SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] [ શાસનનાં શમણીરત્નો તા અનુમતિ હતી જ. આમ, તેમના માટે હવે સંયમજીવનનાં દ્વાર ખૂલી જતાં, માંડવીનું આ મનહર મણિરત્ન સંયમની મનોરમ્ય વાટિકામાં વિહરવા સજજ બન્યું. તે અવસરે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થમાં કચ્છ-વાગડ દેશદ્ધારક વૈરાગ્યમૂતિ દાદા શ્રી જિતવિજયજી મ. સા.ના શિષ્યરત્ન સરલાશાયી પ. પૂ. હીરવિજયજી મ. સા. તથા તેમના પુન્ય નામધેય સચારિત્ર ચૂડામણિ પ. પૂ. પંન્યાસજી શ્રી કનકવિજ્યજી મ. સા. તથા તેઓશ્રીજીનાં આઝાવતી પરમ વિદુષી, વિશુદ્ધ સંયમ આરાધડ પૂ. આણંદશ્રીજી મ. સા. પોતાના સાથ્થી–પરિવાર સાથે ત્યાં વિરાજિત હતાં. સુશ્રાવક કાનજીભાઈ આ ગુરુભગવંતોથી પરિચિત હતા, જેથી તેઓ સુપુત્રી મણિબહેનને લઈને આ ગુરુવર્યોની પાવન નિશ્રામાં આવ્યા અને મણિબહેનને પૂ. આણંદશ્રીજી મ., પૂ. રતનશ્રીજી મ., પૂ. ચતુરશ્રીજી મ. તથા તેઓશ્રીનાં પ્રશિષ્યા પૂ. લાભશ્રીજી મ. આદિની પાવન નિશ્રામાં રાખ્યાં. મણિબહેને ત્યાં સંયમજીવનને વેગ્ય તાલીમ મેળવી. - મણિબહેન તે જ ચાતુર્માસ બાદ પ્રત્રજ્યાના પુનિત પંથે પાંગરવા કટિબદ્ધ થયાં. તેમની યોગ્યતા જોઈને પૂ. ગુરુભગવંતોએ સંયમની અનુમતિ આપી. દીક્ષાનું મંગલ મુહૂર્ત વિ. સં. ૧૯૮રના કતિક વદ છઠ્ઠુંનું આવતાં તે જ દિવસે શુભ મુહુર્ત ગિરિરાજની પરમ પાવન છાયામાં અને પૂ. શાંતમૂતિ શ્રી હીરવિજયજી મ. સા. તથા સંચમમૂતિ પ. પૂ. પંન્યાસજી શ્રી કનકવિજયજી મ. સા. ની પરમ તારક નિશ્રામાં, તેઓશ્રીના વરદ હસ્ત, ૧૭ વર્ષની લઘુવયે મણિબહેને ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને ધર્મના લાભ જ સદા પડિલાલતા આદેયનામધારી તેજસ્વી રત્ના પ્રતિભાશાળી એવા પ. પૂ. લાભશ્રીજી મહારાજના પાદપદ્મમાં અપૂર્વ ઉલ્લાસથી અને પરમ અધ્યવસાયની વિશુદ્ધિથી સમપિત બની તેમનાં પ્રથમ શિષ્યરૂપે સા. લાવણ્યશ્રીજી એવું શુભ નામ ધારણ કરીને કૃતકૃત્ય થયાં. જિનાજ્ઞાને નહીં લાપતાં, પાપથી પ્રજતાં, ત્રણ ગુપ્તિએ ગુપ્તા અને જ્ઞાનથી ઓપતાં એવાં લાવણ્યમય પૂ. સા. શ્રી લાવણ્યશ્રીજીએ હવે સંયમની શમશેર વડે આંતરવું પર વિજય મેળવવા આગેકૂચ કરી. “આણા એ ધો” એ સૂત્ર અનુસાર ગુરુકુલવાસમાં રહી ગુર્વાસા અને સમર્પિતભાવ દ્વારા નંદનવન સમા જીવન-ઉદ્યાનમાં વિનય–વૈયાવચ્ચ, તપ-ત્યાગ, સ્વાધ્યાય, સહિષ્ણુતા, દાક્ષિણ્ય, ગંભીરતા, ઔદાય, સરલતા, નમ્રતા આદિથી ગુણગરિક ફૂલની ફોરમ દ્વારા સંયમજીવનની હરિયાળી વનરાજિ વિકસાવવા માંડી, અને ગુરુદેવાદિ વડીલેના હૃદયમાં પિતાનું સ્થાન અંકિત કર્યું. “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ” આ સૂત્રને જીવનમાં અપનાવ્યું હોય તેમ જ્ઞાનોપાસનાનો મહાયજ્ઞ આરંભ્યા. ટૂંક સમયમાં જ સાધુક્રિયા તથા દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કર્યા, અને પ્રથમ ચાતુર્માસમાં જ પ. પૂ. આ. ભ. શ્રી મેઘસૂરીશ્વરજી મ. સા. ના સૂચનથી વ્યાકરણ સિદ્ધહેમ લઘુવૃત્તિ શરૂ કરી. ત્યારબાદ પ્રાકૃત તથા અનેક કાવ્ય, અભિધાન ચિંતામણિ કેષ, ન્યાય આદિના અભ્યાસ સાથે પ. પૂ. ગુરુભગવંતની પાસેથી આગમ-પ્રકરણ આદિ વિષયક ગ્રની સુંદર વાચન મેળવી. જ્ઞાનોત પ્રગટાવી અજ્ઞાનનાં અંધારું ઉલેચવા માંડ્યાં. જીવન સ્વાધ્યાયસંગી અને જ્ઞાનાનંદી બનાવ્યું. આ રીતે જ્ઞાનાચારની શુદ્ધિ કરતાં કચ્છ-વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ આદિ પ્રદેશોમાં અપ્રમત્તપણે વિચરી અનેક ભવ્ય તીર્થની યાત્રા દ્વારા સભ્યશ ચરણસિત્તરી અને કરણસિત્તરી તથા અષ્ટપ્રવચનમાતાના પાલન દ્વારા ચારિત્રાચારની શુદ્ધિ કરી. તપમાં પણ શપશમ અને શક્તિ મુજબ ઉપવાસથી વીસ્થાનક તપ, ચત્તારિ-અદ્-દસ-દોય– અઠ્ઠઈ જ્ઞાનપંચમી, વર્ધમાનતપની ઓળી, નવપદજીની ઓળી વગેરે તથા અભ્યતર તપમાં ઊંદરી, રસત્યાગ-વિગઈ ત્યાગ, અલ્પદ્રવ્ય-વૃત્તિ સંક્ષેપ વગેરે પૂર્વક તપાચારનું પાલન કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy