ધન્ય હશે એ દિવસ જ્યારે અત્યંતર પરિગ્રહથી મુક્ત એ હું ખરે નિર્ગસ્થ બનીશ (ર) કયારે હું અણગાર બનીશ? કયારે આવશે એ દિવસ જ્યારે હું ધન્યકુમાર, શાલીભદ્ર, અવંતિ સુકુમાર, સુબાહુકુમાર, મેઘદુમાર વગેરેની માફક આગાર (ઘર) છોડી અણગાર બનું! દશ પ્રકારના યતિધર્મને ધારણ કર્યું નવ પ્રકારની વાડે બ્રહ્મચર્યનું પાલન કરું, સર્વ સાવદ્ય પરિહાર કરું પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુકત અને જયણાનો પાલનહાર બનું. ઉગ્રવિહારી અને ઘેર અભિગ્રહ ધારી બનું, બેતાલીશ ષ સહિત વિશુદ્ધ આહાર ગ્રહણ કરતો અને પાંચ દેષ ટાળીને વાપરતો થઉં. બાર પ્રકારના તપ અને સત્તર પ્રકારના સંયમને આદરનાર થઈશ, સસ વિરસ તુચ્છ લુફખા આહારને ધન્ના અણગારની જેમ વાપરુ, અઈમુતા જેવી જીવ દયાને ચિંતવને અને મેતાર્ય આદિ મુનિ જેવો સમતા–ધારી શ્રમણ કયારે થઈશ. કારે ધારણ કરીશ સારવી પુષ્પચુલા જેવો વૈયાવચ્ચ ભાવ. અણગાર બનેલો એ શુન્ય ગૃહમાં શમશાનમાં—અરણ્યમાં પહાડોમાં કયારે કાયાનું મમત્વ છોડીને કાઉસ્સગ્ગ ધ્યાન ધરીશ. પક્ષીઓ મારા શરીરે માળા બાંધતા હોય, વેલડીઓ વીટાતી હોય, પશુ નિભિક પણે સીંગડા ઘસતા હોય તે પણ ધ્યાનમાંથી ચલીત થયા વિના અણગણત્વને પાળનારો બની શ. વિધિ બહુમાનપૂર્વક ક્રિયા કરતે દેવ ગુરુના વિનય બહુમાનને ધરત, શુદ્ધ દર્શન માટે શ્રદ્ધામય જીવન જીવતો પ્રથમ અંતિમ પરસીમાં સ્વાધ્યાયને કરતો, ચારિત્રના તીવ્ર રાગમાં મનને પરોવતે કયારે હું સ્નાતક બનીશ. ધન્ય હશે તે દિવસ! જ્યારે શુદ્ધ અણગારત્વ પ્રાપ્ત કરી આ બઘાં મને રથને પામીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy