SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ યશોવિજયનું પ્રદાન તત્કાલીન મધ્યકાલીન પરિસ્થિતિની ઉથલપાથલ વચ્ચે ગુજરાતનાં ભાષા-સાહિત્ય-ધર્મ-સ‘સ્કાર-જીવનવ્યવસ્થાદિના સંરક્ષણની સેવા તેા જૈન-સમાજે કરી છે જ. એનું કેવળ ઐતિહાસિક મૂલ્ય નથી. એણે આજના જીવન-વહેણને ય ચથાયાગ્ય દિશા ચીંધવામાં કીમતી કાર્ય કર્યુ” છે. શિલ્પ, સ્થાપત્ય, ભાષા સાહિત્યનાં વિવિધ સ્વરૂપે, રોજિંદી ગૃહચર્ચાથી માંડીને સામાજિક રહનસહન ઉપરાંત મેટાં પ્રજાકીય પ્રસ્થાના, એમ વ્યાપક પટ પર જૈન સમાજે ઊંડી અસર કરી છે, એટલું જ નહિ, યેાગ્ય નિર્દેશાયું છે તેમ “ ગુજરાતી ભાષાને કરેલાં અપાથી ( જૈનાએ ), એ ભાષાના સાહિત્યના ખરા ઉદય-કાલ છે.” ૧ ભાષાના પ્રજાકીય પાત તથા તેના ફરકાટ-એજસ સાથેના સ`બધ શ્વેતાં આ વિધાન મદશી ગણાય. ત્યાં જ લેખકે વધુમાં સ્પષ્ટતા પણ કરી છે અને એ મહત્ત્વની છે જ, કે ધ'રંગ પાકા કરાયા તે સાથે સસાર ચિત્રા ચે ઢારાયાં, આ ખીજે મુદ્દો ઘણીવાર ધ્યાનની બહાર જતા હોય છે. એ પણ લેખક ચીંધે છે કે સંસ્કૃતનું પ્રેરણાપાન એમાં હતું. અર્થાત્ દેશની સમગ્ર સસ્કૃતિધારા સાથે એ રીતે એના સંવાદહતા અને તેથી એમાં દૃઢમૂલની સપત્તિયે આપાઆપ નિહિત હતી. અને પ્રગટતી હતી. ઉપર સૂચિત છે જ એ વાત સાહિત્યસ્વરૂપે। અને સસ્કારની જૈન અને અજૈનમાં એવી આપ લે થઈ છે કે સવા સંસ્કારન! સ ંઘાતને આપણે ગુજરાતી વિશિષ્ટતા કહી શકીએ.” એ સમગ્રલક્ષી, સારદશી વિધાનમાં સુપેરે પ્રગટ કરાઈ છે. બલકે એમાં તથ્ય પૂરા મમ સહિત કથાયું છે. હેમચ’દ્રાચાય થી માંડી વા. મા. શાહાદિના અણુનું બહુ મૂલ્ય આ સ્વરૂપે છે. એ વિધાનકારે એ ય નોંધી આપ્યુ છે જ કે, પ્રબ`ધ ઉપર રાસ-રાસાની,આખ્યાન પર પ્રખ’ધની, ભજન–ગરખી ઉપર જૈન ગીતની સ્વરૂપષ્ટિથી અસર પડી છે. મધ્યકાલીન ભાષા-સાહિત્ય-જીવનની વ્યાપક સ્વરૂપે ગુજરાતી અર્વાચીન ભાષા-સાહિત્ય-જીવનની સાથેની કડી છે, એ દૃષ્ટિએ મુદ્દો મહત્ત્વના છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા-સાહિત્ય-સ`સ્કાર પરત્વે ગુજરાતી સમાજ જો સંતા, ભક્તાના ઋણી છે, તા જૈન ૧ - ગુજરાતી સાહિત્યની રૂપરેખા ’ વિ. ક. વૈદ્ય (પૃ. ૧૨) ૨ ગુજરાત, એક પરિચય' (સાહિત્ય ખડ)-વિ. ૨. ત્રિવેન્રી ( પૃ. ૩૧૯ ) 6 Jain Education International --પ્રા. હ્રસિત હું સૂરિએ-આચાર્યાના ચે ઘણા ઋણી છે. અર્વાચીન કાળે એ કર્તવ્ય વિશેષપણે ખજાવ્યુ. શિક્ષકે, પત્રકારે, વકીલે. જે જમાનામાં આજની અવરજવર-સપ–વિનિમય–પ્રસારણની સગવડ ન હતી ત્યારે જૈનધમસેવકા કે અન સ`તાએ ગજબ વ્યાપક-ઊંડી અસર કરી કહેવાય. બહેાળા ગુજરાતી જનસમાજ તે હજીયે સૂરિ-સ ́તભક્ત-કીર્તનકારના સંસ્કાર પ્રસાર તળે વધુ સહજપણે વહે છે. સમાજને એના શબ્દમાં, સાન્નિધ્યમાં પૂરો વિશ્વાસ અને શાંતિ યે છે. આ સાફ હકીકત અવગણવી પરવડે જ નહિ, પરંતુ અંગ્રેજોના શાસન તથા પ્રભાવની જમાવટ પૂવે તેા સૂરિ—સ'તની અપીલ માત્ર વ્યાપક નહિ, ઊંડાણુની દૃષ્ટિથી યે ચક્રવતી શી હતી. એ આખા ગાળાના ઉત્તરાર્ધમાં ગણાય એવા કવિ યોાવિજ્યજીનું અર્પણુ ભાષા-સાહિત્ય-સંસ્કારની દૃષ્ટિએ આજે ય માનપૂર્વક સંભારવા જોગુ છે. એમના સમય તે, છે. ૧૬૨૩ અને ૧૬૮૭ વચ્ચેનો છે. કેટલાકને મતે ઈ. ૧૫૮૯થી ૧૬૮૭ના ખરા; પરંતુ સમકાલીન કાન્તિવિજયના સુજસવેલી ભાસ'ને આધારે ઈ. ૧૯૨૩ના પ્રારંભકાળ સ્વીકારવા યાગ્ય છે. આમ મહેાપાધ્યાય ન્યાયાચાય,કવિ યશે(વિજયજી ઈસુના સત્તરમા સકાના ગણાય. એ સૈકામાં આખ્યાન કાવ્યના કલાસ્વામી ભટ્ટ પ્રેમાન' ગુજરાતને સાંપડે છે. પ્રથમ સ્વતંત્ર કવિતા આપતા પારસી કિવ પેખાદ રૂસ્તમ પેશે।તન પણ એ સદીના જ છે. જ્ઞાની કવિ અખા ચે આ સૈકાના મહત્ત્વના સૌંસ્કાર વિધાયક. સેાળમા સકાના ઉત્તરાની પાછલી પચીસીથી મુગલ અમલે ગુજરાતમાં વ્યવસ્થા, આબાદી, શાંતિ આણી તે સત્તરમી સદીમાં સંસ્કાર ફુવારાઓના આવા પ્રાગટથમાં નિમિત્ત ગણવી ઘટે. ઉ. યશાવિજયજી આ સમયની સ્વસ્થતા વચ્ચેના યાત્રિક છે. વિશિષ્ટ પ્રતિમાવત જ્ઞાની કવિ મુને આનંદઘનજી, નલદવદ'તીરાસ 'ના સુજ્ઞાત કવિ સમયસુંદર, ‘સ્થૂલભદ્રરાસ'ના કવિ ઋષભદાસ, કનક સુંદર, નૈમિવિજયાદિ વાર્તાકારાની માટી એવી જૈન સાહિત્યકારાની સેવાઆપણુ ગુજરાતને મળી, તે આ સત્તરમી સદીમાં, ચેાગ્ય કહેવાયુ છે કે આ સકાના સાહિત્યફાલમાં વવેધ્ય-યત્તા-ગુણવત્તાની સમૃદ્ધિ છે. 6 કવિ ન્યાયાચાય . યવિજયજી સવાસેાથી યે વધુ ૩ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય': અ, મ, રાવળ : પૃ. ૧૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy