________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓ
શ્રી જયેન્દ્ર ત્રિવેદી
ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે કે એને બાલ્યાવસ્થામાં નરિસંહ મહેતાના ઉચ્ચ કોટીનાં પ્રભાતિયાં સાંભળવા મળ્યા. હિરરસસભર પદેાની સાથે સાથે ઉત્તમ કાટીનાં આધ્યાત્મિક પદો પશુ પ્રચૂર માત્રામાં નરસિ’હે આપ્યાં છે. ‘ શામળશાના વિવાહ', ‘ રાસસહસ્ત્રપદી ’,‘ શૃંગાર માળા ', ‘ ચાતુરીએ ', ‘ હિંડાળાના પદો ’, ‘ વસંતના પદો ', ‘ કૃષ્ણ લીલાના પદો ', ‘ સુદામાચરિત્ર ’મીરાં પેાતાનાં ગીરધર ગોપાલને જ વરવા ઉત્સુક છે અને એ પચે
અનુભૂતિની સચ્ચાઈના રણકાને લીધે અને દ, વ્યાકુળતા અને વેદનાના સ્પશને કારણે ઉત્તમ ઊર્મિ ગીતનુ સ્વરૂપ પામ્યા છે. ભાવપક્ષ ના અદ્ભુત વૈભવને કારણે કલાપક્ષની ઉપેક્ષા આપણુ ધ્યાન પણ ખેંચતી નથી. મીરાંબાઈનુ રાજપૂતી ખમીરી ડગલેને પગલે દેખાઈ આવે છે. * મેરી કાઈ નહિ રોકન હાર ' કહેનારી
વગેરે ગ્રંથા દ્વારા એમણે પુષ્કળ પદ્ય સાહિત્ય ગુજરાતને આપ્યું છે. એ સમયના અનેક ભારતીય કવિઓની જેમ નરસિંહની રચનાએના ઉત્કટ શૃંગાર રસ પણ તિપરક હોવાથી સમાન્ય થઈ જાય છે અને સૌને તૃપ્ત કરે છે. • જ ગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંધમાં અટપટા ભાગ ભાસે ', કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હુ તેજ હું શબ્દ લે', કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે ' જેવી તત્ત્વજ્ઞાનથી ભરેલી સંગીતમય વાણીનું ગાન તે આજે પણુ ગુજરાતમાં હશે હોંશે થાય છે. ગ ધીજીની કૃપાથી એનું વૈષ્ણવજન તે તેને રે કહીએ ’ પદ સંસારવ્યાપી બન્યું છે. નરિસંહના પદો ગુજરાતી ભાષી પ્રજાનું આગવું ધન છે.
જે કષ્ટ આવે તે ઝીલવાની એની તૈયારી છે–હાની હાઇ સા હાઈ રાધાકૃષ્ણ સિવાય બીજું ખેાલવાની મનાઈ કરનારી મીરાં ગીરધરને ઘરે ચાકર રહેવા પણ તૈયાર છે તા ગાવિંદાને ખરીદી લેવાની પણ ખુમારી ધરાવે છે. મેાહનના મુખડાની માયા જેતે લાગી છે તે મીરાં એના વિના જનમની જોગણુ છે. એને પ્રેમની કટારી લાગી છે. પ્રેમલક્ષ્ણા ભક્તિના આ નિર્દેળ પ્રવાહમાં નાન કરીને સા ધન્ય થઈ શકે તેમ છે. મુકુમારતા, અકૃત્રિમતા, તન્મયતા વગેરે ગુણાને કારણે મીરાંના પદે આજે પણ ઘરઘરમાં પ્રચલિત છે, એટલે જ આપણે કહી શકીએ કે ‘અમને ગુજરાતીને મેટી મીરાત ભાઇ, મીર ઘરેણું અમારે સાચું રે !!
ભાલણે શરૂ કરેલા આખ્યાન સાહિત્યમાં ગણનાપાત્ર ઉમેરો કરનાર નાકરની કૃતિએમાંથી ‘વિરાટ પર્વ ’ ઉલ્લેખનીય છે.
પદ્મનાભની રચના ‘ કાન્હડદે પ્રબંધ ' એક વિશિષ્ટ ઐતિહાસિક વીર કાવ્ય છે. રાજપૂતાના પરાક્રમને અને સ્વદેશાભિમાનને ગૌરવ આપતું આ પ્રશ્નધકાવ્ય વીરની સાથે શૃંગાર, કરુણ અને અદ્ભુત રસની ગુંથણી પણ ધરાવે છે. વીરિસ ંહનું * ઉષાહરણુ ' એ વિષયના પ્રાપ્ત આખ્યાનોમાં સૌથી જૂનું છે. આખ્યાન સાહિત્યના આદિ કવિ ભાલણુની કૃતિમાં દશમસ્કંધ ', ‘ નળાખ્યાન ', ‘ કૃષ્ણવિષ્ટિ ' · ક્રાંબરી ', ‘ રામબાલ ચરિત ’· વગેરે મુખ્ય ગણાય. બાણુની સમાસ પ્રચુર, અલંકારપ્રધાન ભાષાને તે જમાનાની ગુજરાતીમાં ઉતારવાના ભારે સફળ પ્રયાગ ભાલણે કર્યો છે.
મીરાંબાઈના પદો હિન્દી તેમજ ગુજરાતી ભાષાની શાભા છે. રાજસ્થાની છાંટ વાળી ગુજરાતી ભાષા દ્વારા મીરાંએ કૃષ્ણભક્તિનાં જે પદો રચ્યાં છે. તે આજ પણ રસિક વાચકને સંતૃત્ર કરે છે. ચિરવિરહિણી મીરાંએ શૃંગારના જે સુકામળ મનેાભાવાને પાતાનાં પોમાં ગૂંથ્યાં છે તે એક નારીહૃદય જ અનુભવી અને કથી શકે. રાણાજી અને પરિવારના અન્ય સભ્ય તરફથી દહાગ્રહી મીરાંની જે સતામણી થઈ છે તેના પડઘા તેમના પદેમાં વારંવાર સ`ભળાયા છે. ભકિતની આ અગ્નિપરિક્ષામાંથી મીરાંને વારંવાર પસાર થવું પડ્યું છે પણ તેથી તેનાં પદો તેા શુદ્ધ સુવર્ણની જેમ જ નીખરી આવ્યાં છે. સંસારના આ ઝેરના ઘૂંટડાં પચાવી જઈ મીરાંબાએ કવિતામાં તે। અમૃતના કુપા જ આપ્યાં છે. પ્રભુમિલન કે પ્રભુવિરહ, શૃંગાર કે વૈરાગ્ય, સગુણ કે નિર્ગુણ જે ભાવ મીરાંએ લીધા છે તે
Jain Education International
અખાની રચનાઓમાંથી એનાં છપ્પા વક્રાતિને કારણે, સચેટ ઉદાહણને કારણે, ન ભને કારણે, આજે ય તાજા જ લાગે છે અને એટલે લોકજીભે રમે છે પણ જેને પ્રાકૃત ઉપનિષદ' નું બિરુદ મળ્યું' છે તે ‘ અનુભવ બિન્દુ ' અને તેની સાથે ઊભી રહી શકે તેવી ‘ અખે ગીતા ' પ્રૌઢ કાવ્યશક્તિને કારણે અમર રચના જ ગણાશે. જવ અને બ્રહ્મના સંબંધ સમજાવતી આ રચનામાં તત્ત્વજ્ઞાન ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યું છે. ‘ તત્ત્વજ્ઞાન વિષ્ણુ ખીજુ` અખા તે રમવું જેમ કાચકાંચકાં', પણ તત્ત્વજ્ઞાનની આંગળી પકડીને કવિતા પણ ચાલી આવી છે એટલે જ આ ‘ ગરવા જ્ઞાનના વડલા ' ની વડવાઇઓ જનસાધારણને પણ આકર્ષે છે.
*
મધ્યકાલના મહાસમર્થ કવિ તો પ્રેમાનંદ જ. ગુજરાતી ભાષા જયાં સુધી રહેશે ત્યાં સુધી પ્રેમાનંદ લોકપ્રિય રહેવાનો. એની પચાસેક જેટલી નાનીમોટી કૃતિઓમાંથી મહત્ત્વની છે, ‘ અભિમન્યુ આખ્યાન ', ‘ ઓખાહરણુ ’, ‘ સુદામાચરિત્ર ’, ‘મામેરુ’’, ‘ રણયજ્ઞ ‘ નળાખ્યાન ’, ‘ દશમસ્કંધ ’ વગેરે. કથનકૌશલ, રસજમાવટ, પાત્રલેખન, ભાષાવિવ્યક્તિમાં પ્રેમાનંદને કોઇ ન પહાંચે એ આ કૃતિઓને આધારે સહેલાઈથી સિદ્ધ કરી શકાય. ભાવાનુકુલ ભાષા અને પ્રસંગાનુકુલ નિરુપણ એ પ્રેમાનંદની મુખ્ય વિશેષતાઓ. પણ પ્રેમાનંદની એક જ કૃતિ પસંદ કરવી હોય તેા ‘ નળાખ્યાન' તે જ વરમાળા પહેરાવવી પડે. સ`સ્કૃત ગ્રંથ કે અગાઉના કવિઓની આ વિષયની
For Private & Personal Use Only
'
www.jainelibrary.org