SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા ઇલ્કાબોથી સમ્માનિત પધપુરસ્કાર પ્રાપ્તકર્તાઓના પરિચયો રજૂ કરનાર શ્રી પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીએ અહીં વ્યક્તિવિશેષ અંગે “સામાન્ય જ્ઞાન'માં ઉપયોગી થાય તેવી સંકલના રજૂ કરી છે. પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા તા. ધંધુકા (જિ. અમદાવાદ) છે, જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા બાદ કવિ શ્રી બોટાદકર કોલેજ-બોટાદ, સી. એન. કોમર્સ કોલેજ-વીસનગરમાં અને ૧૯૮૧થી જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કોલેજ-જંબુસરના અધ્યાપક, હાલમાં તે વિષયના અધ્યક્ષ છે. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વગેરેમાં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી’, ‘પરોપકારી’ જેવા ઉચ્ચકક્ષાનાં સામયિકોમાં લેખ પ્રકાશિત થયેલ જેના ફળસ્વરૂપે ડો. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વિશે સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા છ જેટલાં રેડિયોપ્રવચનો આપ્યાં છે. “સ્તંભેશ્વર તીર્થ' (કંબોઈ) અંગે કેસેટ બનાવવામાં યોગદાન આપ્યું છે. કેન્દ્ર દ્વારા આયુક્ત આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. ગુજરાત રાજ્ય અભિલેખાગાર (આર્થાઇલ્ઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. શિક્ષણ સાથે સમાજસેવા અને લેખન પ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાંમોટાં બાવીસેક પુસ્તકો સંપાદિત/પ્રકાશિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. સને ૨૦૦૭–માં ના. માહિતી નિયામકશ્રી કચેરી–ભરૂચ દ્વારા પ્રકાશિત “મળવા જેવા માણસ'માં તેમનો પરિચય વિસ્તૃત રીતે લેવાયો છે. તેમનું સરનામું – પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી, ૨૫-જયમહાદેવનગર, જંબુસર, જિ. ભરૂચ-૩૯૨ ૧૫૦ –સંપાદક ભારતમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરી સમાજને ઉપયોગી થનાર પ્રતિભાઓને પુરસ્કૃત કરી સન્માનવાના ઉમદા હેતુસર ભારત સરકારે ૧૯૫૪થી નાગરિક પુરસ્કારો એનાયત કરવાનો પ્રારંભ કર્યો, જેમાં (આંતરરાષ્ટ્રીય કક્ષાએ “શાંતિ પુરસ્કાર' આવે, જેનો આ લેખમાં સમાવેશ નથી કર્યો પરંતુ) રાષ્ટ્રીય કક્ષાએ સૌ પ્રથમ આવે– (૧) “ભારતરત્ન'. ત્યારપછી ઊતરતાં સૌ પ્રથમ આવે તે (૨) “પદ્મવિભૂષણ (૩) પવાભૂષણ' અને (૪) “પદ્મશ્રી’ આવે. આ પઘપુરસ્કારો કેવી રીતે એનાયત કરવામાં આવે છે તેની પ્રક્રિયાની બહુ માંડીને વાત ન કરીએ પણ સને ૧૯૫૪થી લઈને સને ૨૦૦૭ સુધીમાં ભારત સરકારે ૪૧ ભારતરત્ન, ૨૨૨ પદ્મવિભૂષણ, ૯૬૮ પદ્મભૂષણ અને ૨૦૨૪ પદ્મશ્રીના પુરસ્કારો એનાયત કરેલ છે. વચ્ચેના કેટલાક ગાળામાં તા. ૧૩-૭-૧૯૭૩થી ૨૬-૧-૧૯૮૦ સુધી પદ્મવિભૂષણ પુરસ્કારોને સ્થગિત કરવામાં આવેલા. આટલાં વર્ષોમાં આ ચારેય પ્રકારના પુરસ્કારોનો સરવાળો ૩૨૫૫નો થવા જાય છે તેમાંથી ગુજરાતીઓએ કેટલા મેળવ્યા? ગુજરાતીઓને માત્ર બેંકની પાસબુક જ વહાલી છે' એટલે કે વેપાર-ધંધાનો નફો જ વહાલો છે એવી પ્રચલિત માન્યતાનું મહેણું ગુજરાતીઓએ મેળવેલા પપુરસ્કારોની સંખ્યા સાંભળીને ભુક્કો થઈ જાય છે એ આનંદની વાત છે! સત્તાવાર ગુજરાતમાંથી જ જેમની “એન્ટ્રી' મોકલાઈ હોય તેવા ૯૩ ગુજરાતીઓ તો ખરા જ પણ ગુજરાત છોડીને દેશના અન્ય ભાગમાં વસેલા-ગુજરાત બહાર જઈને અન્ય રાજ્યને પોતાની કર્મભૂમિ બનાવનાર ગુજરાતીઓને જો યાદ કરીને ઉમેરો કરીએ તો તો આ સરવાળો થનગનીને ૧00નો આંકડો પણ આંબી જાય. દા.ત. ગુજરાતી ફિલ્મોમાં જેમનાં ગીતોએ એકચક્રી શાસન ભોગવેલું તે અવિનાશ વ્યાસને ૧૯૭૦માં ‘પદ્મશ્રી'નો પુરસ્કાર પ્રાપ્ત થયો પણ તે તો મહારાષ્ટ્ર રાજ્યમાંથી મળેલો! [આવાં અન્ય દષ્ટાંતો અત્રે ઉમેરી શકાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy