SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક સંપ્રદાય અને એવી જટીલ સમશ્યાઓ સમજવા આપણા સાંસ્કૃતિક ઇતિહાસના અભ્યાસ ઉપકારક બનશે એવી શ્રદ્ધા સાથે આ નાનકડા પુરુષાર્થને ગુજરાતની પ્રજા મૂલવશે એવી અભ્યર્થના છે. માત્ર ઈતિહાસ અને ભૂતકાળની ગાથાઓમાં રાચનારે આ પ્રદેશ નથી. ગુજરાતની અમિતાના મ ભલે 'ડા ઉર્યો હોય છતાં વર્તમાનના વહેણ સાથે પણ તાલબદ્ધ કદમ મીલાવતુ રહ્યું છે. આ ભૂમિના કલાકારીગિરિ અને હસ્તકૌશલ્ય, ગૂથણ અને ભરતકામ દુનિયાભરની બઝારમાં આકર્ષણ જમાવવા લાગ્યા છે. આ ભૂમિના કારીગરોની આંગળીઓમાં આ કળા વણાઈ ગઈ છે. આ બધા વિષયને. ન્યાય આપી ગ્રંથસ્થ કરવામાં શ્રી ખોડીદાસ પરમાર અને શ્રી જોરાવરસિંહ જાદવનું સંશોધન અને મહેનત દાઢ માગી લે તેવા છે. 2 અહિયા સૌંદર્ય પણ ભારોભાર પડયું છે પણ સૌદર્ય સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને સૌષ્ઠવનું સંમિલન માત્ર ગુજરાતમાં જ સભર પડયું છે, આંખ ભરીભરીને જોવા ગમે તેવા સૌંદર્યધામોની હારમાળા અહીં છે. પાલીતાણાના જૈન મંદિર હજાર વર્ષથી પણ જૂના હશે.? ધૂમલી પાસેથી મળી આવેલા તામ્રપત્રો પશુ ઘણા જુના જમાનાની યાદ આવે છે. ગિરનાર, શત્રુંજય, બરડે કે તળાજા જેવા નાનામોટા પર્વ અને ઉત્તર ગુજરાતના ઘણા પ્રાચીન સ્થળે ઇતિહાસકારોના સંશોધનની ભૂખ ભાંગી નાખે છે તો વળી ખેડા , જિલ્લાના કેટલાએ ધાર્મિક સ્થળો ધર્મવાંચ્છુઓની આધ્યાત્મિક ધમભાવનાને સંતે છે, Siews સરિતાના સલિલની જેમ સરી જતા સમયના દિવસેને એક આંટો પૂરો થાય છે. માનવજીવનની તવારીખમાં નુતન વર્ષની અનેક ઉષાઓ ઊગીને આથમી ગઈ, પણ ઉન્નતિ અને અવનતિના સોપાનની ચડ ઉતર કરતે માનવી આજે કયાં ઉભે છે? માનવજીવનની આ વણઝાર નિરંતર વહી રહી છે. તેના પાયામાં સાંસ્કૃતિક વારસાના અહીંતહીં જે અમૃત બિંદુઓ પડ્યાં છે. તે શોધીને મૂકવાનો નમ્ર પુરુષાર્થ છે. - ગરવી ગુજરાતની ધરતીના સપુતએ, સાગરખેડૂ વીરેએ વીરાગની સંસ્કૃતિ રચી છે. તે સંતે અને ઓલીયાઓએ પ્રજાજીવનના એકએક ક્ષેત્રમાં પિતાના જીવનને પ્રભાવ પાડયા છે, આધ્યાત્મિકતાની ચીનગારી આપનાર સિદ્ધપુરુષો પણું આ ધરતીનું ધાવણ ધાવીને સમસ્ત દેશના ગૌત્ર બનીને રહ્યાં તે વળી ઉદ્યોગ અને વાણિજ્યના ક્ષેત્રમાં પ્રતિભા ઉભી કરનાર નરપું એવો પણ ગુજરાતની ધરતીએ આપ્યાં છે. તે વૈષણવ સંસ્કારોને કારણે પ્રેમ અને અહિંસા જીવનકંધમાં મેળવી, સંસ્કારને ઊછેરી, વિકસાવી એમાંથી જીવતનું રસાયણ બનાવી અદ્ભુત સંજીવની નિપજાવી અભિનવ જીવનસ્વરૂપ ઘડવાનાં ભગીરથ કાર્ય કરનાર નામીઅનામી ગુજરાતી સંસ્કૃતિના વાહકોએ, શ્રમણ સંસ્કૃતિના તાણાવાણાએ માનવજીવનને એક નૂતન સમાજને આકાર આપે છે. આ ભૂમિના કવિઓ અને સાહિત્યકારોએ. શબ્દની દુનિયામાં પણ અનુપમ સૌરભ પ્રસરાવી છે. કારણ આ સંસ્કૃતિમાં રસ અને માધુર્ય ભર્યા પડ્યા છે. ગુજરાતના રાસ, ગરબા, ભજન, દુહાઓ, સરકી લેકકથાઓ, આદિવાસી નૃત્ય, ગુજરાતની સંસ્કૃતિના અમૃતપાન કરાવતા ચિરકાળ વહાાં કરશે. ગુજરાતની ધરતી ઉપરના ગામેગામ બબ્બે ત્રણ ત્રણ સિંહાત્માઓ જાગે. જેમણે, પિતાના બંધને કાપ્યાં હોય, જેમણે અનંતને સ્પર્શ અનુભવ્યું હોય, જેમને આત્મા આ બ્રહ્મમાં ઢળે હોય. જેમને ધનની સત્તાની અને યશની ભૂખ-ઝંખના ન હોય. પછી જેઈલ કે ધરા કેવા આનંદથી ધ્રુજે છે! ગુજરાતના ભાતીગળ સાંસ્કૃતિક ઈતિહાસના પાનાઓ ઊખતાં આવા સિંહાત્માઓના જીવન કવન દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવવાને અમારો નમ્ર પ્રયાસ છે. યેગ અને અધર સંપ્રદાયનાં ધામ - વેદકાળના આરણ્યક ઋષિઓ યોગવિદ્યાના ઉપાસકે હતા. તેમનામાંના કેટલાક પણ ગુજરાતમાં ગવિદ્યા સાથે નિવાસ કરતા. ભગવાન શ્રીકૃષ્ણ પણ મહાસમર્થ યોગેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ગિરનારમાં યદુ રાજાને તત્વજ્ઞાન તથા અવધૂત માગતો Jain Educatinter For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy