________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૯૧૧
આત્મ કમલની અમર આલમે, લબ્ધિ મેવા લેવા રે મુક્તિ મહેલે સુખડાં લેવા કરી વિક્રમની સેવા રે અહત્ માંગે એક જ ભાવે. શુભ રત્ન સુખકારી રે
શાસન કરો નાદ...૧૨ રાજનગરે લીધી વિદાય, મેરુ ત્રયોદશી દિને રે વિનંતિ અમારી એ ગુરુરાયા! આંસુભર્યા નયને રે દર્શ દેજો દર્દ ચૂરો, કોટી વંદન કરીએ રે
શાસન કેરો નાદ....૧૩
૨. રાગ–બાબુલ કી દુઆમેં ઓ મમતાળુ અમ માવડી, મૂકી અમને ચાલી ગઈ. સુકાની જીવન નાવડી, સૂની અમ સહુ દિશા થઈ. ૧ કીધો રાગ સાથે ઝગડો રે, ઝગડિયા સંયમ લીધું રે સહુ જગનું શુભ કરવાને, પુત્રીને સંયમ દીધું રે..
ઓ ઉપકારી અમ માવડી...૨ સૂનાં સૂનાં આ આસનિયાં, સૂની પાટ આ ભાસે રે વંદન કરશું શાતા પૂછશું ભણકારા અમને વાગે રે
ઓ પરમ દયાળુ માવડી...૩ મુક્તિની મંઝિલ લેવાને, શોધી તિથિ મનોહારી રે મોક્ષ કલ્યાણ આદિજિન, ભેટી મૃત્યુ ભવપારી રે
ઓ તપસ્વિની અમ માવડી...૪ જ્ઞાન રત્ન સમી રાજુલ સુતા, વળી વાચંને સંયમ અપ કુટુંબ ઝવેરી ઝળહળ્યું, શાસન ગગને જે ઝલકી રે
ઓ સ્વાવલંબી અમ માવડી...૫ વિનયની સાક્ષાત્ મૂર્તિ રે, ગુરુ આગળ ના જવાય રે ચૌદશ છોડી તેરસ દિને, લીધી છે ચિર વિદાય રે
ગુરુ ભક્તિકારી માવડી...૬ તીર્થ કાર્ય અધૂરાં રે, આવે છે યાદ મધુરી રે સહાય અમને કરજો રે, થાયે “રાજ” ભાવના પૂરી રે
દેવ અધિષ્ઠા માવડી...૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org