________________
૩૭૮
[ શાસનનાં શમણીરત્નો અપ્રમત્તતા : ૮૫ વર્ષની ઉંમરે પણ બેઠાં બેઠાં સ્વાધ્યાય કરવાની લગનીની સાથોસાથ દરેક ક્રિયા-પડિલેહણ કે પ્રતિક્રમણ સમયસર જ કરતાં.
જીવદયાની અવિહડ લગની–પ્રતિપળ જયણને ઉપયોગ : કેઈપણ વસ્તુ લેવી-મૂકવી પુંજીને જ... ચાલતી વખતે પણ દષ્ટિ નીચે જ....મુહપત્તિને કાળજીપૂર્વક ઉપયોગ...વગેરે ગુણે આત્મસાત્ થઈ ગયેલા. પિતાનાં શિખ્યા-આશ્રિત પરિવારની પણ એટલી જ કાળજી, અને જ્ઞાનની ઉપાસનાની સાથોસાથ તપની પણ. એમનાં ગ્રુપમાં સાધ્વીજી શ્રી કુવલયાશ્રીજી મઠ, સાધ્વીજી શ્રી પ્રભજનાશ્રીજી મહ, સાધ્વીજી શ્રી નેમિપ્રભાશ્રીજી મ આદિ ૧૦૦ ઓળી પૂર્ણ કરીને આગળ વધી રહ્યાં છે. જ્યારે બીજા નાનાં નાનાં સાધ્વીજીઓ જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપની સુંદર આરાધના દ્વારા સંયમજીવનને સફળ કરી રહ્યાં છે.
આવા વિષમ કાળમાં પણ ૧૪ વર્ષ સુધી કરી પણ દોષ ન લાગી જાય તેની પૂરી કાળજી પૂર્વક સુંદર સંયમ-આરાધના કરતાં છેલા લગભગ ૮ વર્ષથી આરાધના”ના “પુર” સમાનરાધનપુરમાં પાળિયાના ઉપાશ્રયમાં શ્રાવકેની અતિ આગ્રહભરી વિનંતિથી સ્થિરવાસ રહ્યાં હતાં. ઉંમરના હિસાબે તબિયત નરમ-ગરમ થવા છતાં બીજા છ માટે કેમળ પણ પિતા માટે કઠોર એવાં પૂજ્યશ્રી સમતાભાવે વ્યાધિઓને સહન કરતાં. ગુણાનુરાગીતા એવી કે ગમે તે ગચ્છ કે પક્ષના મહાત્મા આવે, બધાની ભક્તિને લાભ લેવાની ભાવનાવાળા રહેતાં.
છેલે પૂજ્યપાદ અધ્યાત્મમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ કચ્છથી શંખેશ્વર તરફ જતાં રાધનપુર પધાર્યા ત્યારે હિતશિક્ષા મેળવીને ખૂબ જ રોમાંચિત થયાં હતાં.
સંયમજીવનની નયાને જ્ઞાન-ધ્યાનરૂપી હલેસાંઓ વડે આગળ હંકારી રહ્યાં હતાં ત્યાં.. પુન્યશાળીને પગલે નિધાનની જેમ. રાધનપુર સંઘના પુદયે સુવિશાલ સાધુ-સાધ્વીજીનાં પરિવાર સાથે પરમપુજ્ય વર્ધમાન તપના અનન્ય ઉપાસક આચાર્ય દેવ શ્રીમદ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા પરમ ગુરુભક્ત પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજ આદિ છ છ આચાર્ય ભગવંતના શ્રીમુખે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં તેમ જ તેઓશ્રીના વરદ હસ્તે વાસક્ષેપ નંખાવી પિતાના આત્માને અરિહંતના ધ્યાનમાં લીન બનાવી ચતુવિધસંઘની હાજરીમાં પૂર્ણ સમાધિપૂર્વક પોષ વદ ૮ના સાંજે ૫-૫૦ મિનિટે પરલોક સિધાવ્યાં. પૂજ્યશ્રીનું સંયમજીવન જેમ અનેકને પ્રેરણાદાયી હતું તેમ પૂજ્યશ્રીનું મંગલમય સમાધિમૃત્યુ પણ અનેકોને પ્રેરણાદાયી બની ગયું.
અષ્ટ પ્રવચનમાતાનું એક સંતાન જેનશાસન રૂપી ગગનતલમાંથી વિદાય થયું. વંદન હૈ એ મહાન સંયમી-ઘ સંયમી પૂ. સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ ને!
૨૦૪૯ માં શ્રી સિદ્ધગિરિ છરિ પાલિત યાત્રાસંઘની સ્મૃતિ નિમિત્તે પૃ. ૫. શ્રી વાસેનવિજયજી મ. સા.ના સદુપદેશથી જયંતિલાલ કરમશી હરિયાના સૌજન્યથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org