________________
૮૩૯
શાશ્વત સૌરભ ભાગ-૧
શંઝાના શ્રેષ્ઠીવર્ય : વિરલ વ્યક્તિત્વ શેઠ શ્રી કાન્તિલાલ લહેરચંદ શાહ
વતન : ઊંઝા. જન્મ તારીખ : ૧૩-૨-૧૯૧૬. મહા સુદ-૧૦, ઉંમર : ૮૪ વર્ષ, અભ્યાસ : ૧૧ ધોરણ, સ્વર્ગવાસ ૩૦-૮-૧૯૯૬, શ્રા. વદ ૨. | કોઈ માનવચિરાગ જ એવો હોય છે કે જે સંસારમાં વૈભવ-વિલાસ કે વૈર-વિરોધ અંધિયારી વચ્ચે જન્મ લે છે...અંધારાંમાં અજવાળાં વેરતાં વેરતાં પોતાના પુણ્યબળને આગળ રાખી પોતાની હામથી આગળ વધનાર જેને મારા-તારાની, આગળ-પાછળની, માન-પાનની કોઈ દુન્યવી દુવિધા ઝાંખી પાડ પાડી શકતી નથી એમના જીવનનું લક્ષ્ય એક જ મનોબળ મક્કમ, દૃઢ નિર્ધાર-સાથે પોતાનું જીવન આગળ ધપાવનાર વિરલ વ્યક્તિત્વ શ્રેષ્ઠીવર્યશ્રી શાહ કાન્તિલાલ લહેરચંદનું ટ્રાન્સપરન્ટ જીવન. પરિવારનું યોગદાન, દઢ સંકલ્પશક્તિ, ઔદાર્યવૃત્તિ, કર્તવ્યનિષ્ઠા જેવા સગુણો કેળવી સૌને પ્રેરણારૂપ બન્યું છે.
જૈન શાસનમાં આજ સુધીમાં સમયે સમયે અનેક નરવીરો થઈ ગયા છે. ધર્મવીરતાની સાથે સાથે કર્મવીરતા કે શૂરવીરતા પણ જોઈએ. પિતાશ્રી શ્રેષ્ઠીવર્યશ્રી લહેરચંદદાસ પીતામ્બરદાસ (ભા)ના નામે સમાજમાં જાણીતા હતા. પોતાની આંખો ગયા પછી સતત ધર્મ એ જ જીવન! પૌષધવ્રત સતત વર્ષો સુધી કરતા રહ્યા. ફક્ત દાઢી કરવા, નહાવા પોતે પૌષધવ્રત પારતા ફરીથી સાંજે લઈ લેતા. ઉપાશ્રય ચોમાસા પછી સૂનો થઈ જાય. તેથી ઘેર પૌષધશાળા બનાવી હતી તેવા ઉચ્ચ સંસ્કારનું સિંચન પામેલા અને તેમનાં માતુશ્રીમાં પુરુષને છાજે તેવી શક્તિ, બળ અને બુદ્ધિ જે તેમના પુત્ર શ્રી કાન્તિલાલને જન્મતાં મળેલાં, જેના કારણે આત્મિક શક્તિ, તાકાત અને જોમ તેમનામાં આવ્યાં હતાં. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવનારા ઇન્દ્રધનુષ્ય જેવા નયનાભિરામ વ્યક્તિત્વના સ્વામી છતાં લાગણીશીલ, સુપાત્રદાન વૈયાવચ્ચ ભક્તિ, સાધર્મિક પ્રત્યે હૃદયમાં કૂણી લાગણી અને આદર, ઊંઝા નગરમાં કોઈપણને બહાર અમદાવાદ વ.માં દવા કરવાની હોય તો તેમને લઈ હોસ્પિટલમાં
રહેવાનું, સેવા કરવાનું કાર્ય એટલે શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલ.
સમાજજીવનના ક્ષેત્રે જૈન યુવક મંડળના મુખ્ય રહી પોતાની સાથે તમામ યુવાશક્તિને આગળ લાવવા સતત પ્રયત્નશીલ રહ્યા. R.s.s. સેવાદળના અનુયાયી. કસરત, અખાડા, તરણ સ્પર્ધા, શૂટિંગ વ.નો શોખ તેમની કાર્યશક્તિનું પાસું રહ્યું છે. આત્મીયતા, પ્રેમ, લાગણી, સરળતા તેમની’ અંદરમાં રહેલી છતાં ઉપરથી મક્કમ મનના. ઝડપથી નિર્ણય શક્તિથી પોતાની પ્રતિભા વિકસાવી શક્યા હતા.
સમાજમાં UNTO THIS LAST છેક છેવાડાના વ્યક્તિ સુધી પોતાની મદદ સતત વધ્યા કરે, ગુપ્ત રીતે સાધર્મિક ભક્તિ તથા સમાજના નાના સ્તરની મહિલાઓ પોતાના કાર્યથી આગળ આવે તે માટે મહિલા ઉદ્યોગ'માં સતત કાર્યશીલ રહ્યા, ધર્મપ્રેમી સાલસ સ્વભાવના હતા, એટલે જ નીડર અને સ્પષ્ટ વક્તા હોઈ ભલભલાને પણ પોતાના વ્યક્તિત્વથી આંજી દેતા અને સત્ય કહેતાં જરાપણ અચકાતા નહોતા. ઘરમાં આંગતુક-આતિથ્યભાવના અને તેઓ ઘર, દુકાને આવનારનું પ્રેમથી સ્વાગત કરતા. યોગ્ય સલાહ આપતા, પોતાના ભાઈના દીકરાઓને મહામૂલું સંયમ મળ્યું હતું તેનો ગર્વ હતો. ૫.પૂ. ચંદ્રોદય વિજયજી મ.સા. તથા પ.પૂ. દક્ષપ્રભવિજયજી મ.સા. તેમના જીવનના, ધર્મના આચરણ માટેના ગુરુ રહ્યા. તેઓની પાસે રાતોની રાતો બેસી ધર્મચર્ચા તેમના જીવનના, ધર્મના ઘડતરના, જ્ઞાનના, ધર્મના સાચા જ્ઞાતા બની શક્યા. સાદાઈ પ્રભુનું શાસન રોમેરોમમાં ભરેલુ. જ્ઞાનાભ્યાસમાં આગળ વધવાની ઉત્કંઠા, યોગ્ય સાતેક્ષેત્રોમાં ખુલ્લો મૂકેલો દાનપ્રવાહ એ ચતુરંગી યોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાળી વ્યક્તિમાં દૃષ્ટિગોચર થાય છે. તેઓશ્રીનાં ભાભી પ.પૂ. સાધ્વીજી શ્રી સમતાશ્રીજી મ.સા., ભત્રીજી ૫.પૂ. પુષ્માશ્રીજી મ.સા. અને ૫.પૂ. ભાવરત્નાશ્રીજી મ.સા. તથા ભત્રીજા ૫.પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મ.સા. સંયમપંથે વિચર્યા છે. તેમની પ્રેરણા તેમના જીવનમાં સતત વણાયેલી રહી
વ્યાપારી કારકિર્દીમાં સતત ઊંઝા નગરના વ્યાપારી સાહસની શરૂઆત કરનારમાં શ્રેષ્ઠીવર્યનું નામ મોખરે છે. નાની ઉંમરથી વ્યાપારનું લક્ષ તેમનું રહ્યું અને વેપારમાં હળીમળીને કામ કરતાં સ્વબળે અને સૂઝબૂઝથી આગળ આવેલ એટલે તેમનામાં કેટલાક આગવા ગુણો હતા. જન્મથી સ્વબળે આગળ આવવાની ભાવના સાથે સાથે પોતાની પ્રતિભા, ઊંચાઈ, પડછંદ કાયા, સ્પષ્ટ વક્તાથી ઊપસી આવી હતી. ઊંઝા નગરમાં વ્યાપાર
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education Intemational