SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ જેનરત્નચિંતામણિ પણ નહિ કરતો નથીમાં મે કામ લટકી ગયા તે નરકનું બંદીખાનું છે તેનું ભાન મને અધમને કદી પણ ન થયું. (૨૧) મારા જન્મની નિષ્ફળતા સ્થિત ન સાહૂદિ સાધુવૃત્તાત્, પરોપકારાન્ન યશૉડજિં ચ | કૃત ન તીર્થોદ્ધરણાદિકૃત્ય, મયા મુધા હારિતમેવ જન્મ છે ૨૧ છે હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પરઉપકારનો યશ પણ ઉપાર્જન નવ કર્યો વળી તીર્થનાં ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફેગટ અરે આ લક્ષ ચોરાશી તણ ફેરા ફર્યા. અર્થ :- સારા વર્તનથી ઉત્તમ પુરુષના હૃદયમાં મેં સ્થાન ન મેળવ્યું, બીજાનું ભલું કરી મેં કીતિ પણ પ્રાપ્ત ન કરી, તીર્થોદ્ધારાદિક કાર્યો પણ મેં ન કર્યા, મેં તો મારો જન્મ વ્યર્થ ગુમાવ્યો !! (૨૨) સંસારસમુદ્રનો પાર ઊતરવા માટે સાધનને અભાવ વિરાગ્યરગે ન ગુરુદિતષ, ન દુર્જનાનાં વચનેષુ શાંતિઃ નાધ્યાત્મલેશો મમ કોપિદેવ, તાર્ય કથંકારમયં ભવાબ્ધિઃ | ૨૨ છે ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણું વાક્ય મહીં શાંતિ મળે કયાંથી મને તરૂ કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તુટેલ તળીયાને ઘડો જળથી ભરાયે કેમ કરી? અર્થ - ગુરુમહારાજનાં વચનથી મારા મનમાં વિરાગને રંગ જામ્યો નહિ, તેમજ દુર્જનનાં વાક્યો સાંભળી હું શાંતિ રાખી શક્યો નહિ. હે દેવ! અધ્યાત્મ જ્ઞાન જેવું તો મારામાં જરા પણ છે જ નહિ, ત્યારે આ સંસારસમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે? (૨૩) ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણે જન્મ હુ તો હાર્યો !! પૂર્વ ભડકારિ મયા ન પૂણ્ય મેગામિ જન્મપિ નો કરિષ્ય યટીદશેહ મમ તેને નષ્ટા, ભૂતભવદ્દ ભાવી ભવત્રીશ ૨૩ છે મેં પરભવે નથી પુન્ય કીધું ને નથી કરતો હજી, તે આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી; ભૂતભાવીને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. અર્થ :- આગલા ભવમાં મેં કાંઈ પુણ્ય કર્યું નહિ, આ ભવમાં કરતો નથી તેમ હવે ભવિષ્યમાં કરી શકીશ પણ નહિ; હે ત્રણ જગતના નાથ! હું તો આવો હોઈને મારા ભૂત, વર્તમાન તથા હવે પછીના બધા જન્મ વ્યર્થ ગયા-નાશ પામ્યા. (પૂર્વ ભવે પુણ્ય કર્યું હોત તો અહી ધર્મ કરી શકત, અહીં ધર્મ કરતા તે આગળના ભાવમાં સારી સામગ્રી મળત, તેથી ત્યાં પણ ધર્મ કરી શકત, આમ ન થવાથી મારાં તે ત્રણે ભવ બગડ્યા. ) (૨૪) પ્રભુના સર્વશત્વનું સૂચન કિં વા સુધાહ બધા સૂધામુફપૂજ્ય! વદ ચરિત સ્વકીય જઃપામિ યસ્માત ત્રિજગસ્વરૂપ નિરુપકરર્વ કિયતદત્ર છે ૨૪ છે અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું? હે દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતા તણું; જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂ શું માત્ર આ, જ્યાં કોડનો હિસાબ નહિ ત્યાં પાઈની તે વાત ક્યાં? અર્થ :- દેવને પૂજવા ગ્ય હે પ્રભુ! મારું ચરિત્ર આપની સન્મુખ હું આથી વધારે નકામું કેટલુંક કહું કારણ કે આપ તો ત્રણ જગતના સર્વ સ્વરૂપને પ્રત્યક્ષ દેખી શકો છે, તો પછી મારું ચરિત્ર આપ જાણો તેમાં તે શું નવાઈ? (૨૫) છેલી આંતરિક વિજ્ઞપ્તિ દીનો ધારધુરંધરસ્વદપર નાતે મદન્યઃ કૃપા, -પાäનાત્ર જને જિનેશ્વર તથાÀતાં ન યાએ શ્રિયમ , કિંવહત્રિભવ કેવલમહો સધિરત્ન શિવ, શ્રીરત્નાકરમંગલક નિલય શ્રેયસ્કરં પ્રાર્થયે ૨૫ છે હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ; હારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હેવિભુ; મુક્તિ મંગળસ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષમી તણી, આપ સમ્યગરત્ન શ્યામજીવને તે તપ્તિ થાયે ઘણી ! અર્થ :- હે જિનેશ્વર ! મારા જેવો મુજ રંકને ઉદ્ધારનાર કઈ પ્રભુ નથી, તેમ મારા જેવું કૃપાનું પાત્ર પણ કેઈ નથી, તે પણ હું કાંઈ આપની પાસેથી ધન માગતો નથી, પરંતુ મોક્ષરૂપ લક્ષમીના સમુદ્રસમાન તથા મંગળમય એક સ્થાન એવા હે જિનેશ્વર પ્રભુ! હું તો ફક્ત સર્વ શ્રેયસાધક સમ્યફવરત્નની જ પ્રાર્થના કરું છું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy