SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ [ શાસનનાં શ્રમણીરત્ને માંડલ ચાતુર્માસ પધાર્યાં. સુસ્વાગત પ્રવેશ પછી આ દિવસેામાં તપની હેલી જામી સાથેસાથ વીરવાણીને અસ્ખલિત પ્રવાહ શરૂ થયા. ભાવિકે એમાં સ્નાન કરી ભક્તિરસથી ભીંજાવા લાગ્યા. આખરે તપસ્વી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીએ પેાતાનું જ ધાયું કર્યું અને કમ`જીત બનવા ૫૧ . ઉપવાસ વધતા ગયા, મનની સમતા પણુ વધતી ચાલી. સ`સારી માતાપિતાને સમાચાર મળતાં તેઓ હાજર થઈ ગયાં. ઘણી બધી સમજાવટ થઈ, પણ ઉપવાસ ન છેડચા તે ન જોડયાં. છેલ્લા અઠવાડિયામાં નબળાઈ ઘણી વધતી ચાલી. પૂ. ગુરુજીએ અને માતાપિતાએ તેમ જ શ્રીસ ંઘે શક્તિનુ એક ઇન્જેકશન લેવા ખૂબ સમજાવ્યાં; અરજ કરી, કાલાવાલા કર્યા', પણ તપસ્વીએ ત્રણેને જુદા જુદા જવાબ આપ્યા. ગુરુજીને કહ્યું કે, તમે આવી તપસ્યામાં ઇંજેક્શન લેવાની છૂટ આપે તે વાજબી છે? શ્રીસ ઘને કહ્યુ કે, આજે નડ્ડી, કાલે વાત. માતાપિતાને કહ્યુ કે, આજે મહાવીર જન્મ-વાચન છે, એટલે અત્યારે નહી, રાતે વાત. ત્રણેની વાત રાખી, પેાતાનું ધાર્યું જ કર્યુ. ૮૩૦ માગશર સુદ. બીજના બપાર થયા. વ્યાખ્યાનના સમયે મહાવીર-જન્મ-વાચન ચાલુ હતું. પૂ. સુનાશ્રીજીને હ્યુ કે, મને સારુ છે. તમે વ્યાખ્યાનમાં જાવ. તમારા વિના ત્યાં ગીત કણ ગવરાવશે ? સુન...દાશ્રીજીએ પૂછ્યું, તમે આવા છે ? સૌમ્યગુણાશ્રીજીએ ત્યારે હ્યુ કે, ના, મારાથી અવાય તેમ નથી. તમે જલદી જાઓ. આગ્રહ કરીને મેકલ્યાં. બરાબર મહાવીર જન્મ-સમયે જ નવકાર ગણતાં હાથના અગૂડો આઠમે વેઢે થભી ગયા. ગુરુ સુમ'ગલાશ્રીજી બાજુમાં પડિલેહણ કરતાં હતાં. તેમની નજર પડતાં આંખે સ્થિર દેખાણી; હ’સલા ઊડી ગયા હતા! સમાચાર ફેલાતાં જ સૌ દે।ડી આવ્યાં. સૌએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. યથાશક્તિ સૌએ દાનપુણ્ય કર્યા, તપસ્યાએ લાવી, નિયમેાની ધારણા લખાવી. આખું માંડલ ગામ–જેનાને જૈનેાતી, હિન્દુ અને મુસલમાન – સૌ આ પરમ તપસ્વીનાં અંતિમ દન માટે દેડી આવ્યાં. આજુબાજુનાં ગામમાંથી દશનાર્થીએનાં ટોળેટોળાં ઊમડયાં. તાર-ટપાલ–ખેપિયા અને રેડિયો દ્વારા સમાચાર ચેામેર ફેલાઈ ગયા. વિશાળ સખ્યામાં અ ંતિમ યાત્ર! નીકળી. જય જય ન ́દા, જય જય ભદ્રા ના નારા ગગન ગજવી રહ્યા. ૩૮ વષઁની વયે, ૪૮ મા ઉપવાસે, (૫૧ ઉપવાસનાં પચ્ચખાણ થઈ ગયાં હતાં) અત્માએ ઊર્ધ્વગતિ ધારણ કરી. સયમધારી આત્મા વીર પરમાત્માના વિશ્વ પ્રતિ ગતિ કરી ગયે!! આમ, પૂ. શ્રી સુમ’ગળાશ્રીજી પેતે તપસ્વી હતાં, તેમ અન્યને પશુ તપસ્યાની પ્રેરણ આપનાર મહાન પ્રભાવક હતાં. તેએશ્રી પણ સયમજીવનને જ્ઞાન-ધ્યાન અને તપથી સુવાસિત બનાવી વિ. સં. ૨૦૫૦માં જૈનપુરી એવા અમદાવાદ શહેરમાં ધર્માંની સુંદર આરાધના કરતાં કરતાં સ્વર્ગવાસને પામ્યાં હતાં. આવાં પરમાપકારી પૂ. સાધ્વીરત્ના શ્રી સુમ'ગલાશ્રીજીના પુણ્ય આત્માને અંતઃકરણપૂર્વક લાખ લાખ વંદન ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy