SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ શાશ્વત સૌરભ ભાગ-૨ આ છે અણગાર અમારાં...તેમને અમારા અગણિત વંદન હો. અરુણોદય બા. બ્ર. પૂ. શ્રી અરુણાબાઈ મ.સ. [બોટાદ સંપ્રદાય] નામ : અરુણાબહેન. માતાપિતા : શ્રી ઝવેરીબહેન લલ્લુભાઈ હરિચંદ વસાણી. જન્મ : સં. ૧૯૯૯, વૈશાખ સુદ એકમ. દીક્ષા : સં. ૨૦૨૨, વસંત પંચમી. ગુરુજી : પૂ. શ્રી અમીચંદ્રજી મ.સ.ની નિશ્રામાં. તપ : ૧૦ વર્ષની ઉંમરે એકાસણાંનો વર્ષીતપ. વ્યાવહારિક અભ્યાસ : શાળાનો મેટ્રિક સુધી, રાષ્ટ્રભાષા કોવિદ, સંસ્કૃતભૂષણ, સંગીત. તેઓનાં પુસ્તકો : “પ્રતિક્રમણની પ્રશ્નાવલિ પ્રગટાવે દિલમાં દીપાવલી', “ભક્તિ આપે મુક્તિ', “સાધુવંદનાની સાખે અને પ્રશ્નોની પાંખે', “પાંસઠિયાની અનાનુપૂર્વિ', દેવતા', વિશ્વાસે તરી ગયાં વહાણ', “ઝેર તો પીધાં જાણી જાણી', “વાદળાની કોર રૂપાળી', “શમણાંનો સંસાર'. મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સર્વિચારના દીપક સિવાય ન જઈ શકે. સદ્દવિચારનું એક કિરણ જીવનમાં એવી જ્યોત જગાવી દે છે જે અનેક કાળનાં અજ્ઞાન અને મોહનાં તિમિરને વિખેરી નાખે છે..” જ્યારે કોઈપણ પૂ. સંતો કે સતીજીઓ વિષે લખવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમના ભૂતકાળમાં એક ડૂબકી મારવાનું મન થાય. પાછલાં વર્ષોના ઇતિહાસના પાના ઉપર એક નજર માંડવાનું મન થાય. કેવો હતો એ સમય? સંપ્રદાયોનો જન્મ કેવી રીતે થયો? પાંચમા મહાન સુધારક પૂ. શ્રી ધર્મદાસસ્વામીજી સં. ૧૭૫૮માં ૨૨ શિષ્યોને પાછળ છોડી કાળધર્મ પામ્યા. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેઓએ જૈનધર્મની સુંદર પ્રભાવના કરી. અને તેઓ તે ૨૨ જુદા જુદા સંપ્રદાયથી ઓળખાયા તેમના શિષ્યાનુશિષ્ય પરિવારમાંથી પૂ. શ્રી ડુંગરશીસ્વામી ગોંડલ તરફ વિચરતા તેમજ ત્યાં જ શિષ્યાનુશિષ્ય થતાં ગોંડલ સંઘાડાની ઉત્પત્તિ થઈ. તેવી રીતે પંડિતરત્ન પૂ. શ્રી જશાજી મ. સા. શારીરિક અસ્વસ્થતાને કારણે બોટાદમાં સ્થિરવાસ થતાં બોટાદ સંપ્રદાયની શરૂઆત થઈ. તે સમયે એક દંપતી શ્રી ભૂખણભાઈ અને તેમનાં પત્ની લાડુબાઈએ પૂ. શ્રીના પ્રવચનથી પ્રભાવક થઈ દીક્ષા લઈ સૂત્રોસિદ્ધાંતોનો ખૂબ અભ્યાસ કર્યો અને તેમને ઘણી શિષ્યાઓ થઈ. તે સમયે ગોંડલથી પ્રેમભર્યા પત્રો આવતા કે તમારાં આર્યાજીઓ વિદ્વાન હોવાથી તેમને ગોંડલ મોકલો તો અહીંની ગોંડલની બહેનો વૈરાગ્ય લેવાના ભાવ રાખે છે તો લાડુબાઈ જેવાં આ બાજુ આવે તો સારું. અન્યોન્ય પ્રેમને લીધે બોટાદ સંપ્રદાયે ચાર પૂ. મહાસતીજીઓને એવી રીતે ગોંડલ મોકલ્યાં કે આ સાધ્વીજીઓ તેમજ તેમનો પરિવાર ત્યાં ઊભો થાય અને તેઓ ગોંડલ સંપ્રદાયના ગણાય, પણ ત્યાર પછી બોટાદ સંપ્રદાયમાં સાધ્વી સંપ્રદાયનું તીર્થ બંધ પડ્યું. એ દરમિયાન સ્વ. શાસ્ત્રજ્ઞ પૂ. શ્રી મૂળચંદજી મ. સા., પૂ. શ્રી માણેકચંદજી મ. સા. વગેરે સંતો સ્વાથ્યની પ્રતિકૂળતાને કારણે બોટાદમાં સ્થિરવાસ રહેતા. બોટાદમાં ધર્મભાવનાની વૃદ્ધિ થતી ગઈ અને સંસારની અસારતા સમજાતાં ઘણી બહેનો દીક્ષા લેવા ઉત્સુક થઈ હતી, પણ પૂ. મહાસતીજીનો સુયોગ સાંપડેલો ન હોઈ જોગાનુજોગ જે ગોંડલ સંપ્રદાયને બોટાદ સંપ્રદાયે વર્ષો પહેલાં આર્યાજીઓને સોંપી દીધેલો તે જ ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ની નિશ્રામાં બોટાદ સંપ્રદાયમાં ચતુર્થતીર્થ સાધ્વીસંઘની સં. ૨૦૧૭માં બા. બ્ર. મંજુલાબહેન, ચંપાબહેન, બા. બ્ર. સવિતાબહેન તેમજ બા. બ્ર. સરોજબહેનની દીક્ષા થઈ. આમ બોટાદ સંપ્રદાયમાં ચતુર્થતીર્થમાં સાધ્વીતીર્થનો જન્મ થયો. जाए सद्धाए णिक्खनो तमेव । કમુપાતિયા વિદિતા વિસતિયા (આચારાંગજી) સાધક જ શ્રદ્ધાથી સાધના માર્ગમાં પ્રવિષ્ટ થાય તે બીજી શંકાઓને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે. આવું જ કંઈક બન્યું. અરુણાબહેનના જીવનમાં. બચપનથી જ લગ્નજીવનને ભયંકર બંધન ગણતાં. તેમાં પૂ. શ્રી નૂતન-પીયૂષ ગુરુદેવને વહોરાવવામાં આવેલ ફાકીના કાગળ ઉપર “અબલા જીવન હોય, તેરી યહી કહાની'ના અંકિત થયેલા Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy