SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ ધન્ય ધરા આ જ સમયગાળા દરમિયાન જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના પાંચમા આંતરરાષ્ટ્રીય અધિવેશનના આયોજન વેળાએ ૬૦૦૦થી પણ વધુ સભ્યો તેમનું સલોણું સાંનિધ્ય પામી શક્યાં. સુરેશભાઈમાં રહેલી નેતૃત્વની નૈતિકતાનો, કાર્યકરોની વૃત્તિને પ્રવૃત્તિમાં બદલવાની પ્રવીણતાનાં સૌ પ્રત્યક્ષ સાક્ષી બન્યાં. સૌ જોઈ શક્યાં આમંત્રિતોને આવકારવાની તેમની અંતરભીની આતિથ્યભાવનાને! સૌ જોઈ શક્યાં તેમની સંયોજનની પ્રતિબદ્ધતાને ! ઘડીએ ઘડીની ઘટમાળ જાણે પહેલેથી જ ઘડાયેલી ન હોય ! સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પ્રીતિ ભોજનની વ્યવસ્થા હોય કે પછી બૌદ્ધિકોની સભામાં ૬000 આમંત્રિતોના ઉત્સાહનો ઊમળકો હોય આ સર્વેમાં તેમની કાર્ય પ્રત્યેની નિરંતર નિષ્ઠાનું નિરૂપણ જોવા મળ્યું, અદ્ભુત ! | JsG ફેડરેશનનાં આંતરરાષ્ટ્રીય પ્રમુખપદ દરમ્યાન તેઓશ્રીએ દેશ પરદેશમાં પથરાયેલ તત્કાલીન ૧૬૨ જૈન સોશ્યલ ગ્રુપ્સમાંથી મહત્તમ ૧૫૨ ગ્રુપોની શુભેચ્છા મુલાકાત લઈ દૂર-સુદૂર વસેલા જૈન ભાઈઓને ભાતીગળ ભોમકાના ભાઈચારાનો સ્નેહભીનો સંદેશ પાઠવી આવ્યા. વિશ્વના ખૂણેખૂણે જઈ અનેકતાને એક્તામાં પરિવર્તિત કરતી એવી JS G. સંસ્થાનું સંવર્ધન કરી આવ્યા. Motivation, leadership style, Effective public speaking, goal setting process, time management જેવા અનેક વિષયો પર તેમનું નોખું - અનોખું પ્રભુત્વ હોવાને કારણે દેશ-વિદેશમાં સ્લાઇડસના સથવારે અનેક વર્કશોપ સંયોજી નેતૃત્વની બીજી હરોળ તૈયાર કરવામાં શ્રી સુરેશભાઈનું પ્રદાન પ્રશંસનીય બન્યું છે. તેઓશ્રીના આ કાર્યકાળ દરમ્યાન લખેલ અને પ્રકાશિત કરેલ ‘ગાઇડ લાઇનબુક માર્ગદર્શનનો મહાસાગર પુરવાર થઈ, તેમજ તેઓએ તૈયાર કરેલ “પ્રોગ્રામ પ્લાનર' જૈન સોશ્યલ ગ્રુપના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. તેમના પ્રમુખપદ દરમ્યાન યુવાનો માટે “યુવાફોરમ” પ્રવૃત્તિનો શાનદાર શુભારંભ થયો અને અંદાજે ૩૦થી વધુ યુવાફોરમની સ્થાપના કરી. આજે આવી પ્રવૃત્તિઓ પાછળનું પ્રયોજન જૈન યુવક-યુવતિઓ માટે પ્રેરક અને શ્રેયક પુરવાર થયું છે. આ સર્વે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવા છતાંય સુરેશભાઈ, Indian Nation Trust for Art & cultural Haritage -New Delhi ના કોકન્વિનર તરીકે કલાસંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી રહ્યા છે. તઉપરાત પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરુકુળના માનદ્ મંત્રી તરીકે પણ સતત પ્રવૃત્ત રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્ર લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે તેઓ વતનની વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ સાથે સતત જડાયેલા રહ્યા છે તેમ જ રેડક્રોસ અને હોર્ટિકલ્ચરલ સોસાયટીના સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિયપણે સંકળાયેલા છે. ઉદાર મનોવૃત્તિ : સાદી જીવનશૈલી સમસુદ્દીનભાઈ છતરિયા મહુવાનું છતરિયા કુટુંબ સાહસિકતા, દીર્ઘદ્રષ્ટિ અને વ્યવહારદક્ષતા માટે જાણીતું છે. એ કુટુંબના યુવાન સભ્ય શ્રી સમસુદ્દીનભાઈએ મહુવાના ઔદ્યોગિકક્ષેત્રે એક નવી ભાત પાડી છે. નોનમેટ્રિક સુધીનો અભ્યાસ પણ ઔદ્યોગિકક્ષેત્રે કંઈક કરી છૂટવાનો મનસૂબો બચપણથી જ સેવેલ. પોતે ૧૬ વર્ષની ઉંમરેથી લોખંડની હાર્ડવેરની પોતાના પિતાની નાની એવી દુકાનથી પોતાના બિઝનેસની શરૂઆત કરેલ. બે-ચાર વર્ષનો બિઝનેસનો અનુભવ લઈ પોતે પોતાની સરનેઈમ છતરિયા હોઈ તે નામે બે–ચાર કારીગરોથી એક લોખંડનાં ખેતઉપયોગી સાધનો બનાવવાનો ઉદ્યોગ શરૂ કરેલ કે જ્યારે મહુવાનો ઔદ્યોગિક વિકાસ પા પા પગલી ભરતો હતો અને એ ઉદ્યોગ મહુવામાં પ્રથમવાર જ થતો હતો. આ બાદ સમય જતાં આપે ફાયરફાઇટિંગ હોઝપાઇપ બનાવવાના ઉદ્યોગની સ્થાપના કરી અને તેમાં ISI માર્ક iso : ૯૦૦૧ : ૯૦૦૨નું સ્વરૂપ આપી પોતાના માલની ઉચ્ચ ગુણવત્તાથી ગવર્નમેન્ટ સપ્લાય તેમ જ એક્સપોર્ટ કરી અનેક રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત થઈ સારી એવી નામના મેળવી. આટલાથી જ અટકી ન જતાં આપ હંમેશાં કંઈક નવું કરવાની ખોજમાં રહેતા. સમય જતાં આપે ડુંગળી, શાકભાજી, ડિહાઇડ્રેટ કરી તેની બનાવટોની એક્સપોર્ટ કરવાનો ડિહાઇડ્રેશન પ્લાન્ટની મહુવાના ઔદ્યોગિક જગતને ભેટ ધરી કે જ્યારે મહુવામાં શાકભાજી, ફળફળાદિને ડિહાઈડ્રેટ કરી તેની બનાવટોનું એક્સપોર્ટ કરવું એ એક કલ્પાનીત બાબત હતી. ઉદ્યોગ વિકસાવવા માટેના જરૂરી સાધનોની ઊણપ હતી, પડકારરૂપ પરિસ્થિતિ હતી ત્યારે પોતાની સાહસિકવૃત્તિથી આપે મહુવાને આ પ્રથમ ડિહાઇડ્રેશન પ્લાન્ટની ભેટ ધરી. એ પ્લાન્ટમાં આધુનિક ટેક્નોલોજીથી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ બનાવી એક્સપોર્ટ માર્કેટમાં પોતાના નામથી માલ વેચાય તેવી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy