________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ધર્મનિષ્ઠ પુણ્ય પ્રતિભાઓ
વીરશાસનની યશોજ્જવલ પરંપરામાં અગણિત શ્રાવકપ્રતિભારત્નોએ તેમનાં શ્રેષ્ઠતમ પ્રભાવક ધર્મકાર્યો કરીને જૈનશાસનની તેજપ્રભાને દશે દિશામાં પ્રસરાવી છે. સમયકાળે ભલે પડખું બદલ્યું હોય પણ એકવીસમી સદીના આ કમ્પ્યૂટરાઇઝડ યુગમાં સર્વતોમુખી શ્રેષ્ઠ સાધના કરનારાઓનો જરાય તોટો નથી. આ શ્રાવકરત્નોની નેત્રદીપક તપસ્યાઓ જાણીએ ત્યારે આપણને પણ આરાધનાનું નવું જોમ પ્રગટે છે. આ શ્રાવકરત્નોના સદ્ગુણો આજે પણ ઘર-ઘરમાં ગુંજન કરતા કાનને પાવન કરી રહ્યા છે.
પાયામાં ધરબાયેલા સાધક-ભાવનાનાં હૃદયસ્પર્શી દૃષ્ટાંતો આપણને કોઈ ઊંચી શુભ ભાવનામાં ખેંચી જાય છે. સમગ્ર સમાજ ચારિત્રની આ સુગંધનો સાક્ષાત્કાર સદીઓ સુધી કરતો રહીને પ્રેરણા અને પ્રોત્સાહનનું પાથેય પામતો રહેશે.
દેઢ શ્રદ્ધાસંપન્ન, કળવકળના જાણકાર, ધીંગી ધરાના ધણી અને ગજબની કોઠાસૂઝ ધરાવનાર એવા ઘણા શ્રાવકો પ્રાચીનકાળમાં થયા પણ વર્તમાનમાં પણ એવા ઘણા છે, જેમના પરિચયો આ લેખમાળા દ્વારા જાણીએ. —સંપાદક.
શેઠ શ્રી અનુપચંદ મલુકચંદ
શેઠશ્રી અનુપચંદભાઈ ભરૂચ સંઘના અલંકાર સ્વરૂપ હતા. ખૂબ જ વિદ્વાન અને ધર્મશાસ્ત્રોના અભ્યાસી હતા. તેમણે પ્રાયઃ ૪૫ આગમોનો પણ અભ્યાસ કર્યો હતો, પરંતુ પાછળથી પ.પૂ. આત્મારામજી મ.સા.ના પરિચયમાં આવ્યા બાદ તેમને સમજાયું કે શ્રાવકો આગમવાચન કરી શકે નહીં. તે માટે તેમણે પ્રાયશ્ચિત્ત પણ કર્યું હતું. તેઓએ માત્ર શાસ્ત્રોનો અભ્યાસ જ કર્યો ન હતો પરંતુ તેમણે ઘણા ગ્રંથો લખ્યા પણ હતા અને લખાવ્યા પણ હતા. તેમનો ‘પ્રશ્નચિંતામણિ' ગ્રંથ આજે પણ સાધુ ભગવંતો પણ વાંચે છે.
૮૩૩
તેઓ આત્મારામજી મ.સા. સમકાલીન હતા. શ્રીમદ્ રાજચંદ્ર પણ તેમના ઘરે પધાર્યા હતા. આત્મારામજી મ.સા. પાસે પણ તેમણે શાસ્ત્રાભ્યાસ કર્યો હતો. તેઓ એટલા વિદ્વાન હતા કે પં.પૂ.આ. સિદ્ધિસૂરીશ્વરજી મ.સા.એ તેમની પાસે
Jain Education International
અભ્યાસ કરવા ભરૂચમાં ત્રણ ચાતુર્માસ કર્યાં હતાં. બીજા પણ સાધુ ભગવંતોએ તેઓની પાસે અભ્યાસ કર્યો હતો. એવું સાંભળવામાં આવેલ છે કે શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ પણ તેમની પાસે અભ્યાસ કરવા આવતા. તેઓ ખૂબ જ વિદ્વાન હોવા ઉપરાંત ચુસ્ત વ્રતધારી શ્રાવક પણ હતા. તેઓ સાચા અર્થમાં સાધુ-સાધ્વીનાં મા-બાપ જેવા હતા. તેમની ભૂલ હોય તો તેમની ભૂલ સુધારતા અને તેમને વ્રતપાલનમાં મદદ કરતા, સ્થિર કરતા, છતાં ન માને તો જરૂર પડ્યે ઠપકો પણ આપતા. આણંદજી કલ્યાણજી પેઢીના તેઓ માનદ્ સલાહકાર હતા.
ભરૂચનાં મંદિરોની તેમણે ખૂબ જ સુંદર સંભાળ લીધી હતી અને આદીશ્વર ભગવાનનું શિખરબંધ મંદિરનું નિર્માણ તેમના વહીવટ દરમ્યાન થયું હતું.
આજે પણ મહાન આચાર્ય ભગવંતો ભરૂચ પધારે ત્યારે તેમને ખૂબ યાદ કરે છે અને વ્યાખ્યાનાદિમાં પણ તેમનાં દૃષ્ટાંત ટાંકે છે.
તેમને માત્ર એક જ દીકરી હતી. તેનાં લગ્ન સમયે પણ તેમના જમાઈ શેઠ ચૂનીલાલ રાયચંદને તેમણે કહ્યું હતું કે જો તમારો વિચાર હોય તો તમારાં આ લગ્નના વરઘોડાને દીક્ષાના વરઘોડામાં ફેરવી નાખીએ. કેવો ધર્મનો અને સમયનો રાગ
For Private & Personal Use Only
www.jainelibrary.org