SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ્છીય પ્રભાવક સાધ્વીજી મહારાજો જૈન શાસનમાં આવેલા વિવિધ ગચ્છામાં ખરતરગચ્છને ઇતિહાસ ઘણા જ ઉજવળ અને ગૌરવવતા રહ્યો છે. આ ગચ્છમાં થયેલા પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંતેા દ્વારા અભૂવપૂર્વ શાસનપ્રભાવના થઈ હતી. પૂ. શ્રમણીભગવંતે દ્વારા પણ સમયે સમયે શાસનપ્રભાવનામાં અભિવૃદ્ધિ થતી રહી છે. આ ગચ્છમાં સાધ્વીસમુદાય વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. સંખ્યા અસેાથી વધુ હશે. અને તેમાં વિદુષી, વ્યાખ્યાત્રી, અને શાસનપ્રભાવિકા સાધ્વીમહારાજો પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. અહી અમેને શ્રેષ્ઠીશ્રી જીવનચદુભાઈ ઝવેરી દ્વારા જે કેટલાંક પ્રભાવક સાધ્વીજી મહારાજોના પરિચય મળ્યા છે, તે અત્રે સાદર રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. પૂ. સા. શ્રી ઉદ્યોતશ્રીજી મહારાજ પૂ. ઉદ્યોતશ્રીજી મહારાજનું વતન લાદી હતું. તેમનુ` સંસારી નામ નાનીબાઈ હતું. બાળપણમાં જ લેાદીના વતની રતનચંદ્ર ગેલેછા સાથે લગ્ન થયાં, પણ ભાગ્યવશાત્ પતિના સ્વગ વાસ થયે. જીવનમાં પ્રથમથી જ વૈરાગ્યભાવ હતા તેમાં વૈધવ્ય પ્રાપ્ત થવાથી એ ભાવ દૃઢ થયેા. તેમની પ્રતિજ્ઞા હતી કે મસી તીથી યાત્રા કરીને જ ઘી ખાઈશ.' એ માટે તેએ જોધપુર આવ્યાં ત્યાં. રાજસાગરજી મહારાજનાં શિષ્યા રૂપશ્રીજી મહારાજ સાથે તેમને પરિચય થતાં વૈરાગ્યભાવ જાગી ઊઠયો. ત્રણ પુત્ર, પાંચ પૌત્રા અને ત્રણ પૌત્રીઓના પરિવારની માયાથી મુક્ત થઈ સ. ૧૯૧૬ના મહા સુદ પાંચમે પૂ. રાજશ્રીજી મ. હસ્તે દીક્ષા ગ્રહણ કરી, ઉદ્યોતશ્રીજી મ. તરીકે જાહેર થયાં. તેઓશ્રીએ ત્યાર બાદ એકપુર, અજમેર, કિશનગઢ, લેાદી આદિ સ્થળેાએ ચાતુર્માસ કર્યા. લાદીમાં પૂ. ગુરુદેવ શ્રી સુખસાગરજી મ. પાસે ક્રિયાન્દ્રાર કરીને મકસી તીર્થની યાત્રા કરી. તેઓશ્રીએ ચાર સાધ્વીઓને દીક્ષા પ્રદાન કરી. સાધ્વીઓને શિક્ષા-દીક્ષા દેતાં પૂજશ્રીને સં. ૧૯૪૦માં લેાદી મુકામે જ સ્વર્ગવાસ થયેા. -સંપાદક તેઓશ્રીની શિષ્યાઓમાં લક્ષ્મીશ્રીજી અને શિશ્રીજી અત્યંત બુદ્ધિપ્રભાવી હાવાથી પૂ. ઉદ્યોતશ્રીજીની પર’પરામાં બે વિભાગા થઈ ગયા. એક પૂ. લક્ષ્મીશ્રીજીની પરપરા અને બીજી શિવશ્રીજીની પર’પરા. આમ, પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં અનેક કાર્ય થયાં. Jain Education International 101 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy