SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૪ ધન્ય ધરા ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિ ગૌરવ પુરસ્કાર તથા મિલેનિયમ એવોર્ડ તેમજ સુરત શહેર પત્રકાર નિધિ દ્વારા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સિલેક્ટર શ્રી અંશુમાન ગાયકવાડના હસ્તે બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ', ગુજરાત દૈનિક અખબાર સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિૐ આશ્રમ એવોર્ડ તેમજ શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી “સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ એનાયત થયા છે. નડિયાદની હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયાએ “લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ' એમને એનાયત કર્યો છે. ઈ.સ. ૧૯૮૪થી પ્રતિવર્ષ પરદેશમાં કુમારપાળનાં વ્યાખ્યાનો યોજાય છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદનરૂપે ઇંગ્લેન્ડમાં ૧૭ ભારતીય સંસ્થાઓએ મળીને તેમને “શ્રી હેમચંદ્રાચાર્ય એવોર્ડ આપેલો. આ ઉપરાંત તેમને ઉત્તર કેલિફોર્નિયાના જૈન કેન્દ્ર દ્વારા ગૌરવ પુરસ્કાર', “જૈન જ્યોતિર્ધર એવોર્ડ’, ‘ગુજરાતરત્ન એવોર્ડ તથા ૧૯૮૦માં જુનિયર ચેમ્બર્સ તરફથી ‘ટેન આઉટસ્ટેન્ડિગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા' એવૉર્ડ પણ એનાયત થયેલ. અમેરિકા અને કેનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતા “ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા' (જેના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યનાં સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ સ્પેશ્યલ એવૉર્ડ કેનેડાના ટોરન્ટોમાં ૧૯૯૭ના જુલાઈમાં યોજાયેલા દ્વિવાર્ષિક અધિવેશનમાં કુમારપાળને એનાયત થયો હતો. મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે દિલ્હીની અહિંસા ઇન્ટરનેશનલ સંસ્થાએ તથા દિવાળીબહેન મોહનલાલ મહેતા ટ્રસ્ટે વિશિષ્ટ એવોર્ડ એનાયત કર્યા છે. ઈ.સ. ૨૦૦૧માં ભગવાન મહાવીર જન્મકલ્યાણક સમિતિ તરફથી જૈનદર્શન અને જૈનભાવનાઓમાં પ્રસાર માટે ઉત્તમ યોગદાન કરનાર ૨૬ વ્યક્તિઓને વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીના હસ્તે અપાયેલા “ર્જનરત્ન એવોર્ડ' માટે પણ તેમની પસંદગી થઈ હતી. મુંબઈના ક્રોસ મેદાન પર ભારતની એકસો વર્ષથી પણ વધુ જૂની અને તમામ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ ધરાવતી “ભારત જૈન મહામંડળ” સંસ્થા દ્વારા આચાર્ય મહાપ્રજ્ઞજીની નિશ્રામાં સર્વપ્રથમ જૈન ગૌરવ એવૉર્ડ' અર્પણ કરાયો. રમતગમતક્ષેત્રે પણ કુમારપાળનું પ્રદાન ઉલ્લેખનીય છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ થયેલા ‘ભારતીય ક્રિકેટ' અને ક્રિકેટના વિશ્વવિક્રમો” તેમજ “ક્રિકેટ રમતાં શીખો' ભાગ ૧-૨ની દોઢ લાખ નકલો રમતપ્રેમીઓએ ખરીદી હતી. ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ ‘ક્રિકેટર મેગેઝિન ક્લબ'નું માનાઈ સભ્યપદ તેમને સાંપડ્યું હતું. તેમના એક પુસ્તકને “ધ ક્રિકેટર ઇન્ટરનેશનલ સામયિક' દ્વારા આયોજિત “જ્યુબિલી લિટરરી એવૉર્ડ' માટેની સ્પર્ધામાં સ્થાન સાંપડ્યું હતું. ૧૯૬૨થી અખબાર, રેડિયો અને ટેલિવિઝન પરની તેમની વિગતખચિત પ્રમાણભૂત રમતગમતની સમીક્ષાએ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી છે. તેમણે વિવિધ ક્લબો અને સંસ્થાઓમાં રમતગમત વિશે ૩૦૦થી વધુ વક્તવ્યો આપ્યાં છે. ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શનમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે. એમના માર્ગદર્શન હેઠળ ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવી છે. સિંગાપોરની ૫૦ વર્ષની પરંપરા ધરાવતી ગુજરાતી સ્કૂલમાં અભ્યાસક્રમ અંગે વર્કશોપ કર્યા છે. કેનિયા અને એન્ટવર્ષમાં ગુજરાતી શીખવા અંગેના પ્રયત્નોમાં સક્રિય સહયોગ આપવા સાથે તેમણે બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી અને અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમી તરફથી વક્તવ્યો આપ્યાં છે. કર્મવીર કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ મંત્રી તરીકે કામ કરી ચૂકેલા તેઓ અત્યારે તેની કાર્યવાહક સમિતિના સભ્ય છે. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ઉપાધ્યક્ષ છે. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે કાર્યરત કુમારપાળ છેલ્લાં ૪૦ વર્ષથી શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે . પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના તેઓ મંત્રી છે. ગુજરાતની અસ્મિતાના મહાપુરુષાર્થ સમાન ગુજરાતી વિશ્વકોશ'ના પ્રારંભથી જ તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવારત છે. શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ), સુલભ હેલ્થ એન્ડ હાર્ટ કેર સેન્ટર વગેરે સંસ્થાઓ દ્વારા તેઓ આપત્તિગ્રસ્ત લોકોને સહાય પહોંચાડે છે. શ્રીમદ્ રાજચંદ્ર સેવા કેન્દ્રના ટ્રસ્ટી તરીકે મૂક-બધિર બાળકોની સંસ્થા ઉમંગ’માં ઊંડો રસ લે છે. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરતીકંપ વેળા તેમણે ભૂકંપગ્રસ્તો Jain Education Intemational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy