SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય મેળવે છે, તે આકાશના સ્થિર તારકો જેમ શાશ્વત સ્થાન પ્રાપ્ત કરે છે. કિશોરભાઈ શેઠનું જીવન એવા શાશ્વત સ્થાનનું અધિકારી છે. માતુશ્રી કાન્તાબહેનના ધાર્મિક સંસ્કારોથી પોષણ મેળવીને કિશોરભાઇએ જીવનને ધન્ય બનાવ્યું. સદ્ગુણો અને સદાચારથી ઉજજવળ બનાવ્યું. દાન, દયા, ઉદારતા, પરોપકાર, અહિંસા અને કરુણાના ભાવોને જીવનકાર્યોમાં મૂર્ત કરીને આ મનુષ્ય અવતારને સફળ બનાવ્યો. ‘ધર્મો દિ તેષાં અધિો’ એ સૂત્રથી બંધાઈને અનેક સત્કર્મો કર્યાં. પરિણામે તા. ૮-૧૨-૧૯૯૪એ અલ્પાયુષ્ય ભોગવી દિવંગત થયા હોવા છતાં આજે પણ એમની જીવનસૌરભ સૌને હૃદયસ્પર્શી છે. શ્રી આશિતભાઇ કિશોરભાઇ શેઠ દિવગંત તા. ૧૬-૦૧-૧૯૯૯ શેઠ પરિવારનું નાજુક પુષ્પ શ્રી આશિતભાઈ Jain Education International શ્રી કિશોરભાઈ ડી. શેઠ (કે. ડી. શેઠ) દિવંગત તા. ૦૮-૧૨-૧૯૯૪ તા. ૨૪-૧-૧૯૬૯ના રોજ પુષ્પનું પ્રાગટ્ય અને તા. ૧૬-૧-૧૯૯૯ ના રોજ એ પુષ્પનું વિલીન થવું, એ માત્ર શેઠ પરિવાર માટે જ નહીં, સમગ્ર સમાજ માટે અસહ્ય ઘટના હતી. ત્રીસ વર્ષની આયુમર્યાદા આ મહાકાળના અનંત પ્રવાહમાં તૃણ સમાન પણ ન કહેવાય. તેમ છતાં વ્યક્તિ પોતાના અલ્પ જીવનકાળમાં પણ અમીટ છાપ મૂકતી જાય છે. એ છાપ પૈસો કમાવાથી કે વેપારઉદ્યોગ વિકસાવવાથી કે સત્તા-હોદ્દો હાંસલ કરવાથી નથી ઊભી થતી. એ છાપ ઊભી થાય છે જીવનમાં સદ્ગુણોનું આરોપણ કરવાથી, એ છાપ ઊભી થાય છે એનું સદાચરણ કરવાથી અને એ સદ્ગુણનું સદ્ભાગ્ય સાંપડે છે ઘર-કુટુંબની પવિત્ર પરંપરાથી. શ્રી આશિતભાઈને મોટી બા કાન્તાબહેન અને પિતા કિશોરભાઈનો ભવ્ય વારસો મળ્યો હતો. એ વારસો ધનવૈભવનો નહોતો, એ વારસો ધર્મ અને અધ્યાત્મ, અહિંસા અને કરુણા, પરોપકાર અને દાન, તપ અને આરાધનાનો હતો. ટૂંકા જીવનમાં શ્રી આશિતભાઈ એવું પાવનકારી જીવન જીવી ગયા કે એમનું અનુકરણ અનેક યુવાનોને પ્રેરણાદાયી બની રહે છે ! લી. મહેન્દ્ર ડી. શેઠ ભાનુમતી કે. શેઠ તથા શેઠ પરિવાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy