SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તેને અક્ષરહિત કરતાં વજોદર તેની મદદે આવ્યા. બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. છેવટે હનુમાને વજોદરને મારી નાખ્યો. વિર હનુમાને લઈને નસાડી મૂકયા. આ જોઈ કુંભકર્ણ યુદ્ધ ભૂમિમાં આવ્યું, તેની સામે સુગ્રીવ ભામંડલ, લડવા લાગ્યા. કુંભકર્ણ પ્રસ્થાપન અસ મૂકતા વાનરે નિદ્રાધિન થયા. એટલે સુગ્રીવે પ્રધિની વિદ્યાનું સ્મરણ કરતાં બધા વાનરે જાગી ઉઠયા. સુગ્રીવને કુંભકર્ણનું યુદ્ધ થયું. છેવટે સુગ્રીવે કુંભકર્ણને પ્રહાર કરી મૂર્શિત કર્યો તે જાણી રાવણ લડવા ચાલ્યું. પણ ઈન્દ્રજિતે કહયું કે હું છતાં આપને જવાની જરૂર નથી. એમ કહી ઈન્દ્રજિત યુદ્ધ ભૂમિમાં આવ્યું. તેઓએ સુગ્રીવને તથા ભામંડલને નાગપાશ થી બાંધી લીધા કુંભકર્ણની મૂચ્છી વળતાં તેણે હનુમાન પર ગદા પ્રહાર કર્યો. તે મૂછ ખાઈ પડી ગયા ત્યારે કુંભકર્ણ તેને કાખમાં ઉપાડીને ચાલ્યા. તે વખતે વિભીષણે રામને કહયું કે આપના સુગ્રીવ ભામંડળને રાવણના પુત્રોએ નાગપાશથી બાંધી લીધા છે. અને હનુમાનને કુંભક ભુજામાં બાંધી લીધે છે. માટે આપ મને આજ્ઞા આપે તો હું છેડાવી લાવું, રામે આજ્ઞા આપી તેથી વિભીષણ રથમાં બેસી રાવણના પુત્ર સાથે યુદ્ધ કરવા ચાલ્યું. તે પહેલાં અંગદ કુંભકર્ણ સાથે લડતો હતો. કુંભકર્ણ હાથ ઉંચો કરતે હનુમાન તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005130
Book TitleSachitra Jain Ramayan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri, Dharmghoshvijay
PublisherKirti Prakashan
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy