SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રાખી તે નીચે ઊતર્યા. એમને કશું જ કર્યું નહીં. અહીં તો વાઘ લોહીતરસ્યા નહીં પણ અહિંસક મુનિ બની જતા અને ચૂપચાપ મર્યાદામાં રહીને ઘૂમતા. એક વખત ખબર મળતાં મુંબઈથી આર્ય-પથિક લોજના માલિક આવી પહોંચ્યા. મહાત્માજીને જોઈને બોલી ઊઠ્યા “અરે છગનલાલ! તમે તો મુંબઈથી અહીં આવી ગયા! તમારી કેટલી શોધ ચલાવી? ચાલો મુંબઈ પાછા!” તો મહારાજે કહ્યું : “યહાં કોઈ છગનલાલ નહીં હૈ, યહાં તો આત્મારામજી હૈ. છગનલાલ હોતા તો આતા, આત્મારામજી યહાંસે નહીં ચલ સકતે.' તેઓ છગનલાલને પાછળ મૂકીને અહીં સુધી આવ્યા હતા. જ્યાં મહાપુરુષો વસે છે ત્યાંના અણુએ અણુમાં ચૈતન્ય ૦૨૦ પ્રસરે છે. આજે આત્મારામજીને સમાધિષ્ઠ થયે પંચાવનથી વધારે વર્ષ થઈ ગયાં. એમનો આધ્યાત્મિક વારસો તો મહાત્મા કેશવાનંદજીએ બાર વર્ષ સુધી તપશ્ચર્યા આદરીને મેળવ્યો. તેઓ સિદ્ધપુરુષ બની મણિનાગેશ્વર પધારી મહાત્મા શ્રી નર્મદાગિરિજી તરીકે વીસ–બાવીસ વર્ષ પૂરાં કરી સમાધિષ્ઠ થયા. તેમના શિષ્ય નારાયણ સ્વામી મુંબઈથી ૧૯૩૫માં આવી અગિયાર વર્ષ ગુરુ સાથે રહ્યા. ગોકર્ણમાં બાર વર્ષ તપશ્ચર્યા કરી. ગુરુઆજ્ઞા સાથે મહિસા પધાર્યા. અહીં પુનઃ બાર વર્ષ સુધી સાધના કરી. ત્યાંથી કેદાર-ઝાંઝરિયા લગભગ પાંચ વર્ષ ગાળી જીવંત સમાધિ લીધી ! ત્યારથી આજ સુધી આ ત્રણેય મહાત્માઓની પુણ્યસ્મૃતિમાં તેમની પુણ્યતિથિઓ મહોત્સવરૂપે ઊજવાતી રહે છે. Jain Education International *JJJ ગુજરાતની ભવ્ય અને નિર્મળ ભાવનાનો ચેતનવંતો ધબકાર સંભળાય છે. મંદિરોના સ્થંભોમાં. ગુજરાતમાં શિલ્પસ્થાપત્યકલાના વૈભવ વારસાને સોમપુરા શિલ્પીઓએ આબાદ જાળવી રાખ્યો છે. Dhe For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy