SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૦ ધર્મ કિયા વગેરે મત્સરથી, ભયથી, લાલચથી કરી, પરજન રંજન માટે ને વેશ ભજવ્યો, ૦ જીભ-લક્ષમી અને સ્ત્રી જે ત્રણ પાપના મૂળ છે તેની જ ચિંતામાં ભવો પુરા ક્ય, ૦ પતે અશુદ્ધ હોવા છતાં મેં બીજાને શુદ્ધ આલોચનાની પ્રેરણા કરી અને ખુદ પાપના ફંદામાં ફસાયે-ત્રત વિરાધ્યા હોય. 0 અછતાં ગુણની પ્રશંસા સાંભળી હર્ષ ધર્યો અને છતાં દોષને સાંભળીને કહેનાર પર મેં ઠેષ ધર્યો. a નિશ્ચય પંથને મેં જાણ્યું નહીં અને વ્યવહારમાં જ વિહર્યા કર્યું એ રીતે મનથી નિઃશંક બની અસદાચારની સ્થાપના કરી. ૦ સમય–સંઘયણ આદિ કારણે શુકલ ધ્યાન આવતું નથી અને સ્વપ્નમાં પણ ધર્મધ્યાનને હું ઘરસ્તો નથી. માત્ર આ રૌદ્રધ્યાને જ વચ્ચે છું. - ઉદર ભરણાદિ કૃત્ય માટે હે પ્રભુ! મેં આપના દર્શન અને પર્શન કર્યા પણ તત્વની પ્રિતિ કે પ્રતિતી માટે આપની સેવન ન કરી. ધર્મ કથા થકી પણ મેં મારી અને બીજાની વંચના કીધી– ધર્મ પણ ભાંડ ભવાયા પેઠે સેવ્ય-ધર્મના નામે અર્થ અને કામને પૂર્યા. ભક્ષ્યાભઢ્યને વિવેક ન કર્યો, કષાયથી કલુષિત મન વાળો રહ્યો, અનંતીવાર ત્રણ રન્ને હાથમાં આવ્યા છતાં પ્રમાદથી તેને ગુમાવી દીધાં. ૦ વિદ્યા વાદને માટે કરી, ઉપદેશ જનરજવા કર્યા, મનમાં સંવેગ-નિર્વેદ ન ધર્યો, વિવિધ ત્રિવિષે વારંવાર પ્રતિજ્ઞા ઉચ્ચારવા છતાં વારંવાર તેને ભંગ કર્યો. ૦ મારા પિતાના સુખ માટે અનેક આરંભ ચિંતા કીધા, જયણા ન પાળી, વ્રત-નિયમ ભાંગ્યા, વિણખાધાં–વિણભગવ્યા મેં કર્મ બાંધ્યા. આ રીતે મિથ્યાત્વ- અવિરતિ-કક્ષાય- પ્રમાદ-અનાચરણ–અવિધિ આદિ અનેક કારણે સર : ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy