________________
ચૈત્યવંદનમાળા
સ્વર્ણગુફા પશ્ચિમ દિશે એ, એ છે જાસ અહિઠાણ, દાન સુરંકર વિમલગીરિ, તે પ્રણમું હિત આણ૩....
સગરાદિક નરપતિ અનેક, ઈણે પર્વત આવ્યા, વિવિધ વિચિત્ર વિરાજમાન, પ્રાસાદ કરાવ્યા...૧... ભક્તિ ધરી જિનવર તણી, બહુ પ્રતિમા થાપી, તિણે મહીયલમાં તેહની, કરતિ અતિ વ્યાપી...૨. સુરપતિ નરપતિના થયા એ, ઈહાં બહુત ઉદ્ધાર, તે શત્રુંજય સેવી, દાન સકલ સુખકાર....૩
એહ ગીરિ ઉપર આદિદેવ, પ્રભુ પ્રતિમા વંદે, રાયણ હેઠે પાદુકા, પૂજી આણંદ..૧... એહ ગીરિને મહિમા અનંત, કુણ કરે વખાણ, ચૈત્રી પુનમને દિન, તેહ અધિકે જાણ... ૨ એહ તીરથ સેવા સદા એ, આણી ભક્તિ ઉદાર શત્રુજય સુખદાયકે, દાનવિજય જ્યકાર...૩....
ચૈત્રી પુનમને દિને, શત્રુંજય ભેટે, ભક્તિ ધરે જે ભવ્ય લેક, ભવ દુ:ખ મેટે...૧ આદિશ્વર જિનની અમૂલ, પૂજા વિરચાવે, ઈતિ ભીતિ સઘળી ટળે, સુખ સંપદ પાવે.... ૨ પરમાતમ પરકાશથી એ પ્રગટે પરમાનંદ, શ્રી વિજયરાજસૂરીશ્વરુ, દાન અધિક આણંદ.૩....
તરણ તારણ મુગતિ વારણ, સુગતિ કારણ જગગુરૂ, ભવભ્રમણ કરતા મનુષ્યની, વાંછિત કરવા સુરતરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org