SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1014
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મસ્થાન ભગવાન મહાવીરના જન્મસ્થાન વિશે પણ ઠીક મતભેદ પ્રવર્તે છે. આગમાત્તર સાહિત્યમાં ‘વેસાલિય શબ્દને લીધે વશાલીને જમથાન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ “ આચારાંગસૂત્ર”માં આવ્યું કે ભગવાન મહાવીરનું જન્મસ્થાન વૈશાલી નહિ પણ વૈશાલી પાસે આવેલ કુંડપુર છે. તીર્થંકર મહાવીર બ્રાહ્મણ-કુંડગ્રામ નગરના દક્ષિણભાગમાં માતાના ગર્ભમાં આવ્યા અને ક્ષત્રિય-કુંડગ્રામ નગરના ઉત્તરભાગમાં એમના જન્મ થયા. આવશ્યક નિયુક્તિ વરાંગચરિત્ર, પઉમચરિય', આવશ્યક ચૂર્ણિ, મહાવીરચરિય, કલ્પસૂત્ર, આવશ્યક હરિભદ્રીયાવૃત્તિ વગેરેમાં જન્મસ્થાન તરીકે કુડપુરના ઉલ્લેખ છે. આ કુંડપુર વિદેહમાં આવેલું હતું. પૂર્વભવા (6 મહાવીરને સર્વપ્રથમ પરિચય ‘આચારાંગ” અને કલ્પસૂત્ર”માં સાંપડે છે. પરંતુ આ ત્રામાં તેમના પૂર્વભવા વિશે કોઈ ઉલ્લેખ નથી. ‘ સમવાયાંગ’માં પણ જણાવાયું છે કે મહાવીર તીર્થંકર ભવગ્રહણ પહેલાના છઠ્ઠા ભવમાં પાટિલ્લ હતા. પણ આગલા છે ભવનાં નામ આપવામાં આવ્યાં નથી. ત્યાર પછી પ્રાપ્ત ગ્રંથામાં પૂર્વભવ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. શ્વેતાંબર ગ્રંથામાં મહાવીરના સત્તાવીસ અને દિગંબર પરંપરના ગ્રંથામાં તેત્રીસ ભવાનું વર્ણન છે. ગ્રંથાલ્લેખ ભગવાન મહાવીર વિશેના ઉલ્લેખા વિવિધ ગ્રંથામાં વિવિધ રીતે આપવામાં આવ્યા છે. તેમાંના કેટલાક ઉલ્લેખા પ્રતિ દૃષ્ટિપાત કરવાથી મહાવીરની જીવનકથાના સૂત્રેા કઈ કઈ રીતે પ્રાપ્ત થતાં ગયાં? અને તેમનું જીવન કેમ સ્પષ્ટ થતુ. ગયું ? તેના ખ્યાલ આવશે. આચારાંગસૂત્ર આ ગ્રંથ્ સમગ્ર જૈન આચારની આધારશિલારૂપ ગણાય છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરની સાધનાનો અહેવાલ મહાવીરના મુખેથી સાંભળવામાં આવેલ હોય તેમ રજૂ થયેલ છે. આ ગ્રંથમાં જન્મ, વિવાહ, માતાપિતાની ચિરવિદાય પછી દીક્ષાગ્રહણ, સાધનાકાલ દરમ્યાન આવેલ વિના અને તીથકર બન્યાના ઉલ્લેખેા છે. સૂત્રકૃતાંગ સ્થાનાંગ સૂત્ર સમવાયાંગ સૂત્ર Jain Education International જૈનરનિયંતામણ આ ગ્રંથામાં ભગવાન મહાવીરનું સ્તવન તથા જીવન વિશેની છૂટક માહિતી પ્રાપ્ત થાય છે. ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર ) આગમ સાહિત્યના આ વિશાલકાય ગ્રંથમાં મહાવીરે પાંચ મહાવ્રતાના સ્વીકાર કર્યો, મહાવીર પૂર્વ નિય ધનુ અસ્તિત્વ, ગેાશાલક વિશેની માહિતી તથા આય સ્યું ક, કાત્યાયન વ. મહાવીરના અનુયાયીઓ વિશેની માહિતી ઉપલબ્ધ થાય છે. જ્ઞાતૃધર્મકથાસૂત્ર મહાવીર અને ગોશાલકના મુખ્ય સિદ્ધાંતામાં જે ભેદ છે એનુ સ્પષ્ટ નિર્દેન આ ગ્રંથમાં છે. આ પ્રમાણે અનન્તકૃદશા સૂત્ર, અનુત્તરાપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, ઔપપાતિક સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, નિયાવલિયા સૂત્ર, કલ્પાવત’સિકા, પુષ્પિકા, ઉત્તરાધ્યયન સૂત્ર, નદી સૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે ગ્રંથામાં મહાવીર વિશે વિવિધ હકીકતા પ્રાપ્ત થાય છે. નિયુકિત સાહિત્ય–આવશ્યક નિŞક્તિ જેમ વક્રિક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા માટે ભાષ્ય લખવામાં આવતું તે જ રીતે જૈન આગમાના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા માટે ‘ આવશ્યક નિયુક્તિ ગ્રંથ' સાંપડે છે. તેમાં ભગવાનના જીવન સાથે સબંધીત તેર ઘટનાએ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, ભાવી ગણધરાનાં નામ, તેમને ઉત્પન્ન થનાર શંકા, શંકાનિવારણ શિષ્યેાસહિત દીક્ષાગ્રહણની વાતા મળે છે. પ્રાકૃત જૈન સાહિત્ય પ્રાકૃત જૈન સાહિત્યમાં ચઉપ્પન મહાપુરુષચરિય', મહાવીરચરિય', તિલેાયપણુત્તિ વગેરે ગ્રંથામાં ભગવાન મહાવીર વિશે કેટલીક હકીકતા ઉલ્લેખિત મળી આવે છે. સરકૃત જૈન સાહિત્ય સંસ્કૃતમાં લખાયેલ જૈન સાહિત્યમાં આ પ્રમાણે ગ્રંથામાં શ્રમણ ભગવાન મહાવીર વિશે માહિતી ઉપલબ્ધ થાય છે. આચાર્ય હેમચંદ્ર લિખિત ત્રિષ્પષ્ટશલાકા પુરુષ ચરિત્ર, સામપ્રભાચાય કૃત લઘુત્રિષષ્ટિ પુરુષ ચરિત્ર, પંડિત આશાધરજીનુ. ત્રિષષ્ટિ સ્મૃતિશાસ્ત્ર, મેરુત્તુંગ રચિત મહાપુરુષ ચરિત, પદ્મસુંદરજીનું રાયમલ્લાભ્યુદય, અમરચંદ્ર રચિત ચતુર્વિ‘શતિ જિનચરિત, મુનિ જ્ઞાનસાગરજી રચિત વીરાય કાવ્ય, ગુણભદ્ર રચિત ઉત્તરપુરાણ, મહાકવિ યાસગ લિખિત વમાન ચિરતમ્, ભટ્ટારક સકલકીર્તિ રચિત વીર વર્ધમાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy