SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૩૫ સમાજસેવાધર્મના શિલ્પીઓ ડૉ. મહેશચંદ્ર પંડ્યા એક વ્યક્તિ ત્રણ ક્ષેત્ર સાથે અનિવાર્ય સંકળાયેલી હોય છે. તે છે જાત, સમાજ અને ઈશ્વર. જન્મથી મૃત્યુ સુધી જાત સાથે જોડાયેલા રહેવું પડે છે, જેને જીવન કહે છે. માતાના ઉદરથી માંડીને કુટુંબ–શેરી-જ્ઞાતિ-ગામ અને દેશ સાથે જોડાયેલા રહેવું પડે છે, જેને સમાજ કહે છે અને આ બધું તું કર્યું વર્તા ઈશ્વર પ્રત્યે પહેલેથી આશ્ચર્ય સાથે જોડાયેલું રહે છે. આ ત્રણે જુદાં જુદાં નહીં એકબીજા સાથે ઓતપ્રોત થયેલાં ક્ષેત્રો છે એટલે એક વ્યક્તિએ એકસાથે આ ત્રણે ક્ષેત્રોની ખેવના કરવાની રહે છે. આમાંના કોઈ એક ક્ષેત્રના કુંડાળામાં કે કોચલામાં પુરાઈ રહેતો માણસ માણસાઈનો આદર્શ ચૂકી જાય છે. બીજાની સામે એ આદરપાત્ર રહેતો નથી. સામે પક્ષે, જાત સંભાળીને અને ઈશ્વરને સ્મરીને સમાજની ખેવના કરતો માણસ મુકી ઊંચેરો દેખાય છે. કારણ કે સમાજ વ્યક્તિઓના સમૂહથી રચાયેલો હોય છે. માણસ તાણાવાણારૂપે સમાજનું મહત્ત્વનું અંગ છે અને મજબૂત અને તંદુરસ્ત પોત તો જ બને, જો પ્રત્યેક તાણો અને વાણો તંદુરસ્ત હોય. એક દેહમાં અનેક પ્રકારની તંત્રવાહિનીઓ કામ કરતી હોય છે, એમાંની એક બગડે તો આખો દેહ ડોલાયમાન થઈ જાય છે. માટે સમાજને વ્યવસ્થિત, સુદૃઢ, તંદુરસ્ત અને દીર્ઘજીવી રાખવા માટે દરેક વ્યક્તિએ સજ્જ રહેવું જોઈએ, એ વણ-કથી વાત છે. સામા પક્ષે, એ પણ એટલું જ સાચું છે કે સમૂહજીવનનાં બધાં પાસાં સરખાં હોતાં નથી. ઊંચ-નીચ, અમીર-ગરીબ, સુખી-દુઃખી વગેરે સારા-નરસા વર્ગો હોય છે. એ માટે સમાનતા જળવાઈ રહે તેવાં કાર્યો થવાં જોઈએ. સબળો વર્ગ નબળાને મદદરૂપ થાય તો જ એવી સમરસતા પેદા થાય. આપણે જોતાં આવ્યાં છીએ કે યુગેયુગે સમાજને એવા સેવાધારીઓ મળતા આવ્યા છે. એમનાથી સમાજ ટકી રહ્યો છે. અભણને ભણાવવા માટે નિશાળો, રોગીઓની સેવા માટે દવાખાનાં, નિરાધારો માટે સહાયકેન્દ્રો અને માણસની શ્રદ્ધા ટકાવી રાખતાં મંદિરો માટે લખલૂટ દાનના પ્રવાહો વહ્યું જાય છે. એવા સમાજસેવાના ભેખધારીઓનો માનવજાતને કદી તોટો પડ્યો નથી. સમાજસેવાધર્મનાં એવા શિલ્પીરનો વિષે પરિચય કરાવે છે ડો. મહેશચંદ્ર પંડ્યા, જેઓ ધર્મ, ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યના અભ્યાસી છે, ચિંતક અને લેખક પણ છે. ગાંધીવાદ, આંબેડકરવિચારધારા અને પ્રણામી ધર્મના ત્રિવેણી સંગમ સમું તેમનું જીવન સમતોલ અને સમૃદ્ધ છે. માનવજાતિની એકતા, ધર્મસ્થાનોની પવિત્રતા, શીલ, સદાચાર, શિષ્ટતા, અહિંસા આદિ જીવનમૂલ્યોની ભારોભાર હિમાયત કરે છે. પ્રેમ, માનવતા, સુખ અને શાંતિનો હંમેશાં અનુરોધ કરતા રહ્યા છે. ગાંધીનગરમાં તેઓ મળવા જેવા માણસ છે. ધન્યવાદ –સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy