SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૮ ] | શાસનનાં શ્રમણીરત્ને પ્રશિખ્યામાં શ્રી વિમલયશાશ્રીજી, શ્રી તીર્થં યશાશ્રીજી, શ્રી પરમેષ્ઠીયશાશ્રીજી, શ્રી અયપશાશ્રીજી, શ્રી વિક્રયાશ્રીજી, શ્રી ભાગવીયશાશ્રીજી, શ્રી સ’ભવયશાશ્રીજી આદિ વિશાળ પરિવાર છે, કે. પી. કેડારી પરિવારના સૌજન્યથી પલ્લીવાલ પ્રદેશહારિકા પૃ. સાધ્વીવર્યા શ્રી શુભેાદયાશ્રીજી મહારાજ વિ. સં. ૨૦૦૭માં ગુજરાતના પ્રાચીન તીથ ઝઘડિયામાં માત્ર ૯ વર્ષની ઉમરે માતા શાંતાબહેન સાથે બાલિકા સરાજની દીક્ષા થઈ. બાલ્યવયમાં જ સયમપ્રાપ્તિના શુભ ઉદય થયા તેથી પૂ. !! ગુરુદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજે સ્વહસ્તે દીક્ષા પ્રદાન કરીને પૂ. સાધ્વી શ્રી સુત્રતાશ્રીછનાં શિષ્ય બનાવી તેમનું નામકરણ કર્યું... શુભેાદયાશ્રીજી. પૂ. ગુરુદેવે જેવુ નામ આપ્યુ તેવું જ પેાતાનુ જીવન સ્વ-પર ઉપકારી, સહુના શુભને ઉદય કરનારું, બનાવીને સ્વનામ ધન્ય બનાવ્યું. બાળવા, મંન્નુલ સ્વર, આનંદી સ્વભાવ અને ગાવામાં રુચિ હેવાને લીધે સ્તવન, સજ્ઝાય થાય આદિ ગાવામાં હંમેશા અગ્રેસર રહે. પ્રતિક્રમણમાં રાજ નવાં નવાં સ્તવન સજ્ઝાય ગય. ભક્તિ પ્રત્યે પણ એવી જ રુચિ. સમુદાયમાં કેઈ પણ સાધ્વીજીને તપ હાય, કોઈ બીમાર હોય, કોઈ ને કોઈ પ્રકારની અગવડ હેય ના ભક્તિ માટેની તક ઝડપી લે. બાલ–તપસ્વી-ગ્લાનની પરિલેહણ પણ કરી લે, અને જરૂર પડ્યે ચાર-આડ ઘડા પાણી પણ લઈ આવે. પૂ. ગુરુભગવંતેનાં વ્યાખ્યાનશ્રવણ ખૂબ જ ધ્યાનપૂર્વીક કરે. ક્યા સાંભળવી ખૂબ ગમે. અને ક્યા કહેવાની પણ અદ્ભુત મૂળા હસ્તગત કરી લીધેલી. વ્યાખ્યાનમાં કથા આવે તે રસપ્રદ રીતે કહું. આ કળાને લીધે સાંજ પડયે બહેના અને બાળકે!ની માંગ અવશ્ય હોય કે, · મહારાજ સાહેબ, વાતો કહે ને...!” વાર્તા કહેતાં કહેતાં ક્યાના સાર સમજાવે અને લોકોમાં ત્યાગ-સંયમની સુંદર ભાવના જગવ, ઉપદેશ અને બેધ આપે, પરમાત્માના શાસન પ્રત્યે ખૂબ ખૂબ બહુમાન જગવે. પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં સિકંદરાબાદથી સમેતશિખરજી ૧૯૧ દિવસની છ’રી પાલિત સુધયાત્રા તથા કલકત્તાથી પાલીતાણાની ૨૦૧ દિવસની છ’રી પાલિત સંઘયાત્રા નીકળી, જે જૈનશાસનનાં ઈતિહાસની સુવર્ણ ગાથા છે. આ સંઘયાત્રા પલ્લીવાલ પ્રદેશમાંથી પસાર થઈ. ત્યાં છ માિની દશા જોવામાં આવી અને ત્યાંના જૈનોની ધણુ અવસ્થા જોઈ, પૂ. ગુરુદેવના દિલમાં દર્દી ઊભરાયુ. ત્યાંના સ્થાનિક જૈનાએ પગમાં પડી વિનંતિ કરી કે, ‘આપ મહાન જૈનાચાય છે, અમારા ઉદ્ધાર કરો.' તે સમયે તા સ યાત્રા આગળ વધી, પણ પૂ. ગુરુદેવ પાસે વારવાર પલ્લીવાલ પ્રદેશના ઉદ્ધાર માટે વિનંતી થઈ અને પરમ તીથ પ્રભાવક ભક્તામરસ્તોત્ર-સમારાધક પૂ. ગુરુદેવે પલ્લીવાલ પ્રદેશમાં મેલવા સાધ્વી શુભેાદયાશ્રીજીની પર દગી કરી. પલ્લીવાલ પ્રદેશાદ્દાર અને શાસનપ્રભાવના : પૂ. ગુરુદેવની આજ્ઞા અને આશીર્વાદ પ્રાપ્ત કરી સર્વપ્રથમ પાંચવર્ષીય યે!જનાપૂર્વક પલ્લીવાલ પ્રદેશમાં વિ. સં. ૨૦૩૮ માં પધાર્યા. ત્યાં સ્થાનકવાસીઓનાં મુખ્ય સ્થાના, જેવાં કે ભરતપુર, અલવર, ગંગાપુરસી તથા હિન્ડોન જિલ્લા અંતગત ૨૭ ગામામાં ચાતુર્માસ કર્યા, અને શેષકાળમાં વિચર્યા–સાધુપણાના આચારથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy