________________
૮૩૪
પોતાની પુત્રીના ભવિષ્યનો વિચાર કરવાને બદલે જમાઈને જ સંયમમાર્ગની સલાહ આપી.
ભરૂચનાં મંદિરો ઉપરાંત જિલ્લાના ઝઘડીઆ, કાવી, ગંધાર તથા બીજાં નાનાંમોટાં ગામોનો વહીવટ પણ તેઓ સંભાળતા.
આજે પણ સાધુ ભગવંતો તથા શ્રાવકો અને ભરૂચ સંઘના ભાઈઓ તો તેમને આદરપૂર્વક યાદ કરે છે. તેઓ પાલિતાણા દાદાના દરબારમાં જ દેવલોક થયેલા.
અમૃતલાલ મોહનલાલ શાહ
શ્રી શંખેશ્વરતીર્થમાં કરેલાં સુકૃતની યાદી :~ મણુંદ ( જિ. પાટણ)ના વતની ૭૩ વર્ષના શ્રી અમૃતભાઈના પરિવારમાં બે પુત્રો ત્રણ પુત્રીઓ. આ પરિવારમાં ધર્મસંસ્કારો વિશેષ જોવા મળ્યો.
(૧) ચાંદીનો વિશાળ ૯ ફૂટ લાંબો ભંડાર બનાવી અર્પણ. (૨) પોષદશમીની આરાધના પ્રસંગે જાપ કરવા તપસ્વીઓ માટે પાંચ
ફૂટ ઊંચો વિશાળ શ્રી શંખેશ્વર દાદાનો ચાંદીની ફ્રેમમાં બનાવેલ ફોટો અર્પણ કરેલ છે. (૩) શ્રી શંખેશ્વર જૈન ભોજનશાળામાં મહાસુદ-૧૫ની કાયમી તિથિના નકરાના રૂપિયા સવાલાખ આપેલ છે. (૪) શ્રી શંખેશ્વર નાસ્તાગૃહમાં યથાયોગ્ય દાન આપેલ છે. (૫) શ્રી પાલનપુરવાલી ઝવેરીની ધર્મશાળામાં એક રૂમ આપેલ છે. (૬) શ્રી શંખેશ્વર તીર્થમાં અમતપની આરાધના સાથે ૭૨ કલાકના અખંડ જાપ કરાવ્યા હતા. અત્તરવાયણાં તથા પારણાં તપસ્વીને કરાવ્યાં હતાં. (૭) શ્રી શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથપૂજન ગણાવ્યું હતું અને છ'રીપાલિત ગિરનારજીનાં યાત્રિકોની ભક્તિ કરેલી હતી. (૮) શ્રી શાંતિસ્નાત્ર-શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અઠ્ઠાઈ મહોત્સવનો લાભ સ્વદ્રવ્યથી લીધો હતો. ત્રણ દિવસ સ્વામીભક્તિ.
શ્રી સમેતશિખરજી તીર્થમાં કરેલ સુકૃતની યાદી
(૧) શ્રી શ્યામળા પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મોમિયાજીદાદાના મોટા વિશાળ ફોટા ચાંદીની Frameમાં બનાવી ત્યાંની પેઢીમાં નકરો આપી દર્શનાર્થે મૂક્યા છે. (૨)
Jain Education International
ધન્ય ધરા
પ.પૂ. પંન્યાસશ્રી મુક્તિસાગરજી મહારાજ આયોજિત ૧૦૮ દિવસના છ'રીપાલિત સંઘ ઇન્દોરથી શિખરજીનો આવ્યો હતો તેમાં સંઘપતિનો લાભ લીધો હતો અને સજોડે સંઘમાળ પહેરી હતી. (૩) સુજ્ઞાતિમંડળ-મુંબઈ આયોજિત લગભગ ૧૭૦૦ યાત્રિકના સંઘમાં શિખરજીમાં સંપૂર્ણ દિવસના જમણનો ખર્ચ આપ્યો હતો અને સંઘપૂજનનો લાભ લીધો હતો.
શ્રી મણુંદ ગામમાં કરેલા કાર્યની વિગત
(૧) શ્રી મણુંદ ગામમાં સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ કરવાનો મુખ્ય દાતા તરીકે લાભ લીધો છે, જે કાર્ય સારી રીતે ચાલે છે.શ્રી મણુંદ ગામમાં નૂતન ઉપાશ્રય બાંધકામ કાર્યાન્વિત થાય તે માટે સેવા.
(૧) શ્રી ચંદ્રપ્રભુધામ મણુંદમાં ટ્રસ્ટી.
(૨) શ્રી મણુંદમાં પાંજરાપોળ-કબૂતરખાનું-ચકલાખાતુંમાં ઉપપ્રમુખ.
પૂજ્ય સાધુ-ભગવંતોના નિકટના સંબંધો.
(૧) ગચ્છાધિપતિ શ્રી પ્રેમસૂરિમહારાજ તથા તેમના સંપ્રદાયના આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ શીલરત્નવિજયજી.
તથા
(૨) ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યો શ્રી હરિકાંતવિજયજી શ્રી સૂર્યકાંત વિજયજી.
(૩)
(૧)
(૨)
વિવિધક્ષેત્રે ટ્રસ્ટીની સેવા
(૩)
(૪)
આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીના સંપ્રદાયના આચાર્યશ્રી મહાયશસૂરીશ્વરજી તથા મુનિ શ્રી સોમસુંદરવિજયજી. સાંસારિક વિગતો...
મોટા પુત્ર પંકજ C.A. છે, સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે. નાના પુત્ર ઇન્દ્રવદન પૂનામાં કારખાનાની જવાબદારી સંભાળે છે.
પૌત્ર સચિન શેરબજારનું ટર્મિનલ ચલાવે છે.
મહિમા ઓરીસ સ્ટેશનરીના ઉત્પાદક અને સરકારી ક્ષેત્રમાં સપ્લાયનો ધંધો.
તા.ક. :—સુજ્ઞાતિમંડળ-અમદાવાદને જ્ઞાતિના સાધર્મિક કુટુંબનાં સભ્યોને સહાયતા આપેલ છે. તેમજ દિપાવલીના શુભપ્રસંગે જરૂરતમંદોને મીઠાઈનું વિતરણ કરવાનો લાભ લીધો છે.
ધન્ય જીવન......ધન્ય આરાધના
For Private & Personal Use Only
www.jainelibrary.org