SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ ૫=૦૦ વાગે અવશ્ય હાજર હોય. તેમની પ્રભુ ઉપર લાગણી હોવાથી સમયમાં કદી ફેર ન કરતાં સમાજના કોઈપણ પ્રસંગે હાજર રહેતા. તેમની અનુમોદના કરવી રહી. ચંદ્રની માફક તેમનું તેજસ્વી તેજ સમાન બાહોશ, કુશળ, કુનેહબાજી, પરમાર્થની ભાવના, સાચી સલાહ આપવાની શક્તિ તેમનામાં રહેલ સદ્ગુણોની સુવાસની સાથે સાદાઈ ભરેલું એકાગ્રતા જેવું સુંદર જીવન જીવી જાણ્યું. ભાઈશ્રી રતિલાલનો પહાડી અવાજ જાણે કાન ઉપર પડઘા-ભણકારા ગુંજ્યા કરે—તેઓ શ્રી મહાવીર જન્મવાચન વખતે વિશાળ સમુદાય સામે સુપનો તેમજ અન્ય બોલી બોલવા ઊભા થાય ત્યારે તેમના ચહેરા પર એક અનોખી રોનક દેખાતી હતી ને દરેકને ચાહક પ્રિય હતા. તેમની મીઠી ભાષા હોવાથી કાર્ય કુનેહપૂર્વક લેવાની તેમનામાં યોગ્ય શક્તિ હતી. ઈતિહાસને પણ ઈર્ષા આવે એવી હૃદયની અપ્રતિમ શુદ્ધતાથી એમણે કુટુંબની પ્રગતિ ઐક્ય અને ઉન્નતિ સાચવી છે. આપે સચવાવી છે. એ ઘર આંગણે સેવાને પણ અચૂક લક્ષમાં રાખવાનું ભૂલ્યા નથી. સંપત્તિ હોવા છતાં સાદાઈભર્યું જીવન જીવી લીધું. તેઓશ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મંદિર, ચીકપેટ (ટ્રસ્ટી), શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન શ્વે. પાઠશાળા ચીકપેટ (પ્રમુખ), શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જ્ઞાતિ, બેંગ્લોર (પ્રમુખ) તેમજ ગુજરાતી સંસ્થાઓ સાથે સંકળાયેલ પોતાની અદ્ભુત તન, મન, ધનથી સેવા આપી હતી. ઘર-ઘરમાં પોતાની સુવાસ પ્રસરી હતી તેવી જ વ્યવસાયમાં પોતે નિપુણતાપૂર્વક જવાબદારી જાળવીને સાયકલ એસોસિએશનના પ્રમુખનો હોદ્દો સંભાળી વેપારી વર્ગમાં લોકચાહના મેળવી હતી. વીજળીના વાયુવેગે સમયની રફતાર ચાલતી હતી. તેમાં કુદરતને ગમ્યું કે ન ગમ્યું પણ તેમના છેલ્લા શ્વાસો સુધી મંદિરનું પ્રભુકાર્ય કદી ભૂલ્યા નહીં. સમાજના કાર્યમાં સહભાગી રહી અંતે આ જગતમાંથી તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું. તેમના આત્માને ચિર શાંતિ આપે એજ અભ્યર્થના. Jain Education International સંકલન :—પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર. . સ્વ. સૌભાગ્યચંદભાઈ ચત્રભુજભાઈ સલોત બેંગ્લોર ગુજરાતમાં સૌરાષ્ટ્રની સંતભૂમિમાં આવેલાં ભાવનગર જિલ્લામાં દાઠા ગામે શેઠ શ્રી ચત્રભુજદાસ ગુલાબચંદના ઘેર માતુશ્રી હરકુંવરબહેનની કૂખે પુત્રનો જન્મ થયો. તેમનું નામ સૌભાગ્યચંદ રાખવામાં આવેલ. ધન્ય ધરા નાનપણથી ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા-પિતા તરફથી મળ્યો ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રામાણિકતા જેવા સદ્ગુણોનો પણ વારસો મળ્યો હતો. તેથી ગામમાં કાપડની દુકાનમાં સર્વિસ કરી ત્યારપછી તેઓ મુંબઈ ખાતે આવેલ. મુંબઈમાં ચૈતલિયા બ્રધર્સમાં સર્વિસમાં જોડાયા. તેમાં ખાસ કરી ટ્રાવેલિંગનું કામ સોંપવામાં આવ્યું. ટુરમાં કોલોમ્બો, કરાંચી, બેહરીન (ગર્લરે) પોતાની હોશિયારીથી સુંદર યોગદાન આપતાં ટ્રસ્ટ,વિશ્વાસથી દરેકનું મન જીતી લીધું અને પ્રામાણિકતાનાં દર્શન કરાવેલ ત્યારે તેમની મદ્રાસ ખાતે બ્રાન્ચ શરૂ કરી ત્યાં મેનેજર તરીકે નિમણૂક કરી. જેમ જેમ પોતાની પ્રવીણતા, તમન્ના જોઈને બેંગ્લોર ખાતે બ્રાન્ચ શરૂ કરી તેમાં મેનેજરની પોસ્ટ આપી પોતે સુંદર રીતે કાર્યરત હોવાથી સુંદર રીતે કામગીરી નિભાવવા લાગ્યા. ઈ.સ. ૧૯૫૦માં શ્રીમતી ચંપાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. પોતાની સુંદર રીતે સંસારરૂપી ગાડી ચાલી રહી હતી. સમય કોઈની રાહ જોતો નથી તેમ ધીરે ધીરે સંસારચક્ર ફરવા લાગ્યું. ઈ.સ. ૧૯૫૨ તેમને ત્યાં સુપુત્ર પ્રફુલ્લભાઈનો જન્મ થયો અને ઈ.સ. ૧૯૬૬માં સુપુત્રી પ્રવીણાબહેનનો જન્મ થયો. ઈ.સ. ૧૯૫૭માં ચૈતાલિયા બ્રધર્સમાંથી છૂટા થઈ પોતાનો અલગ વ્યવસાય કરવા તૈયાર થયા ત્યારે તેમના ભાઈ મહાસુખભાઈ સાથે રહી ‘ભારત ગ્લાસ વેર’ નામની પેઢી શરૂ કરી હતી. ઈ.સ. ૧૯૬૩માં નામ બદલી ધંધાની લાઇન બદલી ‘સલોત બ્રધર્સ’નામની પેઢી શરૂ કરી તેમાં ફેન્સી આઇટમ ચાલુ કરી. ધંધામાં પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy