________________
૮૩૮
તપધર્મની પ્રતિભા પ્રગટાવી જનાર શ્રીપાળ–મયણાનો જીવોદ્ધાર
Jain Education International
શાશ્વતી આયંબિલની ઓળી દ્વારા સિદ્ધચક્રની આરાધના કરી વિઘ્નોનો ઉપશમ કરનાર દંપતીયુગલની ગૌરવગાથા જૈનશાસનમાં જગજાહેર છે.
તેમનું ચરિત્ર વાંચતાં લાગ્યા વગર નહીં રહે કે નાનું પણ ભાવપૂર્વકનું તપ કેટલું કિંમતી હોય છે!
શ્રી કાન્તિભાઈના દીકરાઓ અને દીકરી પણ ધર્મના સંસ્કારથી રંગાયેલાં છે. સાંસારિક કાર્યોની સાથે-સાથે આત્માના ઉત્થાનની તરફ આગળ વધી રહ્યા છે. પ્રથમ પુત્ર મહેશભાઈ પાલડી, અમદાવાદમાં રહે છે. બે સમય પ્રતિક્રમણ, નવકારસી, ચોવિહાર વગેરેની દૈનિક આરાધના છે. અષ્ટપ્રકારી પૂજા કરીને જ નવકારસી કરે છે. સવારે બે કલાક મૌન રાખે છે. પાલડીમાં શ્રી કુંથુનાથ પ્રભુ બિરાજમાન કર્યા છે. ત્યાંનો વહીવટ સંભાળે છે. ત્યાંની પાઠશાળાનું સંચાલન કરે છે. બારે મહિના ગુરુભગવંતોનું આવાગમન રહે છે. તેમનાં વિનય, વૈયાવચ્ચ કરે છે. દર વર્ષે આજુબાજુનાં તીર્થોની તથા શ્રી સિદ્ધાચલજીની યાત્રા સપરિવાર, મિત્રો સહિત વર્ષમાં ત્રણ-ચાર વખત ઓછામાં ઓછી કરે છે. પ્રદીપભાઈ મદ્રાસમાં રહે છે. દરરોજ નવકારસી, ચોવિહાર, સ્નાત્રપૂજા આદિ આરાધના કરે છે. પ્રભુપૂજા કરીને જ નવકારસી કરે છે. દરરોજ સ્નાત્રપૂજા, મોટી પૂજા વગેરે ભણાવતી વખતે પ્રભુભક્તિમાં તરબોળ
ધન્ય ધરા
બની જાય છે. મહિને ચાર-પાંચ આયંબિલ કરે છે. હંમેશાં હસતો ચહેરો અને કુટુંબીઓને ખુશ રાખનાર સુપુત્ર છે. સુપુત્રી દીપિકાબહેન પાટણમાં રહે છે. હંમેશાં તપશ્ચર્યા હોય છે. અષ્ટપ્રકારી જિનપૂજા કર્યા પછી જ વાપરે છે. માસક્ષમણ, ત્રણ ઉપધાન, અઠ્ઠાઈ, બે વરસીતપ, વીસસ્થાનક તપ આદિ તપસ્યાઓ નિર્વિઘ્ને પૂરી કરેલ છે. નવપદ તથા વર્ધમાન તપની ઓળી કરેલ છે. બાર વ્રત ધારણ કરેલ છે. શરીરનો પૂરો કસ કાઢી આત્માને દેદીપ્યમાન બનાવી રહ્યાં છે. છેલ્લાં, કેટલાંયે વર્ષોથી ઉપવાસ, એકાસણાં આદિ તપશ્ચર્યા સળંગ ચાલી રહી છે. દીક્ષાની ભાવના છે. મૂકેશભાઈ મદ્રાસમાં રહે છે. ૮ વર્ષની ઉંમરે પ્રથમ ઉપધાન કરી મોક્ષમાળા પહેરેલ. ૯ વર્ષે અટ્ટાઈ કરેલ. દરરોજ નવકારશી, જિનપૂજા, નવકારવાળી આદિ ધાર્મિક ક્રિયાઓ કરે છે. સામાજિક કાર્યો તથા સાધર્મિકોની મદદનાં કાર્યો કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org