SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1213
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ-૨ કેશવલાલ નાનચંદ એન્ડ કુ. શરૂ કરી. પરમાત્માએ ચારી આપી. કુટુંબ વાત્સલ્યતા અને સમાજસેવા તેમના ધ્યેયમંત્રી બન્યા. પૂજ્ય પિતાશ્રીને મણિમહત્સવ દહીંસર મુકામે આનંદ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો. નવી જૂની પેઢીને અનુરૂપ દોરવણી આપતા રહ્યા છે. તેમનાં વિચારો પ્રેરણાદાયી, ઉમદા તેમજ ઉદાર દષ્ટિવાળા રહ્યાં છે. વ્યવસાયથે બીની મિલસની ડીસ્ટ્રીબ્યુટરશીપમાં શ્રી કેશવલાલભાઈ એખરાનું સ્થાન ધરાવે છે. હમણાંજ શ્રી કાંદીવલી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન મિત્ર મંડળને ઉદ્યોગગૃહ માટે તેઓએ તથા તેમના ધર્મપત્ની સૌ શ્રીમતિ અનપબહેનને ઉદારદાન આપી એક નવું પ્રસ્થાન કરવા પ્રેરણું આપી છે. એટલું જ નહીં પણ કેળવણીના વિકાસ અને પ્રગતિ માટે માતબર રકમનું બીજું દાન આપી મંડળને ચિંતામુક્ત બનાવેલ છે. તેમના પૂજ્ય વડીલ શ્રી કરશનદાદાની અમર યાદગીરીમાં શ્રી નાનચંદ મૂળચંદ અને શ્રી અમીચંદ દામજી પ્રેરીત શેઠ શ્રી કરશન જીવન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં અગ્ર ભાગ લીધેલ છે. આ ટ્રસ્ટના શ્રી કેશુભાઈ એક ટ્રસ્ટી છે. ખૂબજ પુણ્યોદયના પ્રતાપે જ તેઓશ્રીના સુપુત્રી શ્રી ચંદ્રકાન્તભાઈ, શ્રી સૂર્યકાન્તભાઈ, શ્રી નવનીતભાઈ સૌ પિતાશ્રીના પગલે ચાલી સેવા સમાજ કલ્યાણના કામોને હંમેશાં અનુમોદન આપતા રહ્યા છે. શ્રી કેશવલાલભાઈને સહધર્માચારણી સૌ. શ્રીમતિ અનેપબહેન પણ સરળ ધર્મભાવનાવાળા, કુટુંબ વાત્સલ્ય અને સેવાપ્રિય છે. તેઓ શાસનસેવાના ક્ષેત્રે વધુ યશકીર્તિ પ્રાપ્ત કરે અને સેવાને દીપ ઝળહત રહે એ જ અભ્યર્થના! પિતાના પુત્ર અને કુટુંબની ઐકયતા જળવાઈ રહે તે ભાવનાથી ગોરેગામમાં લીમીકુંજમાં આખુંય કુટુંબ રહી શકે તેવી સુંદર વ્યવસ્થા કરી છે. ૭૩ વર્ષની ઉંમરે લીલીવાડી અને બહેળે પરિવાર પુત્રોને સોંપી ચીર શાંતિમાં પોઢી ગયા. મહેસાણાના વિદ્યાથીગૃહ તથા ગોળ અને સ્નેહીજનોને તેમના જેવા સહૃદયી આત્માની ન પુરાય તેવી ખોટ પડી છે. શ્રી કાંતિલાલ ચુનીલાલ ચેકસી વિ.સં. ૧૯૭૧ના આસો સુદ પના શુભ દિવસે નવાપુરામાં કાંતિલાલને જન્મ થયો હતો. માત્ર પંદર વર્ષની કુમળી વયમાં જ કમાવાની જિજ્ઞાસાથી મુંબઈ આવ્યા. શરૂઆતમાં કાપડની દુકાને મામુલી માસિક વેતન અઢારથી નોકરી કરી. પોતાનું એક આગવું સરકલ જમાવીને સ્વતંત્ર રીતે સોના-ચાંદી તથા યાને તેમજ હીરાના ધંધામાં ટૂંક સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધીને નામાંકીત વેપારી તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેઓશ્રીના કુશળ સંચાલન હેઠળ મેસર્સ કાન્તીલાલ ચુનીલાલ ચોકસી એન્ડ કું. “શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ, બાલગોપાલ સાઇઝીંગ વકર્સ, પ્રીમીયર ડાયમંડ, બધુ જેમ્સ ઈન્ટરનેશનલ, કન્સ્ટ્રકશન લાઇનનું જીવંડીમાં તથા નાલાસોપારા વિગેરે સ્થળોએ પ્રગતિ સાધી છે અને મોટા પાયા ઉપર કામ ચાલી રહ્યું છે. ચંદનબાલા એપાટમેન્ટ સોસાયટીના તેઓ પ્રમુખ છે. ૩૫૦ જૈન કુટુંબના પ્રશ્ન હલ કરવા કાંદીવલીમાં મહાવીર નગર સોસાયટી રચી. આત્માનંદ જૈન સભાના ઉપપ્રમુખ તરીકે છેલ્લા સાત વરસથી તેઓશ્રી મહાવીર. જનરલ હોસ્પિટલ સુરતના સભ્ય છે અને શ્રી વિજય વલભ જૈન હોસ્પિટલ વડોદરાના મુંબઈ ખાતેની સમિતિના સભ્ય છે. પિતાના મૂળ વતન નવાપુરા ગામમાં નાની મોટી દરેક સંસ્થાઓમાં તથા શ્રી ઉમેટા સભા જૈન કેળવણી મંડળમાં પણ ઉદાર, હાથે માતબર દાન આપેલ છે. શ્રી કાન્તિલાલ ઉજમલાલ શાહ જેમનું સમગ્ર જીવન એક પ્રાર્થના-આરાધના છે એવા ૬૫ વર્ષની ઉંમરના શ્રી કાન્તિલાલ ભાઈ પાલનપુરના વતની છે. તેઓ પચ્ચીસ વર્ષથી ઉકાળેલું પાણી જ પીવે છે. પચીસ વર્ષથી બેસણાથી ઓછું પચ્ચખાણ નથી. દેવદર્શન વિના મુખમાં પાણી પણ લેતા નથી. દર દિવાળીએ અઠ્ઠાઈ કરે છે. એમને અપરિગ્રહનું વ્રત છે. આ ઉપરાંત સામાયિક, જીવપૂજા અને ખાદીધારણ જેવા વ્રત એમના જીવનમાં વણાઈ ગયા છે. તેઓ ગુપ્તદાનમાં માને છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. જીવનની કારકિર્દીની શરૂઆત મુંબઈમાં કરી. ૩૫ વર્ષ સુધી ઝવેરાતને ધંધે અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ સમાંતર રીતે કરતા રહ્યા. પંદર વર્ષથી તેઓ બોડેલી વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે પ્રશસ્ય કામગીરી કરતા ૨હ્યા છે. તેમણે આદિવાસી શેઠ શ્રી કેશવલાલ મનસુખલાલ પાટણ તાલુકામાં કંથરાળી ગામના શ્રી કેશવલાલભાઇનાની ઉંમ૨માં કલકત્તા જઈ પહોંચ્યા. સાહસિક અને દીર્ધદષ્ટિથી વ્યાપારમાં ઝંપલાવ્યું. ધીમે ધીમે આગળ વધ્યા. કલકત્તાથી મુંબઈ આવ્યા. અહીં શેર બજારમાં કામ કરતાં ભારત કોલટીર સપ્લાઈગ કુ. શરૂ કરી, તેમાં ખૂબજ પ્રગતિ કરી અને ધંધાને વિકસાવ્ય, શિવરી અને કુર્તામાં ડ્રમને અને કોલટારને ધંધા ચાલે છે. બોમ્બે ગેસ કુ. લી. ના સોલ એજન્ટ છે. નાનપણથી જ શિક્ષણ પ્રત્યે લાગણીશીલ હોવાથી પિતાના ૧૦૮ ગોબના બાળકે માટેની શિક્ષણ સંસ્થા વિદ્યાથીગૃહ શરૂ કરવામાં તેઓ અગ્રણી હતા. આ સંસ્થાના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી અને સંસ્થાના વિકાસ માટે હર હંમેશ જાગૃત રહેલા હતાં. વૃદ્ધાવસ્થા હોવા છતાં જીવનભર આ સંસ્થા માટે તન, મન, ધનથી સેવા કરી એટલું જ નહીં પણ મહેસાણામાં સંસ્થામાં જૈન મંદિરના નિર્માણ માટે રૂ. ૧૬૦૦૧ જેવી રકમનું દાન આપ્યું હતું. આ ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલયને રૂા ૨૫૦૦૦ના બે ટ્રસ્ટ આપીને બે વિદ્યાથી કેલર આયા છે. તેમના ધર્મપત્ની પણ ધર્મનિષ્ઠ અને ગુણાનુરાગી છે. તે Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy