SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ] શાસનનાં શમણીરત્ન આત્મસાત્ બનાવ્યા. આ ગુણોને લીધે જ ૨૫૦ ઠાણાનું સફળ સંચાલન કરતાં રહ્યાં. સમતા, સરલતા, સંયમ, નિઃસ્પૃહતા, નિઃસંગતા, તપ, ત્યાગ, તિતિક્ષાના ત્રિભેટે શોભાતું પૂજ્યશ્રીનું જીવન અનેક જીવો માટે અનુકરણીય, અભિનંદનીય અને અભિવંદનીય હતું. પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવ અજબ હતો. સ્વ-સમુદાયના હોય કે પર સમુદાયના, નાના હોય કે મોટા, સૌ કોઈ પૂજ્યશ્રીની પ્રીતિના સમાનભાવે ભાજક બનતા. અને તેઓશ્રીના દર્શન માત્રથી હિમગિરિના દર્શન સમી શીતળતાનો અનુભવ કરતા. ગુરુકૃપા એ જીવનની સંજીવની છે; ગુરુકૃપા વિના સાધનામાં સફળતા ન મળે; ગુરુકૃપા વિના તારક યોગે મારક બની જાય; એવા વિચારો અને આચારથી પૂજ્યશ્રીએ સાધના અને પ્રભાવનામાં અભુત પ્રગતિ કરી હતી. સંયમજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાન રહ્યાં હતાં. જયણાને જીવનમંત્ર બનાવ્યું હતું. વાદાયને ધાસચવાસ બનાવ્યા હતા. ફળસ્વરૂપ વિનય, વિવેક અને વૈયાવચ્ચ ગૌરવપૂર્ણ બન્યાં હતાં. વૈયાવચ્ચ તેઓશ્રીની અમૂલ્ય મૂડી હતી. વ્યાપારી જેમ લાભને ઝડપી લે, તેમ સેવાની કઈ તક જતી કરતાં નહીં. જે ગિશાળ પડિલેવઈ સો મામ્ પરિસેવઈ”—એવાં વચનો હૃદયમાં કેતરી રાખ્યાં હતાં. જેમણે જિંદગીભર જાતને જાગૃત રાખવા સાથે જગતને જાગતા રહેજોની આહલેક જગાવી, પૂ. આણંદ શ્રીજી મહારાજના સહાયક બની વર્ષો સુધી સંયમની સંપૂર્ણ સુવાસ ફેલાવી હતી; જેમનામાં આશ્રિતોને તૈયાર કરવાની ધગશ અને સંયમની સ્થિર કરવાની કરી અપૂવ હતી ૪૯ વર્ષ સંયમજીવનનું સુંદર પાલન કરીને, મુનિજીવનના દિવ્ય વારસાને દીપાવીને, ચારિત્રની ચાંદની વરસાવીને ચતુવિધ સંઘને શીતળતા બક્ષીને, વિરતિની વાટ બતાવીને એ શાસનને સિતારો અસ્ત થયો ત્યારે અસંખ્ય ભાવિકેના અંતરમાં ઘેરો શૂન્યાવકાશ સર્જાયો હતો. એ દેદીપ્યમાન જ્ઞાનકુંજની આભા અહોરાત અનેકેનાં અંતઃકરણને અજવાળતી રહી છે. પૂજ્યશ્રીની આજ્ઞારૂપી અમીરસની પ્રાપ્તિ સંસારની સમાપ્તિ સુધી થાય અને સૌની આત્મસંપત્તિ અને પરમ તૃપ્તિ વિકાસ પામતી રહે એ જ અભિલાષા. જ્ઞાનાદિ આરાધના દ્વારા અપૂર્વ આત્મતેજને પામવાનું સામે આપણામાં પ્રગટે, રાગાદિભાવોનાં અંધકાર સદાયને માટે ચિત્તરૂપી આકાશમાંથી પલાયન થઈ જાય તે જ તેની સાચી સફળતા માણી શકાય. પૂજ્યશ્રીનાં પાવન ચરણેમાં શતસહસ્ત્ર વંદના ! –ચરણસંચરિકા સાથ્વી શ્રી ચંદ્રાનનાશ્રીજી કસુંબાબહેન ચુનીલાલ કમળશીભાઈ–હળવદ (જિ. સુરેન્દ્રનગર)ના સૌજન્યથી – આવનાશીપદના અપ્રમત્ત પરમ અભિલાવી પૂ. શ્રમણીરત્ના શ્રી લાવણ્યશ્રીજી મહારાજ અનંતા અરિહંત પરમાત્માએ સ્વયં સ્વીકારેલી અને ઉપદેશેલી સંયમવાટિકામાં વિચરતા અનેક સૂરિપુરંદર, શ્રમણભગવંતે તેમ જ આર્યાગણે અને મહત્તરાઓથી જેનશાસનની જાહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy