SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ - ૧ ધર્મનું સાધન અન્તઃકરણ જ્ઞાની પુરુષે ધર્મ આરાધવાના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કરણઉપકરણ-અતઃકરણ. ને ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે. પહેલો પ્રકાર : કરણ. ધર્મ આરાધનામાં શરીર એ સાધન છે, શરીરની સપાટીથી ધર્મ થાય છે. બીજો પ્રકાર : ઉપકરણ, ધર્મ કરવા માટે જોઈતાં સાધન ઉપકરણ કહેવામ. ઓધો, મુહપત્તિ, ચ૨વળો, કટાસણું, નવકારવાળી, પુજાની થાળી-વાટકી વગેરે ઉપકરણ જોઈએ. ધર્મકાર્ય કરવા આ બધાની જરૂર પડે. ત્રીજો પ્રકાર : અન્તઃકરણ. પહેલા બે પ્રકાર વડે ધર્મ થાય. એથી વિશેષ અને સર્વોચ્ચ આ પ્રકાર છે. કદાચ કરણ કે ઉપકરણ વિના ધર્મ થઈ શકે પણ અન્તઃકરણ તો જોઈએ જ તમે વિચાર કરો. પંચાશક શાસ્ત્રમાં જે એક ઘરડી ડોશીની કથા આવે છે તેમાં આ અન્તઃકરણ હોરા થતાં ધર્મનો જ મહિમા બતાવ્યો છે. બાકી કરણ કે ઉપકરણમાં ક્યમ કો ભલીવાર હતો ? અત્યંત દરિદ્ર ડોશીમાની પાકી ઉંમર, કરચલીવાળું કુશ શરીર ૮૦ વર્ષની વયે પોતાની આજીવિકા માટે રોજ જાતે જંગલમાં જઈ લાકડાં કાપી ભારા લઈ આવવા પડતા હતા ! આંખના દીવાનું તેલ ખૂટવામાં આવ્યું હતું એટલે કે એ અખમ થવા આવી હતી. કાન પણ જવું જવું કરતા હતા. પગ તો ક્યારના યે રજા માંગતા હતા, પણ બધું એમ જ નભતું હતું. એક દિવસ એ પરડાં માઇ માટે સોનેરી દિવસ ઊગ્યો. લાકડાં લેવા જંગલમાં જવા ધરે બહાર નીકળીને જેવાં તે ચોકમાં આવ્યાં ત્યારે, માણસનાં ટોળે ટોળા એક દિશામાં જલદી જલદી જતાં જેયાં. માએ પૂછ્યું : “આટલા બધા માસ આજે કાં ૨ છે. 199 કોઈકે કહ્યું : “ગામ બહાર ભગવાન આવ્યા છે. ત્યાં દર્શન માટે જાય છે. ” આટલું સાભળી માજીના મનમાં શુભ વિચારનો સંચાર થયો. Jain Education International BOOOOOOOOOOOOOOO00 [4] ઝાઝા છીએ અને તે થયું : “લાવને હું પણ આજે ભગનાનનાં દર્શને જાઉં. "માજીએ જંગલમાં જવાને બદલે ભવ-જંગલનો અંત લાવનાર ભગવાન તરફ ડગુંમનું ચાલે ડગ માંડ્યાં. વળી મનમાં થયું : આમ આવા શરીરે રૂમ જવાય એટલે નદી તરફ ચાલ્યા. ત્યાં પાણીમાં હાથ-પગ બોળ્યા. નદી પાર કરતાં બીજો વિચાર ઝબક્યો : ખાલી હાથે કેમ જવાય? ત્યાં સામે નાગોડના છોડ પર નાનાં નાનાં લાલ ફૂલ દેખાયાં, તે લઈ લઉં !'થોડાં ફૂલ લીધાં અને આગળ વધ્યાં, રસ્તા પર જેવા આગળ વધવા જાય ત્યાં જાણે કીડિયારું ઊભરાયું હોય તેટલું માન્નસ ! અરે, માણસ જ નહીં, પશુષ્ટિ પણ ત્યાં ધસમસતી દેખાઈ !ઞામાં મારગ કેમ ધાશે, નેવી ચિંતા મનમાં ઘોળાતી હતી. ત્યાંથી પસાર થતાં રાજાને પણ આ માજીને જોઈ દયા આવી. પાસેના મંત્રીને કહ્યું કે સૈનિકોને સૂચના આપી કે માજી ક્યાંક ચગદાઈ ન જાય. રાજા તો આગળ વધ્યા, પણ મનમાં આ મા વસી ગયાં. જેવા તેઓ પ્રભુ પાસે પહોંચ્યા તેવો જ પ્રશ્ન પૂછ્યો : “પ્રશ્નો છે માજા ક્યાં પહોંચ્યાં છે "ત્યાં પ્રભુ કહે ઃ “આ તમારી સામે એક છે તે ” રાજા કહે : “આ તો દેવ છે !” પ્રભુ કહે : “એ ના દર્શન કરવાની ચઢતી ભાવધારા સાથે આવી રહ્યાં હતાં, ત્યાં જ માણસની ભીંસ થતાં ચગદાઈ ગયાં અને તેઓનું આયુષ્ય પૂર્ણ થયું. એમના મનમાં પ્રભુના દર્શનની તીવ્ર ભાવના હતી. હાલમાં નગોડનાં ફૂલ હતા તેથી દેવલોકનું આયુષ્ય બાંધ્યું અને આ તમારી સામે જ બેઠાં છે. ” હીન, દીન અને રિક અવસ્થામાંથી કેવા પુણ્યશાળી બની ગયા ! આમાં કરણ અને ઉપકરણ તદન ગૌણ હતા. માત્ર અન્તઃકરણથી તેમનું કામ થયું ! આપણે પણ ધર્મ સાધવા માટે વધુમાં વધુ જોર અન્તઃકરણ ઉપ૨ દેવાનું છે. મનમાં જ પ્રભુનું સ્થાપન કરી તેમની સાથે તદાકાર થવા પ્રયાસ કરવાના છે. તેમ કરવાથી જ સાધના ફળવતી અને બળવતી બની રહેશે. ૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy