SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના લોકજીવનમાં તુલસીપૂજા અને નાગપૂજા ભારતીય સ’સ્કૃતિના વિકાસ ગિરિમાળાની ગેાદમાં અને હરિયાળાં વનેની વચ્ચે થયેા છે. ખીજી રીતે કહીએ તે આપણી સંસ્કૃતિ કુદરતના ખેાળામાં પાંગરી છે. નિસર્ગની ગાદમાં વસતા આય લાકાએ રહસ્યપ્રેરક આકાશી તત્ત્વને દેવા માન્યા. પ્રકૃતિને અવનવા રંગા અપનાર પૃથ્વીને ધરતીમાતા કહી અને પૃથ્વીદીધાં પીપળા, વડ, લીમડા અને પાછળથી તુલમીની પૂજા આરંભી. આમ વૃક્ષપૂજા અને છેડપૂજા ઘણી પ્રાચીન છે. સામના વેલાની પૂજા વેદના સમચાં થતી એવા ઉલ્લેખા મળી આવે છે. હિંદુ સિદ્ધાંત પ્રમાણે સ વૃક્ષ અને છેડમાં ચેતન પદાર્થ છે. તેમાં દેવ, દાનવ, મનુષ્ય અને પ્રાણીના જેવા જ આત્મા છે.'. તેથી તેને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. ‘વૃક્ષપૂજા એ ભારતના અસલ વતની અનાઆઁના ધર્મોના અવશેષ છે તેમાં શક નથી. '૨. વૃક્ષપૂજાનું મહત્ત્વનું તુલસીપૂજાના વ્યાપક પ્રચાર પાછળ તેની ઉપયોગિતા જ સમાકારણ માનવજીવનમાં તેની ઉપયેાગિતા છે. વૃક્ષેા માનવીની ને-યેલી છે એમ કહીએ તેા ખાટુ' નથી. તુલસીપત્ર જંતુશ્ર્વ છે. તેને કામના પૂર્ણ કરે છે એવી માન્યતાને પરિણામે વૃક્ષને માતા સ્વરૂપે પૂજવાની ઘણી પ્રથા જોવા મળે છે. વૃક્ષ પૂજન અને તેમાં ચે વિશેષ કરીને પીપળાનું પૂજન સિધ્રુતટની સ`સ્કૃતિમાં પણ મળી આવે છે. રાખવાથી બિમારી આવતી નથી. આથી તેને પવિત્ર ગણીને દરેક હિંદુ ધરમાં તુલસીકયારેા રાખવામાં આવે છે. મરણુ વખતે માણસના માથા પાસે તુલસીની ડાળી મૂકવામાં આવે છે. તુલસીના છેડની ઉત્પત્તિ વિષે તકથા— વેદમાં કહેવામાં આવ્યું છે કે, વૃક્ષમાં યક્ષ, બ્રહ્મરાક્ષસ અથવા ભૂત રહે છે'.. આદિકાળમાં થતી પ્રેતપૂજામાંથી વૃક્ષ અને પાષાણુપૂજાનેા ઉદય થયા છે એમ માનવામાં આવે છે. બ'ગાળામાં બિરભૂત જીલ્લાના જંગલમાં એક મદિરની વાર્ષિક યાત્રા આજે પણ ભરાય છે. લેાકમાન્યતા એવી છે કે, ત્યાં બિલના ઝાડમાં ભૂત રહે છે. તેને ચેાખાનું બલિદાન આપવા અને પ્રાણીઓના ભાગ આપવા દર વર્ષે ત્યાં લેકમેળેા ભરાય છે. રેવ. ઈ. ઓસ્માન માટીન‘ હિંદુસ્તાનના દેવા' નામના સ્વરચિત ગ્રંથમાં દેવેને ત્રણ પ્રકારે વિભક્ત કરે છે. (૧) પૃથ્વી, અગ્નિ. સૂર્ય જેવા વેદમાં વર્ણવેલાં દેવા (૨) વિષ્ણુ, શિવ જેવા પુરાણના દેવા અને (૩) ગાય, વાનર, નાગ, લીમડા, વડે, તુલસી જેવા ઉતરતી કક્ષાના એટલે કે લૌકિક દેવે. લેાકનારીની તુલસીપૂજા– તુલસીના છે।ડ માત્ર ગુજરાતમાં જ નહિ પણ ભારતભરમાં પવિત્ર અને પૂજનીય મનાય છે. વિષ્ણુના સર્વ ભક્ત તેના શાલિસામના પથ્થરની સાથે પૂજા કરે છે. તુલસીમાં વિષ્ણુનું તત્ત્વ છે એમ માને છે. તુલસી એ પ્રત્યેક હિંદુ ઘરમાં પૂજાય છે. વિશેષ કરીને એમાં પૂજાય છે. હિંદુ ધર્મમાં સ્ત્રીઓને કંઇ સ્થાન નહતું. પતિ સાથે પ્રાર્થનામાં ભાગ લઇ શકતી નહીં; એટલે સ્ત્રીએએ નાનું સરખું ધાર્મિક જીવન ઊભું કર્યું હતું. હિંદુ નારી Jain Education International —શ્રી નેરાવરસિંહ જાદવ સવારના ઉગતા સૂર્યને નમસ્કાર કરે છે. કપાળમાં ચાંલ્લે કરે છે. ધરમાં બેસાડેલા શિવ, ગણેશ અને વિષ્ણુની પૂજા કરે છે. દેવાના સ્ત્રી સ્વરૂપે। લક્ષ્મી, પાર્વતી વગેરેને પૂજે છે. દીવા કરીને તેના વહાલા તુલસીના છોડની પૂજા કરે છે. 'જ. દરરાજ સવારે તુલસીના કુંડાની આસપાસ જમીન ઉપર છાણુના અમેટ કરે છે. સાંજના તુલસીકયારે ઘીનેા દીવેા કરે છે. આ રીતે લેાકનારી દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે. એવી લેાકમાન્યતા પણ પ્રચલિત છે કે તુલસી પૂજા દ્વારા મેાક્ષ મેળવી શકાય છે. તુલસીપૂજાની એક પ્રાર્થનામાં ઉલ્લેખ મળે છે કે ‘હુ... તુલસીની પૂજા કરું છું. એના મૂળમાં સર્વ તીર્થો સમાયેલા છે. એના મધ્યમાં સં દેવ અને ઉપલી ડાળામાં સર્વ વેદ સમાયેલા છે. ’પૂ. તુલસીના છેડની ઉત્પત્તિ વિશે દંતકથા એવી છે કે ભગવાન વિષ્ણુને જલંદરની પત્ની વૃંદાના સૌંદર્યથી મેાહ ઉત્પન્ન થયા હતા. તેમાંથી મુક્ત કરવા તેમણે લક્ષ્મી, ગૌરી અને સ્વધાની મદદ માગી. તે દેવીઓમાંની દરેકે વાવવાનાં ખી આપ્યાં. તેમાંથી નમણા છેાડવા ૧. મનુસ્મૃતિ, ૧-૪૯ ૨. ધી ગાડસ ઓફ ઈન્ડીયા લે. ઓસ્માન માન. ૩. સંસ્કૃતિ ઔર સમાજશાસ્ત્ર : ડે. રાંગેય રાધવ પૃ. ૩૦૩ ૪. જુએ–આર્સિનલ રૃ. ૪૦૬ ૫. મધ્ય હિ ંદુસ્તાનમાં એસ્થ્યના રાજા તુલસી અને વિષ્ણુના લગ્ન પાછળ લાખ લાખ રૂપિયા ખર્ચતા. વિષ્ણુના વરઘેાડામાં ૮ હાથી, ૧૨૦૦ŕટ અને ૬૦૦૦ ધાડા રહેતા. તે બધા પર સવારે। એસતા. હાથી ઉપર સુંદર અંબાડી રહેતી. આ સવારી માંના મુખ્ય હાથી ઉપર વિષ્ણુની પત્થરની મૂર્તિ મેસાડવામાં આવતી. શાલિગ્રામદેવને તુલસીદેવી સાથે લગ્ન કરવા લઇ જતા. ધામધૂમથી લગ્નની ઉજવણી થયા પછી વર-કન્યાને બીજા વરસ સુધી લુધારાના મંદિરમાં આરામ માટે મૂકયા. એક લાખથી વધારે માણસા એ લગ્નમાં હાજર રહ્યા હતા. આ બધા લેાકાને રાજ્યના ખર્ચે ભાજન કરાવવામાં આવ્યું હતું.' જુએ : લીમેન અંક ૧, પૃ. ૧૪૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy