________________
શાસનનાં શ્રમણીરત્નો |
પૂ. બેન મહારાજનું હદય એટલું કરુણાસભર કે કેઈનું પણ દુઃખ જોઈને દ્રવી ઊઠે. જીવનના અટપટા પ્રશ્નમાં ગૂંચવાયેલ માનવી માર્ગદર્શન માંગે તે પૂજ્યશ્રીના મીઠા બોલ સંતપ્ત હૃદયને શાંતિ આપે. ખંભાતના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૧૦૮ માસક્ષમણ થયાં. પૂ. ગુરુદેવની તબિયત તે નાજુક હતી જ. તપસ્વીને કાંઈ પણ અશાતા થાય કે તુરત જ બેન મહારાજ તપસ્વીના ઘેર જઈશાતા પૂ. તપસ્વીના ભાવને સમજી યથાયોગ્ય આગળ વધારે. અશાતા દૂર કરવાના ઉપાયે જણાવે. પૂ. બેન મહારાજનો અથાગ પરિશ્રમ જોઈ તેમના હૃદયની કરુણા નીહાળી, દુઃખી જી પ્રત્યેની હમદર્દી જઈ આ સર્વ જીને ધર્મમાગે જોડી દેવાની પ્રબળ ભાવના નિરખી સર્વનું દિલ અહોભાવે ઝૂકી જાય. જૈન સાધુજીવનની આચારણ કે જેનધર્મની પરિભાષાને નહિ સમજનાર તે કહે, આ તે બેન મહારાજ છે કે દુ:ખીજન–વત્સલ મધર ટેરેસા છે!
શાસન પ્રત્યેનો પ્રેમ જેમની રગેરગમાં ધબકી રહ્યો છે, ગુરુભક્તિ જેમના અંતરે ઊછળી રહી છે.
જિનભક્તિને નાદ જેમના શ્વાસોચ્છવાસમાં ઘૂંટાય છે, એવા આ સાદવીરત્નાના પોપાર પ્રવાહમાં કેટલાયે પાવન આત્મા ધર્મરગે ભીંજાયા છે. એનું વર્ણન કરવા કલમની ક્તિ સીમિત છે.
જપ-ધ્યાન-આરાધના : વિ. સં.૨૦૧૩ થી પૂ. બેન મહારાજે પોતાના જીવનમાં પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ભક્તામર સ્તોત્ર સમારાધક પૂ. ગુરુદેવશ્રી વિકમસૂરીશ્વરજી મહારાજ તથા શાસનપ્રભાવક પૂ. આ. દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને માગદર્શન મુજબ નવકાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, પ્રભુ પાર્શ્વનાથ તથા અધિષ્ઠાયિકા પદ્માવતી માતાનું આરાધન છે. નવકાર મંત્રના પાંચ પદને કરોડોની સંખ્યામાં શ્રીસંઘ સાથે સિકંદરાબાદમાં જાપ કરેલ-કરાવેલ છે. મુંબઈમાટુંગામાં ચાતુર્માસ દરમિયાન, એવી જ રીતે, તુ હી નમઃ નું આરાધન કરેલ-કરાવેલ છે. ભરૂચમાં પણ તેઓશ્રીના માર્ગદર્શનથી તેમના સાદવવંદે એક કરોડ જાપ તેમ જ વિશિષ્ટ આરાધન કરેલ-કરાવેલ છે. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્દિસૂરીશ્વરજી મહારાજની અસીમ ગુરુકૃપા, પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિઃસીમ આશિષધારા અને પૂ. ગુરુબંધુ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની અપાર કૃપાધારા ઝીલતાં નિરંતર ત્રણ પાટ-પરંપરાના શાસન પ્રભાવક ગુરુભગવંતેની ગુર્વાજ્ઞાને શિરસાવધ કરી રહેલ પૂ. વાચંયમાશ્રીજી (બેન મહારાજ) વર્તમાન સાથ્વીછંદમાં એક શ્રેષ્ઠ શ્રમણીરત્ન છે. શિવાજીને જન્મ આપનાર જીજીબાઈનું નામ સાંભળીને આપણી આંખો હસી ઊઠે છે અંગ્રેજો સામે લડત આપનાર ચાંદબીબીનું સાહસ આપણને વિસ્મિત બનાવે છે; સેવાના ભેખધારી, દુઃખીનાં દુ અને પિતાનું માનનાર મધર ટેરેસા આપણા માટે ગુણાનુવાદનું પાત્ર બની રહે છે; કારણ કે, આપણી મનગમતી કથાનાં એ જવલંત પાત્રો છે! આપણી સાથે જ રહેલા, આપણું વર્તમાનમાં જિનશાસનની આરાધનામાં પ્રવૃત્ત, પરોપકારમાં મસ્ત, જિનભક્તિમાં રત, એવાં આ શ્રમણીરત્નનું જીવન પણ એક જવલંત કથા છે. આ કથાની જેટલી યશોગાથા ગાઈએ તેટલી અ૫ છે. એમના અનેક શક્તિસ્તોતનાં બિન્દુને ઝીલવા આપણામાં પાત્રતા જાગે એ જ અભિલાષા સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભરી કેટિશઃ વંદના !
તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી અહંતપદ્માશ્રીજી, શ્રી પરમપદ્માશ્રીજી, શ્રી વસુદ્ધાશ્રીજી, શ્રી પાર્શ્વયશાશ્રીજી, શ્રી દિવ્યયશાશ્રીજી, શ્રી જીતયશાશ્રીજી, શ્રી શીલયશાશ્રીજી આદિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org